SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સમર્થ સમાધાન ઉત્તર- ભગવાન શબ્દના અનેક અર્થ છે. સમ્યકજ્ઞાન દર્શન ચારિત્ર યુક્ત યા ભયમુક્ત વગેરે ગુણોને કારણે સાધુઓને શાસ્ત્રમાં ભગવાન કહ્યા છે. પ્રશ્ન ૨૦૧૮-પૂજવું, નમન કરવું તથા વાંદવું. આ શબ્દના અર્થમાં શું અંતર છે? અથવા એ ત્રણેયને એક જ અર્થવાળા સમજવા? ઉત્તર-વંદનાને અર્થ સ્તુતિ કરવી. નમનને અર્થ મસ્તક વગેરે નમાવી પ્રણામ કરવા, પૂજન અર્થ પૂજનીય પુરુષોને નમસ્કાર કરી તેમને યોગ્ય વસ્તુને ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરવી અથવા યોગ્ય વસ્તુઓ આ પવી. આ પ્રમાણે તેના અર્થ છે. પ્રશ્ન ૧૭૧૯-ઉપવાસને અર્થ શું ભૂખ્યા રહેવાને જ છે? ઉત્તર- દેથી નિવૃત્ત થઈને આહાર–ત્યાગ, શરીરવિભૂષા ત્યાગ વગેરે ગુણોની સાથે નિવાસ કરવો તેને ઉપવાસ કહે છે. નીચેના શ્લોકમાં આ જ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે. “ઉપાધૃતર્થ યોગ્ય, સવ્વવા નુ સટ્ટ उपवासः स विज्ञेयो, न शरीर विशोषणम् ॥१॥ उपावृतस्य पापेभ्योः यश्च वासी गुणैः सह । उपवासः स विज्ञेय, सर्वभोग विवर्जित ॥ २ ॥ પ્રશ્ન ૧૭૨૦-સ્થાનાંગ સૂત્રમાં ચેથા ચકવતિ સનતકુમાર મોક્ષમાં ગયા એ ઉલ્લેખ છે. જ્યારે આવશ્યક નિર્યુક્તિમાં ત્રીજા દેવલેકે ગયા એમ લખ્યું છે, તે આ કેવી રીતે ? ઉત્તર-ત્રીજા ચક્રવતિ મઘવા તથા ચેથા સનતકુમારને ગ્રંથ ટીકાકાર ત્રીજા દેવલોકે ગયાનું બતાવે છે. પરંતુ મૂળપાઠ સાથે આ વાત બંધ બેસતી નથી. કારણ કે સ્થાનાંગના બીજા ઠાણામાં સુભૂમ તથા બ્રહ્મદત્ત એ બે ચકવતિએની નરકગતિ બતાવી છે. જે બે ચકવતિ દેવલોકમાં ગયા હતા તે બતાવત. પરંતુ બતાવેલ નથી. ચોથા ઠાણુમાં સનતકુમાર મેક્ષમાં ગયાનું બતાવ્યું છે. તેથી દેવલોકમાં ગયા હોવાનું કથન આગમ સાથે મળતું આવતું નથી. ચક્રવતિ દેવલેકમાં જઈ શકે છે. આ બાબત તે સિદ્ધાંતસંમત છે, પરંતુ આ અવસર્પિણીના દસ ચકવતિ મોક્ષમાં ગયા તથા બે ચક્રવર્તિ નરકમાં ગયા છે.* * સાધુ વંદણમાં આ બાબત આચાર્ય શ્રી જયમલજી મહારાજ સાહેબે આ પ્રમાણે ફરમાવી છે. વળી દશે ચક્રવતી, રાજ્ય રમણું હિ છોડ; દશે મુકતે પહોંચ્યાં, કુળને શોભા એડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy