SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સમથ-સમાધાન આહારક સમુદ્રઘાતનો પ્રારંભ કર્યા બાદ તે બકુશ અને પ્રતિસેવનામાં આવી જાય છે. પરંતુ બકુશ અને પ્રતિસેવનામાં આહારક લબ્ધિ પેદા થતી નથી તથા તેઓ આહારક સમુદઘાતનો પ્રારંભ પણ કરતાં નથી તેથી તેનામાં આહારક સમુદ્દઘાત ગણવામાં આવી નથી. જેમ કે નિગ્રંથ (નિયંઠા) પર્ણમાં મરણ તે હોય છે, પરંતુ ત્યાં મારણુતિક સમુદ્રઘાત અથવા કોઈપણ સમુદઘાત માની નથી, કારણ કે અહિયા કઈ પણ સમુદ્રઘાતને પ્રારંભ થતું નથી. પ્રશ્ન-૧૬૬૪ જુલાકના ઉત્કૃષ્ટ ત્રણ ભવ કહ્યાં છે, તે તે માત્ર મનુષ્યના જ કે દેવ મનુષ્ય મળીને ત્રણ ભવ કહ્યાં છે? ઉત્તર : જીવને પુલાકપણું વધારેમાં વધારે ત્રણ ભવમાં પ્રાપ્ત થઈ શકે છે, પુલાકપણું મનુષ્ય ભવ સિવાય અન્ય કોઈ ભવમાં હોઈ શકતું જ નથી. અહિંયા જે ત્રણ ભવાની ગણતરી છે તે પુલાક લબ્ધિ પ્રાપ્ત થયેલા ભવાની અપેક્ષાએ બતાવી છે. અન્યથા તે પુલાક લબ્ધિની પ્રાપ્તિ પછી પુલાક લબ્ધિ વગરને જીવ અનંતભવ પણ કરે છે. તેથી મનુષ્યના પણ બાકી રહેતા ભને છેડીને પુલાકની પ્રાપ્તિવાળા જ ત્રણ ભવ ગણ્યા છે. પ્રશ્ન-૧૬૬પ : નિગ્રંથમાં છ લેશ્યાઓ દ્રવ્યથી છે કે ભાવથી ? ઉત્તર ઃ નિર્ગથમાં તે દ્રવ્ય–ભાવથી એક શુકલ લેગ્યા જ હોય છે. બીજી નહિ. તમે નિગ્રંથ વિષે પ્રશ્ન કર્યો છે તેથી તેને ઉત્તર આપ્યો છે. પરંતુ જો તમારો પૂછવાને વિચાર કષાય કુશીલને માટે હોય તે ટીકાકાર કહે છે કે ભાવ અશુભ લેગ્યામાં સંયમ નથી. સંયમીમાં ભાવ લેશ્યા તે તે–પદ્મ અને શુકલ હોય છે. અને દ્રવ્ય લેગ્યા છે હોય છે. પરંતુ મારા (મ. સા.) વિચારથી સંયમીમાં દ્રવ્ય ભાવ બંનેય છે એ લેશ્યાઓમાં હોય છે. હા, એ જરૂરી છે કે સંયમની પ્રાપ્તિ વખતે તે તેને આદિ ત્રણ વિશુદ્ધ લેશ્યા હોઈ શકે છે. જે તેમનામાં કૃષ્ણ વિગેરે ત્રણ ભાવ લેશ્યાઓ માનવામાં ન આવે તે પછી તેમનામાં ત્રણ અશુભ દ્રવ્ય લેશ્યા પણ કેવી રીતે હોય? કારણ કે જીવને ચારિત્ર પ્રાપ્ત થતાં જ સાતમું ગુણસ્થાનક ગણાય છે. છડૂ ગુણસ્થાનકમાં જીવ સાતમાં ગુણસ્થાનકથી જ આવે છે. જ્યારે સાતમ ગુણસ્થાનમાં ત્રણ વિશુદ્ધ લેશ્યાઓ જ હોય છે તે પછી તેઓ છઠ્ઠા ગુણરથાનકે આવ્યા પછી અશુભ લેશ્યાઓ વિના દ્રવ્ય અશુભ લેશ્યાઓ ક્યાંથી આવશે ? હા. ભાવ લેશ્યાથી જે પુદ્ગલરૂપ દ્રવ્યલેશ્યા આવે છે તે ભાવ લેગ્યાના પરિવર્તન બાદ પણ થોડેક વખત દ્રવ્ય લેશ્યા રહે છે. પરંતુ ભાવ લેશ્યા વગર દ્રવ્ય લેશ્યા પ્રાપ્ત થવાનું કઈ કારણ જાણ્યું નથી તેથી સંસ્થતિમાં ક્યારેક ચેડા કાળને માટે મંદતમરૂપે અશુભ ભાવ લેયા પણ હોઈ શકે છે. આ અર્થને બતાવનારી ગાથા શ્રી ભદ્રબાહુસ્વામી રચિત આવશ્યક નિર્યુક્તિની ઉપેઘાત-નિર્યુકિતમાં બતાવેલ છે. તે ગાથા નીચે પ્રમાણે છે. regurg, માનવ શો જેવા सम्मत्त सुअं सव्वासु लहइ, सुद्धासु तोसुय चरित्त॥ આ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ વાતને લઈને ભગવાન મહાવીર સ્વામી તથા અન્ય તીર્થકરની સાધુ-અવસ્થામાં છ લેશ્યા બતાવવી બરાબર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy