________________
ભાગ ત્રીજો પરિચિત હોય છતાં પણ જૈન ધર્મ સ્વીકારતા નથી. તથા તેનું પાલન પણ કરતા નથી. જૈન ધર્મથી પરિચિત થવું એ બુદ્ધિનું કાર્ય છે. તથા તેનું પાલન કરવું એ પશમનું કારણ છે. તે જમાનામાં પણ સાચા જૈની તે માંસ મદિરાના ત્યાગી જ હતા.
પ્રશ્ન ૧૬૭૩-સમ્યગૃષ્ટિ નરકમાં જાય છે ત્યારે મિથ્યાત્વ આવે છે કે નહિ. જે નથી આવતું તે પછી સમકિતી નરકમાં કેમ જાય છે?
ઉત્તર-જીવને નરકના આયુષ્યનો બંધ મિથ્યાત્વમાં જ થાય છે. સમકિતમાં થતે . નથી, નરકનું આયુષ્ય બંધાયા પછી જો જીવને સમકિત આવે તે છઠ્ઠી નરક સુધી સમક્તિ લઈને જઈ શકે છે. સાતમી નરકમાં નહિ. સાતમીમાં જતી વખતે સમતિ નષ્ટ થઈને અવશ્ય મિથ્યાત્વ આવી જાય છે. ત્યાં ફરી સમક્તિ આવી શકે છે.
પ્રશ્ન ૧૬૭૪-મન જીવે છે કે અજીવ? જે સમયે આત્મા મેક્ષમાં જાય છે તે સમયે મન સાથે જાય છે કે નહિ?
ઉત્તર-મન અજીવ છે, પરંતુ તે જીવનું જ હોય છે. અજીવનું નહિ. આ વાત ભગ વતી શ. ૧૩ ઉ. ૮ માં સ્પષ્ટ છે. તેમાં ગુણસ્થાનમાં મન વગેરેને નિરોધ કરીને ચૌદમાં ગુણસ્થાનમાં જાય છે. તેથી તે “અગી ” કહેવાય છે. અગી બનીને જ આત્મા મેક્ષમાં જાય છે તેથી ત્યાં મન નથી હોતું.
પ્રશ્ન ૧૬૭૫ અઢી દ્વીપના પંદર કર્મ ભૂમિના ક્ષેત્રમાં ૧૭૦ વિજય કઈ કઈ છે? તથા વિજય કોને કહે છે?
ઉત્તર-ચક્રવર્તિએ જીતેલા વિભાગને વિજય કહે છે. અર્થાત્ (૧) ચકવતિ જેટલા શ્રેત્રોમાં રાજ્ય કરે છે તેને વિજય કહે છે. એક ભરતની એક તથા ઈરવતની એક તથા એક મહાવિદેહની બત્રીસ વિજય. આ ત્રીસ વિજય તે જંબુદ્વિપમાં છે. બે ભરતભે ઈરવત+૨ મહાવિદેહની ૬૪ આ ૬૮ વિજય ધાતકી ખંડમાં છે. એ જ પ્રમાણે ૬૮ વિજય અર્ધ પુષ્કરની છે. ૬૮૬૮+૩૪=૧૭૦ વિજય થઈ
પ્રશ્ન ૧૬૭૬-સાતમી નરકનો પર્યાપ્ત જીવ મિથ્યાત્વી હોય છે કે અપર્યાપ્ત જીવ મિથ્યાત્વી હોય છે?
ઉત્તર-સાતમી નરકને અપર્યાપ્ત જીવ તે મિથ્યાદષ્ટિ જ હોય છે. છતાં પર્યાપ્ત થયા બાદ અન્ય દષ્ટિ પણ હોઈ શકે છે.
પ્રશ્ન ૧૬૭૭–ભગવાન મહાવીરનું શાસન જે ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે તો ૨૧ હજાર વર્ષને પાંચમા આરે જ છે, છતાં ચોથા આરામાં પણ શાસન તે ચાલ્યું હતું, તેથી આ આરો વધારે છે કે નહી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org