SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો ભગવંતેના જન્મ એક સાથે ન સમજતાં ચેડાંક સમયના અંતરે સમજવા. ચારને જન્મ તે એક સાથે હોઈ શકે છે. પ્રશ્ન ૧૫૩૮ – વીસ વિહરમાનેને જન્મ મહેત્સવ જ બુદ્વીપના મેરૂ પર્વત ઉપર હોય કે પાંચેય મેરૂપર્વત પર? ઉત્તર – જંબુદ્વીપના તિર્થકરને જન્મ મહોત્સવ જંબુદ્વીપના મેરૂ પર્વત પર ઉજવે છે. પૂર્વ ધાતકીખંડના તિર્થંકરને જન્મ મહોત્સવ પૂર્વ ધાતકીખંડના મેરૂ પર્વત પર થાય છે. પશ્ચિમ ઘાતકીખંડના તિર્થકરોને જન્મ મહોત્સવ પશ્ચિમ ધાતકીખંડના મેરૂ પર્વત પર કરે છે તેમજ અર્ધ પુષ્કર દ્વીપને પૂર્વ તથા પશ્ચિમના તીર્થકરોનો જન્મ મહોત્સવ અર્ધ પુષ્કરના પૂર્વ તથા પશ્ચિમ મેરૂ પર જ કમશઃ થાય છે. આ પ્રકારે પોત પોતાના ક્ષેત્રના પાંચેય મેરૂ પર્વત પર તીર્થકરોને જન્મ મહોત્સવ થાય છે. પ્રશ્ન ૧૫૩૯ –સૂક્ષ્મ જીવોનું આયુષ્ય સંપકમી છે કે નિરુપક્રમી ? " ઉત્તર – પન્નવણા સૂત્રના છઠ્ઠા પદથી તથા શ્રાવક ધર્મ પ્રજ્ઞપ્તિની ગાથા ૭૪ –૭૫ થી એ સ્પષ્ટ થાય છે કે સૂક્ષમ છમાં સોપકમ તથા નિરુપક્રમ એ રીતે બને આયુષ્યવાળા હોય છે. પ્રશ્ન ૧૫૪૦ - સાતમા, આઠમ, નવમા તથા દસમા ગુણ સ્થાનકથી કાળી કરીને જીવ કયા કયા દેવલોકમાં જાય છે? ઉત્તર :- દસમા ગુણસ્થાનકથી કાળ કરીને અનુત્તર વિમાનમાં જ જાય છે. આ વાત તે ભગવતીજીને ૨૫મા શતકના સાતમા ઉદ્દેશથી સ્પષ્ટ છે. આઠમા તથા નવમા ગુણ સ્થાનવાળા પણ એજ રીતે અનુત્તર વિમાનમાં જાય એવો સંભવ છે. સાતમા ગુણસ્થાનવાળા કાળ કરીને પહેલા દેવકથી અનુત્તર વિમાન સુધીના દેવામાં કોઈ પણ સ્થાન પર જઈ શકે છે. પ્રશ્ન ૧૫૪૧ :- આઠ રુચક પ્રદેશ કમબંધન રહિત છે એમ કયા સૂત્રના પ્રમાણુથી કહ્યું છે? ઉત્તર :- આઠ ફુચક પ્રદેશે કર્મબંધન રહિત છે તેવું ટીકાકાર તથા ગ્રંથકાર કહે છે. પ્રશ્ન ૧૫૪ર - અરૂપીના ૬૧ બોલોમાં ઉપયોગની અંદર હોવા છતાં મતિજ્ઞાનના ભાંગામાં ચાર પ્રકારની બુદ્ધિ અલગ કેમ બતાવી ? ઉત્તર :- જેવી રીતે જીવને અરૂપી બતાવવા છતાં સાધારણ બુદ્ધિવાળા જીવોને સ્પષ્ટ સમજણ પડે તે માટે ઉત્થાન આદિ પાંચ શક્તિ, બાર ઉપયોગ વગેરે અલગ અરૂપી બતાવ્યા છે એ જ પ્રમાણે અવગ્રહ વગેરે મતિજ્ઞાનના ભેદ અને ચારે પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy