SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ - ~~~ AAAAAAAAANNN ભાગ ત્રીજો રાજા હતા. (૧) બલભદ્ર રાજાને અનેક રાણીઓ હતી. તેમાં મૃગારાણીને પટ્ટરાણી બતાવી છે. માંડલિક રાજા હોવાના કારણે જ પટરાણું કહેવાઈ હોય તેમ સંભવિત છે. (૨) મૃગાપુત્ર ચુવરાજ હતા. તેમને નંદનવન નામનો મહેલ હતા. તેઓ ગુન્દક જાતિના દેવેની જેમ કીડા કરતાં હતાં. મણિરત્નથી જડેલા જેના મહેલના ભોંયતળિયા હતા. “મિપુત્તે ” પણ નવમી ગાથામાં કહેલ છે. ઉપરની બાબતે તથા આવી સામગ્રી સાધારણ રાજાને ત્યાં કયાંથી હોઈ શકે, તેથી તેઓ માંડલિક રાજા હોય તેવું સંભવિત છે. પ્રશ્ન ૧૫૧૦ : મૃગાપુત્રને જન્મ કયા તિર્થંકરના શાસનમાં થયે હતું? ઉત્તર ઃ ઉત્તરાધ્યયન અ. ૧૯ની ગાથાઓથી મૃગાપુત્રને જન્મ પ્રથમ તિર્થંકરના શાસનમાં થયો હોય તેમ પ્રતીત થાય છે. દેવેલેકથી ચવીને મૃગાપુત્ર થયા. એ આઠમી ગાથાથી તથા મનુષ્ય સહિત દેવભવના તેમજ મનુષ્ય ભવમાં પાળેલા સંયમનું સ્મરણ થઈ ગયું તે નવમી ગાથાથી સ્પષ્ટ છે. તથા ૧૦મી ગાથામાં તેઓ ફરમાવે છે કે પાછલા ભવમાં પાંચ મહાવ્રત તેમજ નરક તિર્યંચના દુઃખ મેં સાંભળ્યા. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમણે દેવભવના પહેલાના મનુષ્યભવમાં પાંચ મહાવ્રતરૂપ સંયમ પાળ્યું હતું. ત્યાં મુનિઓ દ્વારા આગમ– વાક્ય સાંભળ્યા અને શીખ્યા. પાછળના ભવનું સાંભળેલું તથા શીખેલું જ્ઞાન અને પાંચ મહાવ્રતરૂપ પાળેલો સંયમધર્મ તેમના સંજ્ઞીજ્ઞાનના સ્મરણમાં આવ્યો હતો. મૃગાપુત્રના ભવમાં પણ મહાવ્રતરૂપ સંયમ ધારણ કર્યો છે. ૮૯ મી ગાથામાં કહ્યું છે, પાંચ મહાવ્રતરૂપ સંયમ પહેલા તથા છેલ્લા તીર્થકરોના શાસનમાં જ હોય છે. તથાપિ ભગવાન મહાવીરને શાસનકાળ છેડે (૨૧ હજાર વર્ષનો) છે. એટલા કાળમાં પાંચ મહાવ્રત પાળીને વૈમાનિક દેવ થાય અને પછી એમના જ શાસનમાં મનુષ્ય થઈને પાંચ મહાવ્રતનું પાલન કરે એ બની શકે નહિ તથા ભગવાન ઋષભદેવના શાસનમાં પાંચ મહાવ્રતનું પાલન કરીને દેવ થાય અને પછી ભગવાન મહાવીરના શાસનમાં સાધુ બને એ પણ ન બની શકે. કારણ કે બને ભગવાનના શાસનની વચ્ચે સમય ઘણે લાંબે છે. એટલા સમય સુધી તે ત્રસ જીવ ત્રસકાયમાં પણ રહી શકતા નથી. વચમાં સ્થાવરના અસંખ્ય ભવ કરવા પડે છે. એટલા માટે એમ પણ ન બની શકે, તેથી પાછળ મનુષ્યને ભવ તથા મૃગાપુત્રને ભવ એમ બંનેય મનુષ્યના કે સાધુના ભવ ભગવાન ઋષભદેવના શાસનમાં જ થયા એમ સિદ્ધ થાય છે. પ્રશ્ન ૧૫૧૧૯ દેગુન્દક કેને કહે છે ? ઉત્તર ઃ દોગુન્દક દેવ વાયઅિંશક દેવને કહે છે. જેમકે “વૃદ્રા ત્રાન્નિાઇરેવા નિયં भोगपरायणा दो न्दगा इति भात ।" ઘન ૧૫૧૨ - મૃગાપુત્રને કેટલા ભાવનું જાતિસ્મરણ જ્ઞાન થયું ? સ. સ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy