SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો 83 છે. કારણ કે ચૂણી એ શું છે? ચૂણી તે સૂત્રેની વ્યાખ્યા માત્ર જે છે. સૂત્રોનું અવલંબન લઈને જ ચૂર્ણને જન્મ થયે છે. એટલે ચૂર્ણ કરતાં સૂત્ર સર્વોપરિ છે. વ્યાખ્યા તે પિતપોતાની બુદ્ધિ અનુસાર સંક્ષિપ્ત કે વિસ્તૃત કરશે. પણ તે વ્યાખ્યા સિદ્ધાંત વિરૂદ્ધ ન હોવી જોઈએ. બીજી વાત એ છે કે ચૂણી વગેરેની રચના તે સૂત્ર પછી જ થઈ છે. તેથી એમ કેમ માની શકાય કે ચૂર્ણ વિગેરે વિન શાસ્ત્રીય નિર્ણયરૂપ મહેલ ઊભો રહી શકતું નથી! શાસ્ત્રીય નિર્ણય રૂપી મહેલ તે ચૂર્ણની ઉત્પત્તિ પહેલાં પણ ઉભું હતું, જેનું અવલંબન લઈને અનેક ભવ્યાત્માઓએ પિતાનું કલ્યાણ કર્યું છે. તથા ચૂર્ણ વગેરેના અભાવમાં પણ પિતાનું આત્મ કલ્યાણ કરશે. એટલા માટે આ વાતને શુદ્ધ શ્રદ્ધાવાળા સ્થાનકવાસી સ્વીકાર કરી શકતા નથી. થાનકવાસી જ શું, મંદિરમાZ– એમાંથી પણ ઘણુ તે વાતને સ્વીકાર કરતાં નથી. ચૂર્ણને નિર્ણય ખાસ કરીને નિર્ણયાત્મક ભૂમિકારૂપે સ્વીકાર કરવામાં આવે છે. એ પણ કેવી રીતે સંગત હોઈ શકે ? કારણ કે ચૂણીમાં પ્રસંગે પાત આ કાર્યો પણ કરવાનું વિધાન કર્યું છે. જેમકે (1) મૈથુન સેવવું (2) રાત્રે આહાર લે. ભજન રાખવું. (3) કાચું પાણી પીવું (4) જોડા પહેરવા. (5) પાન વગેરે લીલેરી ખાવી. (6) વૃક્ષ પર ચડવું. (7) સ્નાન કરવું. (8) અનંતકાયનું ભક્ષણ કરવું. (9) આધાકમી લેવું વગેરે અનેક બાબતે તેમાં આવેલ છે કે જે સૂત્રથી નિષિદ્ધ છે. અને જેના સેવનથી મહાવતને પણ ભંગ થાય છે. પ્રશ્ન ૧૩જો કેઈએમ લખે કે " નિશિથ સૂત્ર જેમ મહાન છે, તે જ પ્રમાણે તેનાં ભાષ્ય અને ચૂણું પણ મહાન છે.'' તો શું આથી એમ સિદ્ધ નથી થતું કે ભાષ્ય તેમ જ ચૂણ કે જે છમસ્થ દ્વારા લખાયેલ છે અને જેમાં કેટલીક અટપટી બાબત હોવાનું લેખક પિતે સ્વીકારે છે. (ભાગ 1 પૃ. 5 પંક્તિ 2-30) તેઓ તેને શ્રત કેવળી રચિત પૂર્વાપર અવિરૂદ્ધ આગમની સાથે એક પક્ષીય બેસાડી દે છે તથા તેઓ નિશીથ ચૂર્ણ તેમ જ ભાષ્યને મૂળ નિશિથ સૂત્રથી કઈ પણ બાબતમાં ઓછા માનવા તૈયાર નથી! ઉત્તર- “નિશીથ ચૂર્ણ જેમ મહાન છે એમ જ તેના ભાષ્ય તથા ચૂર્ણ પણ મહાન છે.” એ લખવું અસંગત છે. તેને ખુલાસો આ પહેલા આવી ગયું છે. ત્યાં ચની કેટલીયે વાતોને મૂળ સૂત્ર સાથે અસંગતતા બતાવી છે. તેથી ચૂર્ણ ભાષાદિને મૂળની સાથે સમાન દરજે બેસાડી દેવા એ કઈ રીતે ઉચિત નથી. પ્રશ્ન ૧૭૭૧-છેદ સૂને પિતાને મૂળ ગ્રંથ પણ ભાષ્ય અને ચૂણી વિના યથાર્થ રીતે સમજમાં આવી શકતું નથી. જો કેઈ વ્યક્તિ ભાગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy