SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ પ્રશ્નધ ચિંતામણી .. ખંજન પક્ષીને જોયું. એ અસંભવિત શુકન વિષે ત્યાં ન્હાવા આવેલા એક બ્રાહ્મણને તેના પગમાં પડી પ્રશ્ન કર્યાં. ત્યારે તે બ્રાહ્મણ જોષીએ કહ્યું કે “જો હમેશાં મારી આજ્ઞા પાળે તેા તને આ પ્રશ્નને જવાબ આપુ ” અને તે સ્ત્રીએ જવાબ આપ્યા કે તમે મારા બાપ જેવા જ છે! માટે મારે તમારી આજ્ઞા હંમેશાં માથે ચડાવવાનું કબુલ છે ” આ રીતે તેણે પ્રતિજ્ઞા કર્યાં પછી તેણે કહ્યું કે “ તું સાતમે દિવસે અહીંના રાજાની રાણી થશ” આ પછી તે એય જેમ આવ્યાં હતાં તેમ ગયાં. પછી તે જોષીએ કહેલે દિવસે તે રાજા સ્વારીમાંથી પાા કરતા હતા ત્યાં કાક શેરીમાં પા રાખ્યા વગરની, અવર્ણનીય સુંદરતા જેના અંગામાં ભરી છે એવી તે શાલાપતિ ૧પમાળાને જોઇ, અને પેાતાના ચિત્તને ચારી જનાર તે સ્ત્રીને ગ્રહણ કરીને રાજાએ પેાતાની મુખ્ય રાણી બનાવી. પછી તે જોષી બ્રાહ્મણુ પાસે પાતે કરેલી પ્રતિજ્ઞાને યાદ કરી તે કૃતજ્ઞ રાણીએ રાજાને તે વિદ્યાધરે *હેલા ભવિષ્યની વાત કરી. એટલે ઢંઢેરા પીટાવી તે વિદ્યાધરને ખેાલાવવાના પ્રયત્ન કર્યો તેા વિદ્યાધર નામના સાતસા બ્રાહ્મણેા રાજા પાસે હાજર થયા. પછી એમાંથી જેની જરૂર હતી તે એકને છુટા પાડી બાકીનાઓને યથાયાગ્ય સત્કાર કરી, રજા આપી. પછી રાજાએ ‘તમારે જોઇએ તે માગી લી એમ . તે ખાસ વિપત્તિ વગરના વિદ્યાધરને કહ્યુ. રાજાની આજ્ઞાથી ખુશી થએલા તેણે “ તમારી સેવા કરવાનું હંમેશાં મળે તે। અસ છે' એમ અરજી કરી એટલે રાજાએ ‘ ભલે તેમ થશે ’ એમ કહીને તે બ્રાહ્મણની અસાધારણ ચતુરાઈ જોઈ તે તેને પેાતાના રાજ્ય વહીવટના બધા ભાર સાંપી દીધા. આથી એ બ્રાહ્મણે પુષ્કળ સંપત્તિ એકઠી કરી, પછી તા એ પેાતાની ખત્રીશ સ્ત્રીઓ માટે હમેશાં ચા કપૂરના નવા અલ કાર કરાવતા અને આગલા દિવસના વાશીઅલંકારા નિર્માલ્ય પેઠે ઉકરડામાં ફેંકાવી દેતા, આ રીતે પોતે સાજ્ઞાત્ દેવના અવતાર હેાય તેમ દિવ્ય ભાગા ભાગવતે હતા; અને હમેશાં અઢાર હજાર બ્રાહ્મણાને જમાડયા પછી તે પાતે જમતા હતા. એક વખત રાજાએ પરદેશી રાજાને હરાવવા માટે ચૌદ વિદ્યા જાણનાર આ વિદ્યાધરને મેાકલ્યા. ત્યાં રસ્તામાં એક પછી એક દેશમાંથી "( " ૧૫ ઉપર શાલાપતિ પત્ની’શબ્દો વાપર્યા છે, જયારે આ સ્થળે' શાલાપતિ માલા' શબ્દો ગ્રંથકારે વાપર્યાં છે, સાચું શું સમજવું ? ચતુર્વિશતિ પ્રમધમાં સહુવદેવીને અણહિલપુરની શાલાપતિ પત્ની અને વિધવા કહી છે. જીએ ફા સભાનું સરકરણ પૃ. ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy