SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ઉત્તર-પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં જઘન્ય અવગાહનાવાળામાં અર્થાત્ (જઘન્ય અવગાહના તે અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે.) અપર્યાપ્ત અવસ્થામાં પણ ચક્ષુદર્શન બતાવેલ છે, જેથી તે બરાબર લાગે છે. (પ્રજ્ઞાપના ગુજરાતી ટીકાનુવાદ પૃષ્ઠ પ૬૩માં જઘન્ય અવગાહનાવાળા બેઈદ્રિય, ઈન્દ્રિય કરતાં ચન્દ્રિયમાં ચક્ષુદર્શન વધારે બતાવ્યું છે. પ્રશ્ન ૧૯૪૯-શું, મન:પર્યાવજ્ઞાની અહારક શરીરી આહારક લબ્ધિને પ્રયોગ કરે છે ? ઉત્તર-મનપર્યવજ્ઞાની અવશ્ય કષાય કુશીલ હોય છે, કે જે અપ્રતિસેવી હોય છે. તેથી જુસૂત્રનયની અપેક્ષાએ જે સમયે મન ૫ર્યવજ્ઞાન તથા કષાય કુશીલપણુમાં ઉપયોગ હોય છે તે સમયે આહારકલબ્ધિને પ્રયોગ કરતાં નથી. પ્રશ્ન ૧૫૦-જે, વ્રતધારી નથી તેને સાંવત્સરિક પ્રાયશ્ચિતના રૂપમાં બત્રીસ સામાયિક કરવાનું કહેવાને અર્થ જ શું છે? ઉત્તર-જે, દરરોજ નિયમિત રૂપે ભલે સામાયિક ન કરતો હોય, પરંતુ અનિયમિતરૂપે ક્યારેક ક્યારેક સામાયિક, પૌષધ વિગેરે કરતે હોય તે એક પ્રકારે વ્રતધારી તે છે જ. તેથી તેણે સંવત્સરી વિગેરેનું પ્રાયશ્ચિત લેવું એગ્ય છે. પ્રશ્ન ૧૫૧-ઉત્તરાધ્યયન અ. ૨૮ ગાથા ૨૯ માં ચારિત્ર અને સમકિતનું એક સાથે હોવું કેમ માનવામાં આવે છે? સમકિત આવ્યા પછી ચારિત્ર આવે એ તો માની શકાય છે, પરંતુ સમકિતની સાથે જ તેનું અંગીકરણ થઈ જ જાય એ સમજવામાં આવતું નથી, શું અસરચા કેવળીની અપેક્ષાએ સમકિત તથા ચારિત્રની ઉત્પત્તિ એક સાથે જ સમજવી? અથવા કેઈ જીવે ભાવ સમકિત પામ્યા પહેલાં જ દીક્ષા ગ્રહણ કરી, પરંતુ પછીથી જ્ઞાન વિગેરે કરતાં તેને ભાવ સમકિત આવ્યું. જેમ સમકિત આવતા પૂર્વનું જ્ઞાન સમ્યગજ્ઞાનમાં પરિણુત થઈ જાય છે, એવી જ રીતે પૂર્વ ચારિત્ર પણ સમ્મચારિત્ર થઈ જતું હશે. આ અપેક્ષાએ બંનેની ઉત્પત્તિ એક સાથે માની શકાય. આ વિષયને કેવી રીતે સમજે ? ઉત્તર-પ્રથમ ગુણસ્થાનવાળે જીવ ત્રીજા, ચેથા, પાંચમા તથા સાતમ ગુણસ્થાનમાં જઈ શકે છે. સાદિ મિથ્યાત્વી જીવ સીધે સાતમા ગુણસ્થાનમાં જઈ શકે છે. એટલા માટે સાદિ મિથ્યાત્વીની અપેક્ષાએ સમક્તિ તથા ચારિત્રની ઉત્પત્તિ એક સાથે માનવામાં આવી છે. તમે કરેલા પ્રશ્ન મુજબ બંને દષ્ટાંત સાદિ મિથ્યાત્વીને લાગુ પડે છે. પ્રશ્ન ૧૯૫૨-આભિગ્રહક આદિ પાંચ મિથ્યાત્વમાંથી અભવ્યમાં કેટલા મિથ્યાત્વ હેય છે? સ. સ.-૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy