SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રખ'ધ ચિ’તામણી વાત એમ છે કે વ્હેલાં મહાકાળ દેવને આપેલા હાવાથી માળવા એ દેવ દ્રશ્ય ગણાય, અને એ (દેવ દ્રવ્ય)ને ભાગવનારા અમે તે ( મહાકાળ ) ના પ્રભાવથી ઉદય તથા અસ્તને પામીએ છીએ. અને તમારા વંશના રાજાએ પણ આટલા બધા દેવ દ્રવ્યને કાયમ નિભાવ નહિ કરી શકે. અને પરિણામે બધાં દેવાનેા બંધ કરીને (દેવના ક્રાપથી) વિપત્તિમાં પડશે. ૨૯ એક વખત સિદ્ધરાજે સિદ્ધપુરમાં રૂદ્ર મહાકાલનુંપર મંદિર કરાવવાને વિચાર કરી એક સ્થપતિ ( સલાટ-એન્જીનીઅર ) ને પેાતાની પાસે રાખી મંદિરના આરંભ કરવાના મુતૅ વખતે એક લાખના કરજ માટે ગીરવી મુકેલા સ્થપતિના માપણી કરવાના રાયનેપ૩ (તેનું કરજ ચુકવીને) છેડાયું. પણ જ્યારે ત્યાં જોયું ત્યારે તે વાંસનું બનાવેલું જોવામાં આવ્યું. રાજાએ આનું કારણ પૂછતાં ‘મેં સ્વામીની ઉદારતાની પરીક્ષા કરવા માટે આમ કર્યું હતું,' એમ તેણે કહ્યું એટલે રાજાએ તેની ઇચ્છા નહેાતી છતાં તે દ્રવ્ય ( એક લાખ ) તેને આપી દીધું. પછી ક્રમે કરીને ૨૩ હાથ પ્રમાણનું સંપૂર્ણ મંદિર થઈ જતાં, અશ્વપતિ, ગજપતિ અને નરપતિ એવા ઉત્તમ રાજાઓની મૂર્તિએ કરાવીને તેની આગળ હાથ જોડેલી પાતાની મૂર્તિ કરાવી દેશને નાશ કરવામાં આવે તે પણ મંદિરના નાશ ન કરવાની' સિદ્ધરાજે યાચના કરી.૧૪ એ મંદિર ઉપર ધજા ચડાવવાના સમારંભ કરતી વખતે બધાં જૈન મંદિરે ઉપરથી ધજાએ ઉતરાવી. જેમ માળવામાં મહાકાલની ધજા ફરકતી હેાય ત્યારે કાઈ પણ જૈન મંદિર ઉપર ધજા નથી ઉડતી તેમ (ગુજરાતમાં પણ કર્યું. ) પર આ રૂદ્ર મહાકાલનું મંદિર સિદ્ધરાજે જ ખંધાવ્યું હાય એવું વર્ણન છે, પણ ખરી રીતે એ મૂળરાજે, માળવાના, કવિ કાલિદાસથી પણ પ્રાચીન સમયના મહાકાલ મંદિરની હરીફાઈમાં બંધાવ્યું હોવું જોઇએ; કારણ કે મૂળરાજે શ્રીસ્થળના રૂદ્ર મહાલયને પૂજીને વિ. સ. ૧૦૪૩ માં એક દાન આપ્યું છે. ( જીએ I. A. Vol. VI, ગુજરાતનાં ૧૧ દાનપત્રામાં પહેલું દાનપત્ર ) સિદ્ધરાજે એનેા વિશાળ શ્રદ્ધાર કર્યો હાય એ સભવ છે. ૫ મૂળમાં સિા રાખ્યું છે. આ તેના કોષમાં તે આ રાખ્યું નથી મળતા, ટાનીએ મદિરના કલશ એવા અ કર્યા છે. પણ રા. દી. શાસ્ત્રીએ માપણી કરવાનું રાચ ( કદાચ ગજ ) એવા અથ કર્યો છે જે મેં સ્વીકાર્યો છે. ૫૪ આ રૂદ્ર મહાલયને ન ભાંગવાની સિદ્ધરાજની પ્રાર્થના સફળ થઇ નથી. અને ઇ. સ. ૧૨૯૭-૯૮ માં તથા ૧૪૧૫ માં એ મદિને નાશ કરવામાં આન્યા છે. છતાં અત્યારે જે અવશેષે! મળે છે તે ઉપરથી ૩૦૦ ફીટ લાંબા તથા ૨૩૦ પ્રીટ હેાળા આંગણામાં બે કે ત્રણ માળનું મંદિર હશે એમ જણાય છે, ( જુએ ગુજરાતનાં તીર્થસ્થાના પૃ. ૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy