SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 97 ભાગ ત્રીજો જે અપવાદમાં હિંસાદિ પ્રવૃત્તિ થતી હોય તેનું પ્રાયશ્ચિત પણ છે. જેમ કે નદી ઉતરવી, ટપકતા વરસાદમાં મળમૂત્રનો ત્યાગ માટે જવું, મોઢાથી છેટી અથવા કર્કશ ભાષા બોલવી, આજ્ઞા વગર કોઈ મકાનમાં ઉતરવું વગેરે અનેક અપવાદ છે. કેટલાંક અપવાદ સર્વથા નિષિદ્ધ છે. રાત્રિભેજન, મૈથુન સેવન, સચિત્તકાય ભક્ષણ, નાન, આધાકમી સેવન વગેરે, વગેરે. પ્રશ્ન ૧૭૪૭-(શંકા) નવ કલ્પી વિહારી મુનિઓને ઓછામાં ઓછા એક મહિનામાં બે તથા એક વર્ષમાં નવ વિહાર કરવાં જ પડે છે. તેથી શાસ્ત્રકારોએ એક માસમાં બે તથા એક વર્ષમાં નવ ઉદલેપ સુધી સબળ દેષ નથી બતાવ્યા. પરંતુ એક મહિનામાં ત્રણ તથા એક વર્ષમાં દસ ઉદક લેપ લગાવવામાં સબળ દેષ બતાવ્યો છે. આ ધારણું આ પશ્રી દ્વારા પ્રાપ્ત થઈ હતી, એમ મારે ઉપગ છે. શું એક મહિનામાં બે તથા એક વર્ષમાં નવ માયા ઉપરાંત એક મહિનામાં ત્રણ તથા એક વર્ષમાં દસ માયા કરનાર માટે સબળ દેષ બતાવવાનું પણ શું કઈ એવું જ કારણ છે? ઉત્તર-સમાધાન-અનાદિ કાળથી પરિચિત હોવાને કારણે ભિક્ષા, વસ્ત્રાપાત્ર, મકાન, ખાનપાન, આલેચના કરવી, સાંભળવું, પિતાને સાચા બતાવવું વિગેરે વિગેરે પ્રવૃત્તિઓમાં કયારેક માયાનું સેવન થઈ જાય છે. આ પ્રકારનું સેવન પણ જે મહિનામાં બે વારથી વધારે થાય તે સબળ દોષ લાગે છે. દેષ તે એકવાર પણ સેવન કરવામાં લાગે જ છે, પરંતુ બે ઉપરાંત હેવાથી સબળ દોષ લાગે છે. આ પ્રમાણે દરેક મહિનામાં સેવન થતું રહે અને વર્ષમાં નવથી વધારે કલપ થઈ જતાં પણ સબળ દેષ લાગે છે. ભગવતી સૂત્ર વિષે પ્રાચીન ધારણુઓ [એક વિદ્વાન આચાર્યશ્રીની એક કૃતિ પૂજ્ય સમર્થમલજી મ. સા. પાસે આવી હતી. તે પરથી પૂજ્ય મહારાજશ્રીએ પોતાના સંશોધને બતાવ્યા હતા. તે અહીંયા પ્રશ્નો ત્તરરૂપે નહિ, પરંતુ પૂ. મ સા. ની ધારણા રૂપે આપવામાં આવે છે. ] પ્રશ્ન ૧૭૪૮–ભગવતી શ. 8 ઉ. 6 માં દાતાને માટે બહુ નિરા અને અલ્પપાપ પ્રસંગે જે “અમાસુક” તેમજ “અનૈષય” શબ્દ આવેલા છે, તેના અર્થ પણ નીચે પ્રમાણે શાસ્ત્ર સંમત થાય છે. બાળકની ઈચ્છા ન હોવા છતાં પણ આપવું, ઉધાર લાવીને દેવું, બ્રાહ્મણને માટે બનાવેલું દેવું તથા બચેલું જ્યાં સુધી પુરુષાંતર કૃતાદિ ન થયું હેય એવું આપવું, માલોહડ આદિ દેવાળું દેવું, બીજાને માટે લઈ જવામાં આવતો આહાર તેની આજ્ઞા વિના આપો, ચાતરને આહાર સ, સ-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy