SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ-સમાધાન ઉત્તર : કેરી, લીંબુ, મરચાં વગેરેનું અથાણું તથા મુરબ્બા જે અનેક દિવસ પહેલાં થઈ ગયા હોય તથા લીલકુલની શંકા ન હોય તે તેને લીલોતરીની બાધાવાળો ગ્રહણ કરે તો તેની બાધામાં ભંગ થાય એવું જાણ્યું નથી. ન ખાવું તે તે શ્રેષ્ઠ છે જ. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે લીલા શાકભાજી, કેરીને છુંદો, વઘારેલાં મરચાં, રસ વગેરે અચિત્ત તે થઈ જાય છે, પરંતુ લીલોતરીની બાધાવાળા તેને ગ્રહણ કરતાં નથી. પ્રશ્ન-૧૫૦૩ બે દિશાએ મિનિgq૬ ૩૧ વત્તા સમુનિતા સંક્સચે સિત્તર કમિત્ત રંક પાર્ગં રેવ કરી વૈય ાનાંગના આ સૂત્રાનુસાર જે વડીદિક્ષા પછી જ નવદીક્ષિતને એક માંડલા પર બેસાડવામાં આવે છે. તો શું એથી સાબિત નથી થતું કે ગૃહસ્થ સૂત્ર પ્રાપ્તિનો આધકારી નથી હોતો. એક પ્રશ્ન એ પણ છે કે નવદીક્ષિત મુનિ આ સૂત્ર મુજબ વડીદિક્ષા પહેલા પ્રતિક્રમણ કરી શકે કે નહિ ? ઉત્તર : તમે કહ્યું કે સ્થાનાંગ સૂત્ર મુજબ જે વડીદિક્ષા પછી નવદીક્ષિતને એક માંડલા પર બેસાડવામાં આવે છે, તો શું એ પણ સાબિત નથી થતું કે ગૃહસ્થ સૂત્ર પ્રાપ્તિને અધિકારી નથી. આ પાઠથી એ સાબિત નથી થતું કે ગૃહસ્થ સૂત્ર પ્રાપ્તિને અધિકારી નથી, કારણ કે અહિંયા તે ૧૮ બોલ સાધુ-સાધ્વીઓને બંને દિશા તરફ હોં કરીને કરવાનું કહ્યું છે. છતાં પણ અહિંયા દરેક બેલેને પૂર્વાપર કમ સમજ નહિ. હા, કેટલાક બેલેને કેમ તે છે, જે સ્થાનાંગ ૩, ૪ ના સૂત્ર ૨૦૨ માં તેમાંના છ બેલોને કેમ બતાવ્યો છે. એ જ બોલેને ક્રમ બહદુક૯૫ના ચેથા ઉદ્દેશામાં સૂત્ર ૪ થી લઈને બતાવેલ છે. જે અઢાર જ બોલોન કેમ લેવામાં આવે તે શું ગૃહસ્થ આલેચના-પ્રતિકમણથી માંડીને સંથારા સુધીના બેલ કરી જ ન શકે? અર્થાત્ આલોચનામાં સંથારા સુધીના બેલ તો અનેક ગૃહસ્થ બેલે છે તેથી બધાજ બેલેને કેમ સમજે નહિ (શ્રાવકોએ સૂત્ર વાંચવા સંબંધનું પ્રમાણ પ્રશ્ન ૧૪૭૮ ના ઉત્તરમાં છે.) આગળ તમે કહ્યું કે નવદીક્ષિત મુનિ વડદિક્ષા પહેલાં પ્રતિકમણ કરી શકે છે કે નહિ ? તે અઢાર બેલોને પૂર્વાપર કમ સમજ નહિ. સામાયિક ચારિત્રવાળા પ્રતિક્રમણ કરે પણ છે અને નથી પણ કરતાં. તેમના માટે પ્રતિકમણ અનિવાર્ય નથી. છેદેપસ્થાપનીય ચારિત્રવાળા માટે પ્રતિક્રમણ કરવું અનિવાર્ય છે. તેથી પ્રતિક્રમણ સમાપ્તિ પછી જ વડીદિક્ષા આપવામાં આવે છે. પ્રક. ૧૫૦૪: મિથ્યાવી, સમકિત પ્રાપ્તિના અંતમુહર્ત પહેલા જે યથા પ્રવૃત્તિકરણ કરે છે તે નિરર્થક છે કે સાર્થક ? જે નિરર્થક છે તે તે સમકિત કેવી રીતે પ્રાપ્ત કરશે ? જે સાર્થક છે તો મિથ્યાત્વીને આ અપેક્ષાએ આરાધક કેમ ન માનવો? અથવા તેની સાર્થકતા બરાબર હેવા છતાં પણ વ્યવહારનયથી માનવામાં આવતી નથી શું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy