SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 104 સમર્થ–સમાધાન ભગવતી સૂત્રમાં જ્યાં સૂક્ષમ અપકાયનું વર્ણન છે ત્યાં એ બાબત પણ બતાવેલ છે કે તે સૂકમ અપકાય એકદમ નષ્ટ થઈ જાય છે. તે પછી જવાથી તેની વિરાધના કેવી રીતે થાય ? જે પૂજવામાં જીવ વિરાધનાનું કારણ હોય તે ભગવાન પૂજવાનો નિષેધ કરત. પરંતુ નિષેધ નહિ કરતાં દશાશ્રુત સ્કંધ દશા-૧ તથા સમવાયાંગની ૨૦મી સમવાયમાં ભગવાને અપમાજ્યિાચારી (અપ્રમાજિંતાચારી) અને “દુપમજિજયાચારી” (દુષ્પમાજિંતાચારી)ને અસમાધિના સ્થાન કહ્યાં છે. એવી જ રીતે અપ્રમાર્જન તથા દુઃપ્રમાર્જનને અસમાધિનું કારણ કહીને પ્રમાર્જન ઉપર અત્યંત ભાર મુક્યો છે. તેથી આગમમાં પૂજવાનું સ્પષ્ટ વર્ણન હેવા છતાં પણ સૂક્ષમ અપકાયની વિરાધનાના બહાને પંજવાનો નિષેધ કરે ઉચિત નથી. [ પ્રિય, દઢધમ શેઠ શ્રી કિશનલાલજી પૃથ્વીરાજજી ગણેશમલજી સાહેબ માલુ ખીચવાળા દ્વારા લખાવેલ અને સંકલિત કરેલ જેથી બેંધ બુકમાંના પ્રશ્નોત્તરે અહિંયા સંપૂર્ણ થાય છે. હવે નેધબુક નંબર પાંચના પ્રશ્નોત્તર અહિંયા રજૂ કરીએ છીએ.] પ્રશ્ન 1760-28 લબ્ધિઓના વિસ્તૃત ખુલાસા કયા પ્રકારના છે? ઉત્તર–સૂત્રના મૂળપાઠમાં અઠ્ઠાવીસ લબ્ધિઓને એકી સાથે એક જ જગ્યાએ ઉલ્લેખ થયેલ જોવા મળતું નથી, પરંતુ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પ્રથમ સંવરદ્વાર તથા ભગવતી સૂત્રના જુદા જુદા સ્થળે પર 28 લબ્ધિઓનું વર્ણન પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧૭૬૧-જે જીવે કર્મભૂમિના મનુષ્યનું અથવા તિય"ચનું આયુષ્ય બાંધી લીધું હોય તો શું તેને એ જ ભવમાં ક્ષાયિક સમકિત થઈ શકે છે? ઉત્તર–તમે કરેલા પ્રશ્ન મુજબ જીવને તે જ ભવમાં ક્ષાયક સમક્તિ નથી થતું. પ્રશ્ન ૧૭૬૨-સત્યવતી હરિશ્ચંદ્ર મૃત્યુ પામીને ક્યાં ગયા? ઉત્તર-શામાં તે તેમનું વર્ણન નથી. કથાઓમાં બતાવ્યું હશે. તે બાબત મારા ધ્યાનમાં નથી. પ્રશ્ન ૧૭૬૩–શું તીર્થકરેને પૂર્વનું જ્ઞાન હોય છે? ઉત્તર-પૂર્વભવમાં શીખેલું પૂર્વનું જ્ઞાન અવધિજ્ઞાન વડે સ્મૃતિમાં આવી શકે છેનહિ તે આ ભવમાં તીર્થકરો પૂર્વનું જ્ઞાન શીખતા નથી. પ્રશ્ન ૧૭૬૪–જબુદ્વિપમાં કેટલા તીર્થકરના જન્મ એક સાથે થાય છે? ઉત્તર-જંબુદ્વિપમાં ક્યારેક કયારેક બે અથવા ક્યારેક ચાર તીર્થકરનો જન્મ એક સાથે થાય છે. પ્રશ્ન ૧૭૬૫-શું ઉત્તરાધ્યયન સૂત્ર અ. 35 ની ગાથા 4, 5 થી કમાડવાળા મકાનમાં સાધુએ ઉતરવું નહિ એવું વનિત થાય છે? 4 સમર્થ સમાધાન ભાગ-રમાં 28 લબ્ધિઓના નામ તથા અર્થ આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy