SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો તે જ્ઞાનીઓની દષ્ટિમાં વંદનીય–પૂજનીય હેવાથી તે નીચ ગોત્રવાળા છે એમ માનવામાં આવતું નથી. પ્રશ્ન ૧૯૨૧-શું કઈ પરમાધામી મનુષ્ય-ભવને પામવામાં સમર્થ હેય છે? ઉત્તર-૨૪ દંડકમાં શુભાશુભ અધ્યવસાય બતાવ્યા છે. તેથી શુભ અવસાને કારણે કઈ પરમાધામી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન ૧૯૨૨-જે પંચેન્દ્રિય તિયચે ઉત્કૃષ્ટ અશાતા વેદનીય છે બંધ કરી લીધું હોય, પરંતુ આયુષ્ય બાંધ્યું ન હોય તે શું, તે શુભભાવ આવ્યા વિના જ નરક ગતિનું આયુષ્ય ટાળી શકે છે? ઉત્તર-જે મનુષ્ય અથવા પંચેન્દ્રિય તિર્યંચે આયુષ્યને બંધ થયા પહેલાં અશાતદનીયને ઉત્કૃષ્ટ બંધ કરી લીધું હોય તેમને જ શુભભાવ ન આવે તે પ્રાયઃ નરકનું આયુષ્ય બાંધે છે, પરંતુ એકાંત નરકનું આયુષ્ય બાંધે એમ લાગતું નથી* પ્રશ્ન ૧૯૨૩–જેટલા પરમાધામી દે છે તેમાં નારકીઓને દુઃખ આપનારા વધારે છે કે દુઃખ નહિ આપનારા વધારે છે? શું, કેઈ એવા પરમાધામી દેવ હોઈ શકે છે કે જેઓ નારકીઓને જરા પણ દુઃખ ન આપે? ઉત્તર-કઈ પરમાધામી યાવત્ જીવન નારક જીને દુઃખ ન આપતાં હોય એવી વાત સાંભળવામાં આવી નથી અને સંભાવના પણ નથી લાગતી, તથા પરમાધામીઓના જીવનને મોટો ભાગ તે નારકીઓને દુઃખ દેવામાં જ નિમગ્ન રહે એ સંભવ છે. * પ્રશ્ન ૧૦૪-ભગવતી સૂત્રમાં એક સાથે ૨૦ પરિષહનું વેદના સંભવિત બતાવ્યું છે. જ્યારે તત્વાર્થ સૂત્રકાર ઓગણસ પરિષહનું વેદન બતાવે છે. તે આ બંને કેવી રીતે સમજવા? ઉત્તર-શાસ્ત્રકારે તે ચર્ચા તથા શૈયાનું વેદના એક સાથે ઉત્સુક્તાની અપેક્ષાએ બતાવ્યું છે, પરંતુ તત્વાર્થ કાર ઉત્સુકતાને ગૌણ કરીને ૧૯ પરિષહ બતાવે છે. તે તે અપેક્ષાથી બરાબર થઈ શકે છે. પ્રશ્ન ૧૯૨૫-શુકલ ધ્યાનના બીજા પાયામાં એક પદાર્થના કેઈ ખાસ * અંતગડદશા સૂત્રમાં લખ્યું છે કે અજુન માળીએ પાંચ મહિના અને ૧૩ દિવસ સુધી હંમેયાં સાત મનુષ્યને વધ કર્યો હતો, વ્યવહારથી સમજીએ તો મહારંભ, પંચેન્દ્રિય ઘાત વિગેરે કારણે નરકના હેતુભૂત છે. છતાં અજુન માળી ચરમશરીરી હતા તથા છ મહિના સુધી તેઓએ કરેલી છઠ્ઠ છઠ્ઠની તપસ્યાથી કર્મના મળને કાપી નાખ્યા. તેથી જે મનુષ્ય, તિર્યંચ આયુષ્યના બંધ પહેલા તપદિ અનુષ્ઠાન કરે તો કમ જરૂર હળવા થઈ શકે છે તથા આયુષ્ય પણ શુભ બધેિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy