SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલ પ્રબંધ ૧૭૩ આ પ્રમાણે આંબડ પ્રબંધ પુરો થયો. ૯ એક વખત અણહિલ્લપુરમાં શ્રી હેમચંદ્રાચાર્યની પાહિણી નામની મા જેણે દીક્ષા લીધી હતી તે પરલેકમાં જતાં હેમચન્દ્રાચાર્યે તેને એક કરોડ નમસ્કારનું પુણ્ય આપ્યું, પણ તેના મરણ પછી તેના સંસ્કારને મોટો ઉત્સવ કરવામાં આવતું હતું ત્યારે ત્રિપુરૂષ ધર્મસ્થાન પામે તે સ્થાનના તપસ્વીઓએ સહજ અદેખાઈથી શબ ઉપાડવાની માંડવી ભાંગી નાખી અપમાન કર્યું; તેથી માની ઉત્તરક્રિયા કરીને માળવામાં બેઠેલા શ્રી કુમારપાલ રાજાની છાવણીમાં શ્રી હેમચંદ્રાચાર્ય એજ ક્રોધના વેગમાં ગયા. (૩) માણસે પોતે કાં તે ધણી થવું અથવા કોઈ ધણીને હાથમાં લે, કામ કરવા માટે માણસ પાસે બીજો માર્ગ નથી. - આ વચનનું સત્ય વિચારતા શ્રી હેમચન્દ્રાચાર્યના આગમનના શ્રી ઉદયન મંત્રીએ રાજાને ખબર આપ્યા. અને રાજા કૃતજ્ઞ માણસોમાં શિરેમણિ હોવાથી તેણે અતિ આગ્રહ કરીને મહેલમાં બોલાવ્યા. પછી તેને રાજ્ય પ્રાપ્ત થવાનું છે એ ભવિષ્ય પોતે જોયું હતું એ યાદ આપતાં રાજાએ “આપે હમેશાં દેવ પૂજા વખતે પધારવું” એમ આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું કેમળે છે. કોકણના રાજા મલિલકાર્જુનને કુમારપાલના સુભટોએ હરાવ્યો તથા મારી નાખ્યો એમ હેમચઢે (કુ. ચ. સ. ૬) જ લખ્યું છે. પણ તેણે સેનાપતિ તરીકે અબડનું નામ નથી લખ્યું. સેમેશ્વરે કી. કો માં કુમારપાલે કશુરાજાને માર્યો (સ. ૨ ક. ૪૭) એટલુજ કહ્યું છે, પણ તેણે જ આબુ ઉપરની પ્રશસ્તિમાં આબુના ધારાવર્ષે કોકણના રાજાને માર્યો એમ લખ્યું છે. (શ્લો. ૧૩) સુ. સં. માં કુમારપાલના વાણુઆએ આનૂ દેશના ચક્રવતીને છ એમ લખ્યું છે (સ. ૨ . ). વ. વિ. કોકણના રાજાને માર્યો એમ કહે છે. (સ. ૩ શ્લો. ર૯). સુ, સં. ને આ વાણુઓ તે આબડ અને કોંકણને રાજા તે ઉત્તરપ્લેકણને શિવાહારવંશને મલિલકાર્જુન. જેના શક સં. ૧૦૭૮ ને તથા ૧૦૮૨ નો એ રીતે બે ઉત્કીર્ણ લેખ કમશઃ ચપલુણમાંથી તથા વસઈમાથી મળ્યા છે. આ મલ્લિકાર્જુનને આંબડે મારી નાખ્યાનું પ્રબન્ધનું કથન સાચુ હોય તો આ લડાઈ વિ. સં: ૧૨૧૬ થી ૧૨૧૮ વચ્ચે થઈ હોવી જોઈએ કારણકે વિ. સં. ૧૧૮ (શક સં. ૧૦૮૪) ને મલ્લિકાર્જુનના અનુયાયી અપાદિત્ય બીજા લેખ મળે છે. (જુઓ મુંબઈ ગેઝટીઅર ગ્રં. ૧ ભા. ૧ પૃ. ૧૮૫, ૧૮૬ તથા ગ્ર, ર૩ ભા. ૨ પૃ. ૪૨૬-૨૭, ડફની કોલોજી ૫ ૧૫૨ તથા ૩૦૩) સુ. કી. ક. માં પણ કેકણના રાજાને હરાવ્યાને ઉલ્લેખ કર્યો છે (લે. ૬૫). પ્રભાવક ચરિત પ્ર. ચિં. પેઠે મલ્લિકાનને મારવાને યશ આંબડને આપે છે. (જુએ છે. સૂ. પ્ર. . ૭૨૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy