SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સમ-સમાધાન પ્રશ્ન ૧૮૧૨-જે ક્ષેત્રમાં કોઈ મુનિએ ચાતુર્માસ કર્યુ હોય, ત્યાં ફરીથી કેટલા સમય પછી આવી શકાય છે ? અમુક મુદત પહેલા આવે તેા કયેા દોષ તથા પ્રાયશ્ચિત આવે છે? શું, અપવાદ માર્ગમાં દીક્ષાદિ પ્રસંગ પર આવી શકે છે? ૧૧૪ ઉત્તર-જે ક્ષેત્રમાં ચાતુર્માસ કયુ` હૈાય તે ક્ષેત્રમાં તે મુનિ એક વર્ષ બાદ શેષકાળ અર્થાત્ માસકલ્પ સુધી રહી શકે છે. એ ચાતુર્માસ અન્ય સ્થળે કર્યાં પછી તે ક્ષેત્રમાં ચાતુસ કરી શકે છે. તે પહેલાં માસકલ્પ અથવા ચાતુર્માસ કરે તો આચારાંગ સૂત્ર અ. ૧૧ ઉ. ૨ ના હિસાબથી ‘ જીવસ્થાનત્રિય' નામના દોષ લાગે છે. આ વાત સુખશાંતિથી રહે ત્યાં સુધીની કરી છે. શારીરિક કારણે તા કયારેય પણ રહી શકે છે, અન્ય મુનિની સેવા માટે અથવા રત્નાધિકની સાથે ( અભ્યાસ અર્થે) રહી શકે છે. અહિં તર્હિ વિહાર કરતાં તે ગામ રસ્તામાં આવે, અથવા દીક્ષાના પ્રસંગે ત્યાં એક અથવા એ રાત્રિ રહી શકે છે. ઉપરોક્ત વધાન ઉપરાંત જો ત્યાં વધારે રડે તે નિશીથ સૂત્રાનુસાર તેમને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. પ્રશ્ન ૧૮૧૩ ભગવતી શ. ૬ ૩, ૫ માં કૃષ્ણરાજીના પ્રકરણમાં લેાકાંતિક દેવાનુ વર્ણન છે, ત્યાં નીચેનેા પાઠ છે, તે તેને શે। આશય છે ! " सारस्सय माइच्चाणं भंते! देवाणं कइ देवा कइ देवसया पण्णत्ता, गोयमा ! सत्तदेवा सत्तदेवसया परिवारो पण्णतो । " ઉત્તર-સરસ્વત્, આદિત્ય આ યુગલને સાતસેા દેવાના ખાસ પરિવાર છે. અને તેમના પર માલિક રૂપે સાતદેવ છે, એવી જ રીતે વન્તિ અને વરુણુ-આ યુગલને ચૌદ હજાર દેવાના ખાસ પિરવાર છે. તથા ચૌદ દેવા તેમના સ્વામીરૂપ છે. ગઈ તાષ, તુષિત આ દેવયુગલને સાત હજાર દેવાના ખાસ પિરવાર તથા સાત દેવ માલિકરૂપે છે. બાકીના ત્રણ લેકાંતિક દેવને નવસો દેવાના ખાસ પિરવાર તથા નવ દેવે માલિકરૂપે છે. ખાસ પિરવારના એવા આશય સમજવે કે સમવાયાંગ સૂત્રના ૭૭ મા સમવાયમાં ગઈ તાષ તથા તુષિતના ૭૭,૦૦૦ દેવાના પરિવાર ખતાન્યેા છે. આ વાત જ્ઞાતા અ. ૮ સાથે બ ંધ બેસતી છે. ત્યાં પ્રત્યેક લેાકાંતિક દેવને, ચાર ચાર હજાર સામાનિક દેવ, ત્રણ ત્રણ પરિષદા, સાત સાત અનિક, સાત સાત અનિકાધિપતિ, સોળ સાળ હજાર આત્મરક્ષક દેવ તથા ખીજા ઘણાં દેવા લેકાંતિક દેવાથી પરિવૃત્ત છે. ઇત્યાદિ વણુ ન આવેલુ છે. આથી તેમના બે પ્રકારના પરિવાર સાબિત થાય છે. સામાન્ય પરિવાર કેટલાયે હજાર દેવાને તથા ખાસ પરિવાર ભગવતી સૂત્રાનુસાર છે, એમ સમજવું. પ્રશ્ન ૧૮૧૪-કૃષ્ણુલેશી ક્રિયાવાદી જીવ મનુષ્ય સિવાય અન્ય ત્રણ ગતિએનુ... આયુષ્ય કેમ નથી બાંધતા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy