SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભાગ ત્રીજો ઉત્તર-આમ તો અભિગ્રહ ભિક્ષાચરી તપનો જ ભેદ છે, છતાં ભિક્ષાચરીની સાથે સાથે ઉદરી પણ થાય છે. તેથી ઉત્તરાધ્યયનમાં કેટલાક અભિગ્રહોના નામ ઉદરી તમાં પણ બતાવ્યા છે. પ્રશ્ન ૧૮૯-એક પુરૂષ અચિત હળદરવાળી દાળ ખાય છે, બીજો પુરૂષ બટેટાની પાપડીથી મિશ્રીત દાળ ખાય છે. જે બને દાળમાં હળદર તથા બટેટાની પાપડીની માત્રા સરખી હોય તે સામાન્ય રીતે પાપ એાછું વધારે કેને લાગશે? બંને અનંતકાયજન્ય આહાર કરે છે. ઉત્તર-- જે સ્વાદ દૃષ્ટિ તથા સ્વાધ્ય દષ્ટિમાં કોઈ પ્રકારનું અંતર ન હોય તે સામાન્ય નયથી સમાન માત્રાવાળી બટાટાની પાપડીવાળી દાળમાં સરખું પાપ લાગવા સંભવ છે, કારણકે બને અનંતકાય જન્ય છે. પ્રશ્ન ૧૯૦૦-જે સમયે કઈ જીવ જ્ઞાનાવરણીય કર્મ–બંધનની કિયા કરે છે, તે સમયે તેને જ્ઞાનાવરણીય અનુભાગ બંધ હોય છે તથા અન્ય કર્મોને અનુભાગ બંધ મંદ હોય છે, એવી જ રીતે જે જીવ જે કર્મની બંધક ક્રિયામાં વર્તતો હોય છે તેને અનુભાગ બંધ અધિક કરે છે તથા બાકીને મંદ કરે છે? આ માન્યતા બાબતમાં આપશ્રીને શો અભિપ્રાય છે? ઉત્તર–જે જીવ જે કર્મબંધનની ક્રિયામાં વિશેષરૂપે વતે છે તે સમયે તે કર્મને અનુભાગ બંધ વધારે હોય છે તે બરાબર જ છે. પ્રશ્ન ૧૯૦૧-શું, કેવળજ્ઞાનની પર્યાય તથા કેવળજ્ઞાનની જાણવા યોગ્ય દ્રવ્યની પર્યાય એ બંને સરખી છે? ઉત્તર-કેવળજ્ઞાનની પર્યાયે શક્તિની અપેક્ષાએ અનંતગુણી હેવા સંભવ છે મથતું જેટલા ય પદાર્થો છે તે બધાને કેવળી ભગવંત જાણે દેખે છે, પરંતુ જે તેનાથી અનંત ગુણ રેય પદાર્થો હોત તે પણ કેવળજ્ઞાનથી તે પદાર્થોને પણ જાણી શકત. જ્યારે ય પદાર્થ જેટલા હોય તેટલા જ દેખે છે. પરંતુ ય પદાર્થોનું એટલું જ લેવું એ બાબત બરાબર નથી કે એ એટલું જ જોઈ શકે છે. પ્રશ્ન ૧૯૦૨-આઠમા તથા નવમાં ગુણસ્થાનવાળા કપી તથા દસમા ગુણઠાણુળ કપાતીત હોય છે, તો તેમાં શું અંતર હોય છે? ઉત્તર-સુમ સં૫રાય નામના દસમાં ગુણસ્થાનમાં જિનકપમાં સ્થીર ક૫ના ભાવ હોતા નથી તેથી તે અકલ્પાતીત હોય છે. કેઈ છેદેપસ્થાપનીય ચાન્નિવાળા સીધું સુક્ષમસંપરય સ્પશે તો તે આઠમું અને નવમું ગુણસ્થાનક સ્પશે છે. કલ્પાતીત હોતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy