SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો પ્રશ્ન ૧૯૩૫ : સાધુએ સાબુ તથા સેડાને ઉપગ કેમ ન કર જોઈએ? ઉત્તર ; સાધુને વિભૂષા કરવાને નિષેધ છે તથા સાબુ અને સેડાનું પાણી જીવની વિરાધનાનું કારણ છે. તેથી તેનાથી વસ્ત્ર ધાવા તે અકલ્પનીય તથા પ્રાયશ્ચિતનું કારણ છે. પ્રશ્ન-૧૬૩૬: પાણિયારાનું પાણી સચિત, અચિત કે મિશ્ર ગણવું? ધાવણ તથા ગરમ પાણી કેટલા સમય પછી સચિત્ત બની જાય છે ? ઉત્તર : પાણિયારાનું પાણી સચિત હોય છે. પાણીયારામાં ધેયેલું પાણી મિશ્ર હવા સંભવ છે. વાસ્તવિક ધોવણ (પૂર્ણ શસ્ત્ર પરિણત) તે જ દિવસે સાધુને લેવું કપે છે. છતાં સૂયગડાંગ અધ્યયન ૧૯ પ્રમાણે પછીથી સચેત પણ હોઈ શકે છે. ગરમ પાણી ઠંડુ થયા પછી ચોમાસામાં ત્રણ પહેર, શિયાળામાં ચાર પહોર તથા ગ્રીષ્મઋતુમાં પાંચ પહાર સુધી અચિત્ત રહે છે, એવું ટકામાં બતાવ્યું છે. પ્રશ્ન-૧૬૩૭ : સ્થાનકમાં ઉતારવાને આપ નિષેધ કરે છે તથા આપ ખીચનમાં જે સ્થાનકમાં રહે છે તે પણ સ્થાનક કહેવાય છે. આ પ્રકારની વિષમતા શા માટે? પ્રશ્ન વ્યાકરણમાં ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ ઉત્તર : આધાકર્માદિ દોષ રહિત સ્થાન મુનિને ઉતરવા ગ્ય હોય છે. જે મકાન (સ્થાન–સ્થાનક) મુનિને માટે બન્યું હોય, ખરીદ્યું હોય, મુનિને માટે ભાડેથી લીધું હોય વગેરે દોષવાળા સ્થાનમાં ઉતરવાથી મુનિના મુનિપણાને નાશ થાય છે. આ વાત દશવૈકાલિક અ. ૬ તથા ભગવતી વગેરે અનેક સૂત્રોમાં કહેલ છે. દોષવાળા સ્થાનનું સેવન ભૂલથી થઈ જાય તે પણ મુનિને પ્રાયશ્ચિત આવે છે. સ્થાન અથવા સ્થાનક શબ્દ સાથે મારો વિરોધ નથી. સ્થાનકનો સીધે અર્થ છે રહેવાની જગ્યા. સ્થાન અને સ્થાનક આ બંને શબ્દને એક જ અર્થ છે. જે સાધુ જ્યાં ઉતરે તે તેનું સ્થાન કહેવાય છે. જેમ કે સિદ્ધ ભગવાનની રહેવાની જગ્યાને સિદ્ધ સ્થાનસિદ્ધાલય કહે છે. એ જ પ્રમાણે નારક, દેવ, ઉંદર, કુતરા, પૃથ્વીકાય તથા અપકાય વગેરેના જીવે જ્યાં રહે છે ત્યાં તે, તેનું સ્થાન (સ્થાનિક) કહેવાય છે. નારકી, દેવ, મનુષ્ય, તિર્યંચ યાવત્ સિદ્ધ આદિ બધા જીના સ્થાન (સ્થાનિક) પન્નવણું સૂત્રના બીજા પદમાં બતાવ્યા છે. સ્થાન વગરને જીવ જ કેણ છે? તેથી સ્થાન (સ્થાનિક) શબ્દ સાથે કઈ વિરોધ નથી. પરંતુ સાધુ–સાવીઓને માટે બનાવેલ આહાર વગેરેની જેમ સાધુ સાધ્વીને ઉતરવા માટે નક્કી કરેલા સદોષ સ્થાનકથી વિરોધ છે. આવા સ્થાનમાં (સ્થાનક) સાધુએ. ઉતરવું જોઈએ નહિ. એવા સદોષ સ્થાનમાં ઉતરવાની ભગવાનની મનાઈ છે. જ્યારે સાધુ નિમિત્તે બનેલા સ્થાનકમાં સાધુને ઉતરવાને નિષેધ છે તે પછી સ્થાનક બનાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy