SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો લવણુસમુદ્રમાં પણ દાઢાઓનું વર્ણન આવ્યું નથી તથા કયાંય પણ મૂળપાઠમાં દાઢાઓની લંબાઈ પહેળાઈનું માપ જોવામાં આવ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે લવણ સમુદ્રમાં આ ભિન્ન ભિન્ન ટાપુ (દ્વીપ) છે પરતું દાતારૂપે સંલગ્ન દ્વીપ નથી. તેથી ભગવતી 9, 10 ની ટીકા કરતી વખતે આ સ્થળ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. પ્રશ્ન ૧૭૫ર-સમ્યગદષ્ટિ મનુષ્ય તથા તિર્યચ, સમ્યગદષ્ટિપણમાં વૈમાનિક સિવાય અન્ય આયુષ્ય બાંધતાં નથી. પરંતુ પૂર્વે બંધાયેલાં જીવ સમકિત સહિત મરીને ચારેય ગતિમાં જઈ શકે છે. આ વિષયને વિશેષ ખુલાસે ભગવતી શ. 30 શ. 8 ઉ. 2 માં છે. શ. 26 ઉ. 1 માં આયુષ્યકમની અપેક્ષાએ સમુચ્ચય જીવના મન પર્યાવજ્ઞાન તથા ળો પvળોવત્તાનો બીજો ભાંગે છોડીને બાકીના ત્રણ ભાગ લીધો છે તથા તિર્યંચ પંચેન્દ્રિયના સમ્યગદષ્ટિ વગેરે પાંચ બેલેમાં તથા મનુષ્યના સાત બેલેમાં ઉપરોક્ત ત્રણ ભાંગા જ બતાવ્યા છે, આથી પણ ઉપરની બાબત સ્પષ્ટ થાય છે. દશાશ્વત સ્કંધ દશા 6 માં કિયાવાદી નરકમાં ગયાનો અધિકાર છે. પરંતુ તેને કિયાવાદીપણુમાં નરકના આયુષ્યને બંધ થતું નથી, કારણ કે શ. 3 માં બતાવ્યું છે કે કૃષ્ણ, નીલ, કાપત લેશ્યાના કિયાવાદી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય કોઈ પણ ગતિના આયુષ્યનો બંધ કરતા નથી નરકમાં તે એ ત્રણ લેશ્યાઓ જ છે. માટે આથી સ્પષ્ટ થાય છે કે તેમના આયુષ્યબંધ તે મિથ્યાત અવસ્થામાં જ થાય છે. ક્ષાપથમિક સમકિત એક ભવમાં હજારો વખત આવે છે અને જાય છે. તેથી જે સમયે સમકિત ન હોય તે સમયે નરકાયુનો બંધ થઈ શકે છે. સમકિતમાં નરકના આયુષ્યનો બંધ થતો નથી. મેઘકુમારના જીવે હાથીના ભવમાં તથા સુમુખ ગાથાપતિ વગેરેએ પણ સમકિતની ગેરહાજરીમાં જ મનુષ્યના આયુષ્યને બંધ કર્યો. હા, તેમને પહેલા સમકિત આવ્યું, સંસાર પરિત્ત કર્યો. પરંતુ જે સમયે આયુષ્ય બાંધ્યું તે સમયે સમકિત રહ્યું ન હતું, ભગવતી શ. 30 પ્રમાણભૂત છે, જ્યારે અવિરતી સમ્યગુદષ્ટિ તિર્યંચ તથા મનુષ્ય પણ સમક્તિ અવસ્થામાં વૈમાનિક સિવાયનું બીજુ આયુષ્ય બાંધતા નથી. તો દેશવિરતીપણુમાં તો કેમ બાંધી શકે? તેથી વરૂણ નાગ નટુવાના પ્રિય બાળમિત્ર વગેરેએ સમકિતમાં આયુષ્ય બાંધ્યું નહિ. એવું શતક-૩૦ થી સ્પષ્ટ છે. શ. 6 ઉ. 4 માં વૈમાનિક સિવાય 23 દંડકના જી અપ્રત્યાખ્યાન ક્રિયાથી નિવર્તિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy