SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ પરચુરણ પ્રબળે પસાર થતાં રસ્તામાં કયાંક બાળવા માટે લાકડાં ન મળે એવા દેશમાં છાવણું હતી ત્યારે બ્રાહ્મણે માટે રસોઈનો વખત થતાં રસયાઓને સાદા તથા રેશમી કપડાં તેલવાળાં કરીને બાળવા આપ્યાં પણ તેણે બ્રાહ્મણોને ધોરણ પ્રમાણે જમાડયા. પછી શત્રુને જીતીને વિજયી સરદાર તરીકે જ્યારે તે શહેરના પાદરમાં આવ્યો ત્યારે ૧૬ખોળની ઇચ્છાથી કપડાં બાળેલાં એ માટે રાજાને ક્રોધ થયો છે એવું સાંભળી પિતાનું ઘર માગણો પાસે લુંટાવી દઈ તીર્થમાં જઈને રહેવાની ઇચ્છાથી ચાલી નીકળ્યા. ત્યારે તરત જ એની પાછળ નીકળેલા રાજાએ એને ઘણી રીતે મનાવ્યું પણ તે માનમાં મોટાઈ માનનારે હેવાથી પિતાની તીર્યવાસની વાસના રાજાના હૃદયમાં ઉતારી ગમે તેમ કરીને તેની રજા માગી તેણે (તીર્થમાં જઈને પોતાને અંતકાળ સા. - ૧૩ આ પછી સૂવદેવીએ પોતાના દીકરાને યુવરાજની પદવી આપવા માટે રાજા પાસે માગણી કરી પણ રાજાએ “ રાખેલીનો છોકરો અમારા વંશના રાજ્ય માટે યોગ્ય નથી” એમ જવાબ આપ્યો એટલે તેણે પિતાના પતિને નાશ કરવા માટે સ્વેચ્છને બોલાવ્યા. હવે જાસુસો પાસેથી આવેલા પત્રો દ્વારા આ વાત (લે -મુસલમાને ચડી આવે છે એ વાત ) જાણીને પદ્માવતી દેવીનું જેને વરદાન મળેલું એવા એક દિગબરને ભવિષ્ય પૂછયું, ત્યારે તેણે પદ્માવતીના કહેવાથી “લે નહિ આવે” એમ રાજાને જણાવ્યું. કેટલાક દિવસ પછી તે પાસે આવી પિચ્યા છે એમ સાંભળીને તે દિગબરને “આમ કેમ થયું ?” એમ રાજાએ પૂછ્યું. એટલે તેણે તે જ દિવસે રાતે રાજાના દેખતાં પદ્માવતી દેવી આગળ હોમ શરૂ કર્યો. અને તેની સાચી આકર્ષણ વિદ્યાથી તેમના કુંડની જવાલાના કુંડાળાની વચ્ચે પ્રત્યક્ષ દર્શન આપીને પદ્માવતી દેવીએ બ્લેચ્છોના આવવાની ના પાડી. આથી ક્રોધમાં આવેલા તે દિગંબરે ક્રોધના આવેશમાં તે દેવીના કાન પકડીને કહ્યું કે “પ્લેચ્છા પાસે આવી પિયા છે અને તે પણ છેટું બોલ છે?” આ રીતે તેને ઠપકે આયો એટલે તેણે કહ્યું કે “તું જે પદ્માવતીને અત્યંત ભક્તિથી પૂછે છે તે તે અમારા પ્રતાપે ભાગી ગઈ છે. હું તે ઑ૭ લોકેાની ગોત્ર દેવી છું અને ખોટું બોલીને લોકોને વિશ્વાસ મેળવી લે છે સાથે લોકોને મેળ કરાવું છું” આમ કહીને તે અંતર્ધાન થઈ ગઈ. પછી બીજી સવારે છ સૈન્ય કાશીને ઘેરો ઘાલ્યા છે એવું ચેષ્ટાથી જાણીને, તથા તેના ધનુષ્યોના અવાજથી પિતાનાં ચૌદસે જડ વાઓને ૧૬ મૂળમાં વિખ્યા શબ્દ છે તેને અર્થ તો તેલને ખળ થાય પણ ખેાળનો અહીં સંબંધ બેસતો નથી તેથી ટેનીએ ખોરાક ( food ) અર્થ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy