SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પર સમસમાધાન અનુભવ કરે છે તથા મરી પણ જાય છે. માતાનું મૃત્યુ થવાથી ગર્ભમાં રહેલુ બાળક પણ મરી જાય છે. ઈત્યાદિ અનેક પ્રકારના કષ્ટ ગર્ભના ખતાવ્યા છે. અત્યંત અશુચિ તેમજ સંકુચિત સ્થાનમાં નિવાસ કરવા પડે છે. શરીર વધવાના જે પ્રશ્ન છે તે એકાંત સુખનું કારણ નથી. કારણકે દુ:ખી હાવા છતાં પણ નારકીના તથા વિષ્ટા, છાણ, કીચડ, વગેરેના કીડાઓના શરીર પણ વૃદ્ધિ પામતા જ રહે છે, તેથી આયુષ્યનુ` બળ હેાવા છતાં સુખ તથા દુઃખ બંને સ્થિતિમાં શરીર વધે છે. જો આયુષ્ય-ખળ ન હોય તે સુખી અવસ્થામાં પણ શરીરનેા ત્યાગ કરવા જ પડે છે. જન્મનું દુઃખ પણ ઘણુ' ભયંકર છે. ઘણી મુશ્કેલીએ જન્મ થાય છે. કયારેક બાળક આડુ હોવાથી મરી પણ જાય છે. કેટલાક 'બાળકાને આપરેશન કરીને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવે છે. ઈત્યાદિ અનેક દુઃખેાથી તેઓને પેાતાના પૂર્વ ભવની સ્મૃતિ પણ રહેતી નથી. जायमाणस्स जं दुक्ख, मरमाणस्स वा पुणे । तेण दुक्खेण संमुढा, जाइ सरइ ण अप्पणे । પ્રશ્ન-૧૬૨૫: પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવ શેના આહાર કરે છે? આજસ તથા રામ આહાર કેવી રીતે થાય છે ? ઉત્તર : લેાકમાં સત્ર આહાર યાગ્ય પુદ્ગલ છે. પૃથ્વી વગેરેના જીવા ગમે ત્યાં ઉત્પન્ન થાય, તેઓ ત્યાંના પુદ્ગલાના આહાર લે છે. ત્યારબાદ શરીરની નિષ્પત્તિ સુધી મિશ્રથી એજસ આહાર લે છે. પછી શરીરની પર્યાપ્તિ બાદ ત્વચા (ચામડી) દ્વારા આહાર ગ્રહણ કરે છે તેને રેશમ આહાર કહે છે. બધા પ્રકારના આહારમાં પાંચ રસ, એ ગધ, પાંચ વણુ તથા આઠ સ્પર્શ હેાય છે. આવા પુદ્દગલાનું અસ્તિત્વ લેાકમાં સર્વત્ર હોય છે. પ્રશ્ન-૧૬૨૬ : ભગવતી સૂત્ર શ. ૧ ૬, ૨ તથા વવાઈ સૂત્રમાં તાપસેાનું ઉત્પત્તિ સ્થાન ઉત્કૃષ્ટ જ્યોતિષી સુધી બતાવ્યુ છે, તેા તામલી તાપસ કાળ કરીને ઈશાનેન્દ્ર કેમ બન્યા ? ઉત્તર : ક, મૂલ, છાલ, પુત્ર પુષ્પ, ફળ બીજ વગેરેના આરંભ કરનાર તથા પત્ર, પુષ્પ, ફૂલ વગેરેનું ભક્ષણ કરનાર તાપસેાનું ઉત્પત્તિ સ્થાન ઉત્કૃષ્ટ જ્યાતિષી સુધી બતાવ્યુ છે. જેએ તામલી તાપસની જેમ ભિક્ષા ઉપજીવી હોય છે, તેઓ જ્યાતિષીથી આગળ પણ જાય છે. તેથી હરકત જેવી કાઈ ખાખત નથી. પ્રશ્ન-૧૬૨૭ : ઉત્તરાધ્યયન સૂત્રના ૯મા અધ્યયનની પહેલી ગાથાથી એ સાબિત થાય છે કે મેાહનીય કર્મીની ઉપશાંતિથી જાતિ સ્મરણુજ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન તેા જ્ઞાનાવરણીય કૅના ક્ષચેાપશમથી થાય છે, તેા પછી મેાહનીય કનેા તેની સાથે શા સબધ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy