SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ-સમાધાન બેસવાથી હિંસા થાય છે, તેથી કોઈ, ઉઠબેસ કરીને મુનિને વંદન કરવું નહિ એ. ત્યાગ માંગે તે એવા પ્રકારનો ત્યાગ પણ મુનિ ન કરાવી શકે. પરંતુ સંપૂર્ણ હલનચલનનો મર્યાદિત ત્યાગ માંગે તે કરાવી શકે. ઇત્યાદિ ઉદાહરણથી આવો અનુકંપાને ત્યાગ કેમ કરાવી શકે ! પ્રશ્ન-૧૫૦૭ : કઈ પ્રતિમાધારી એકલા મુનિરાજને પ્રાણાંત કષ્ટમાં જોઈને કે સ્ત્રી અચિત્ત ઔષધ વગેરેથી અથવા તેમને પોતાની સેવાથી કષ્ટમુક્ત કરે, તો તે કાર્ય જિનેશ્વરની આજ્ઞાનુસાર છે કે જિનેશ્વરની આજ્ઞા વિરૂદ્ધ ? ઉત્તર : કઈ પ્રતિમધારી અણગારને પ્રાણાંત કટમાં દેખીને કોઈ સ્ત્રી અચિત્ત ઔષધ વગેરેથી પરિચર્યા–સેવા કરે એ કાર્ય જિનાજ્ઞાનુસાર નથી. જે મુનિ એ કાર્યની અનુમોદના કરે તે પણ તેમને માટે પ્રાયશ્ચિતનું કારણ છે, પરંતુ સેવા કરનાર સ્ત્રીને આ કાર્યમાં ખાસ પુન્ય પ્રકૃતિનો બંધ પડે છે. પ્રશ્ન ૧૫૦૮ - જેવી રીતે નિયત સમયે વ્યાખ્યાન, રાસ વગેરે વાંચે છે એ જ રીતે આબાલવૃદ્ધ વ્યક્તિઓની કક્ષા છોડીને નિયત સમયે શાસ્ત્રાભ્યાસ કરાવવામાં આવે તે શું નુકશાન ! અપવાદ તરીકે જેમ વ્યાખ્યાનને સમય ઓછોવત્તો કરવામાં આવે છે તેમ આમાં પણ સંભવિત છે. તથા સ્થળ પરિવર્તનની દષ્ટિએ વ્યાખ્યાન વગેરે પણ ગ્ય સ્થળ પર જઈને કરવામાં આવે તે પછી તેમાં શી હરકત છે ? ઉત્તરઃ સાધુઓની પાસે કોઈ પુરૂષ તથા સાધ્વીઓની પાસે કઈ સ્ત્રી ધાર્મિકજ્ઞાન મેળવવા ઈચ્છે છે તેઓ પોતાની મર્યાદા અને અવકાશ પ્રમાણે તેમને ધાર્મિક જ્ઞાન આપી શકે છે. પરંતુ વગ લઈને સાધુ ભણાવી શકતા નથી. આ પ્રકારે ભણાવવામાં અનેક પ્રકારના વિશ્ન આવે છે. જેમકે (૧) નિયત સમયે જવું (૨) ગૃહસ્થને આધીન રહેવું (૩) મળમૂત્રની આજ્ઞા માંગતા આપવી (૪) તેના પર હુકમ ચલાવ (૫) હુકમ ભંગ કરનારને શિક્ષા કરવી (૬) વરસાદ તથા ધુમ્મસ વગેરેમાં જવા માટે અટકી જવું પડે તથા ન જાય તે વિદ્યાથીને અભ્યાસમાં હાનિ પહોંચે (૭) પરીક્ષામાં કોઈનાપાસ થાય (૮) તેમને પાસ કરાવવા માટે અનેક પ્રપંચ કરવા પડે (૯) પુસ્તક વગેરે આપવા તથા મંગાવવાનો પ્રબંધ કર (૧૦) ક૯૫ ઉપરાંત રહેવું (૧૧) પિતાના સ્વાધ્યાય ધ્યાન આદિમાં ક્ષતિ પહોંચે વગેરે બાબતે સંયમમાં બાધક છે. તેથી સાધુને માટે કક્ષારૂપે (ક્લાસ-વર્ગ) ભણાવવું એ અકલ્પનીય છે. પ્રશ્ન-૧પ૦૯ શું ઉત્તરાધ્યયન સૂત્રને અધ્યયન ૧૯મા વર્ણવેલા મૃગાપુત્રના પિતાજી બલભદ્ર રાજા માંડલિક રાજા હતા ? ઉત્તર : નીચેના પ્રમાણેથી એ સાબિત થાય છે કે મૃગાપુત્રના પિતાજી માંડલિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy