SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભેજ અને ભીમના પ્રબંધ (૬૦) પાણિગ્રહણ વખતે જેમાં રૂવાડા ઉભાં થયાં છે એવા શંકરનું ભસ્મશભિત શરીર જય પામે છે, તે શરીરમાં ભસ્મીભૂત થયેલા કામદેવના (ઉભાં થેલાં રૂવાડાં રૂપે) અંકુર ફુટતા હોય તેવું લાગે છે. (૬૧) ગાય વિવેક શૂન્ય હોઈને અપવિત્ર વસ્તુ (વિછા) ખાય છે, અતિ આસક્ત થઈને પિતાના પુત્ર સાથે વિષયની ઈચ્છા રાખે છે; અને ખરીથી તથા શીંગડાંથી જતુઓને મારે છે, માટે હે રાજન કયા ગુણથી ગાયને નમસ્કાર કરવામાં આવે છે. (૬૨) ૩૩અને દુધ આપે છે માટે જે ગાય વન્દવા યોગ્ય હોય તે ભેસ શું કામ વન્દ નહિ ? ભેસથી ગાયમાં કંઈ વિશેષતા દેખાતી નથી. ૨૪ ઈત્યાદિ પ્રસિદ્ધ અને સિદ્ધ સાહિત્ય ગુણવાળાં કાવ્યો વડે રાજાનું મનરંજન ધનપાલ કરતા હતા ત્યાં એક દિવસ કોઈ વહાણવટી આવ્યાના દ્વારપાળે ખબર આપ્યા. અને તેણે સભામાં આવીને મીણના પાટીઆમાં ઉતારેલાં પ્રશસ્તિ કાવ્યો બતાવ્યાં. રાજાએ “આ કાવ્યો ક્યાંથી મળ્યાં ?” એમ પૂછયું એટલે તેણે નીચેની વાત કરી “એક વખત સમુદ્રમાં એકાએક અમારું વહાણ અટકી ગયું, એટલે ખલાસીઓ સમુદ્રમાં શું કારણ છે તે તપાસવા લાગ્યા, તે સમુદ્રમાં ડુબેલું શિવાલયે જોયું. અને તેની ફરતું ચારે તરફ પાણી હતું પણ શિવાલયની અંદર પાણી નહોતું અને એક ભીંત ઉપર અક્ષરો જોઈને એ શું લખ્યું હશે એમ જીજ્ઞાસા થવાથી મીણની પાટલી કરી તે અક્ષરો ઉપર દાબી તો તેમાંથી જે અક્ષરે મીણ ઉપર ઉઠી આવ્યા તે આ છે” રાજાએ આ વાત સાંભળી તે મીણની પાટલી ઉપર માટીની પટ્ટી દબાવી તેમાં અક્ષરો ઉપડાવી પંડિત પાસે વંચાવતાં નીચેના કે મળ્યા. (૩) બાળપણથી મેંજ આને પરમ ઉન્નતિએ પંચાડે છે. પણ હવે આ રાજાને કુવર અમારી વાત નીકળતાં શરમાઈ જાય છે. આ રીતે ૩૩ આ ૧૧ અને ર માં, પ૨, પ૩, ૫૪, લોકોમાં તથા મૂળમાં ૧૧, ૬૨ નીચે આપેલ ટિપ્પણીમાં ઉતારેલા બીજા લોકોમાં પહેલાં બ્રાહ્મણધમીં હોઇને પાછળથી જૈન થયેલા બ્રાહ્મણના મોઢા મારત બ્રાહ્મણ ધર્મની હિંસા પ્રધાનતાને તથા બુદ્ધિથી કરતાં દેખાતી ખામીઓનો પરિહાસ સાથે સચોટ ઉલ્લેખ કર્યો છે. જૈન સાધુ બ્રાહ્મણની કઈ બાબતમાં નિન્દા કરતા હશે તેના આ નમુનારૂપ દાખલાઓ છે. બૌદ્ધોએ ચક્ષીય હિંસાની આ પ્રકારે નિંદા કરેલી મળે છે. જુઓ સંસ્કૃતિ જાતકમાળામાં યજ્ઞીચ જાતક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy