SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] સમર્થ–સમાધાન વખતે સમ્યકત્વ, અને મનુષ્ય આયુ બાંધતી વખતે મિથ્યાત્વ હોવાનું જ બરાબર લાગે છે. આમાં વિરોધ જેવી કઈ વાત નથી, આ જ વાત મેઘકુમારના હાથીના ભાવના વિષયમાં પણ સમજવી. પ્રશ્ન ૧૮૯૪–સમ્યગદષ્ટિ કઈ ગતિનું આયુષ્ય બાંધે છે? જવાબ –સયષ્ટિ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, એક વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે અને દેવ તથા નાક એક મનુષ્ય ગતિનું જ આયુષ્ય બધે છે. (ભગવતી ૩૦) જે મનુષ્ય અને તિર્યંચ, મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે, તે સિદ્ધાંત પ્રમાણે પ્રથમ ગુણસ્થાનમાં જ બાંધે છે અને કર્મગ્રંથનાં અભિપ્રાયથી પહેલા અને બીજા ગુણસ્થાનમાં બાંધે છે. કર્મથિક બીજા ગુણસ્થાનમાં અજ્ઞાન માને છે. આ અપેક્ષાથી જે મનુષ્ય, મનુષ્યનું અને તિર્યચ, તિર્યંચનું આયુષ્ય બાંધે છે, તેઓ અજ્ઞાન દશામાં જ બાંધે છે, તેઓ તે વખતે સમ્યગૃષ્ટિ નથી. ૧. સમ્યગદષ્ટિ મનુષ્ય અને તિર્યચ, સમ્યગદષ્ટિ અવસ્થામાં વૈમાનિક સિવાય બીજું કઈ પણ આયુષ્ય બાંધતા નથી, પછી ભલેને તેઓ અવિરત હોય, દેશ-વિરત હોય કે સર્વ-વિરત હેય. હા મિથ્યાત્વ અવસ્થામાં આયુને બંધ કરી લીધા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તે એવા સમ્યગદષ્ટિ પિતાના બન્ધની અનુસાર, ચારે ગતિમાં જઈ શકે છે. આ વાત ભગવતી શ. ૮ તથા ૧૩ થી જણાય છે. ૨. ભગવતી શ. ૧ ઉ. ૮ ની ટીકામાં લખ્યું છે; “અએવ બાલત્વે સમાનેડપિ અવિરત સમ્યગ્ગદષ્ટિ મનુષ્ય દેવાયુદેવ પ્રકતિ ન શેષાણિ.” ૩. દશાશ્રુત સ્કલ્પના છઠ્ઠા અ૦ માં ક્રિયાવાદીને નરકમાં જવાનો ઉલ્લેખ છે, તે જવા વિષેને છે. તે બંધના વિષયને ઉલ્લેખ નથી. કેમકે ક્રિયાવાદીપણામાં નરક આયુને બંધ નથી થતા. ભગવતી શ. ૩૦ માં લખ્યું છે : “કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાવાળા ક્રિયાવાદી મનુષ્ય અને તિર્યંચ, કઈ પણ ગતિના આયુષ્યને બંધ નથી કરતાં અને નરકમાં તે આ કૃષ્ણ વગેરે ત્રણ લેહ્યા જ છે, જ્યારે તેઓ કૃષ્ણ વગેરે ત્રણ લેસ્થામાં આયુષ્ય બાંધતા જ નથી, તે નરકને યોગ્ય બંધને પ્રશ્ન જ ક્યાં રહે છે ? ૪. ભગવતી શ. ૩૦ માં જે વિધાન છે, તે બધા કિયાવાદીઓની અપેક્ષાથી છે, ભલેને તેઓ અવિરત સમ્યગૂ દષ્ટિ હેય, દેશ-વિરત હોય અથવા સર્વ—વિરત હોય, કેમ કે ત્યાં ત્રણ વિકેન્દ્રિને છેડીને, બાકીના બીજા બધા સમ્યગ્દષ્ટિ, મતિ, કૃત અને અવધિજ્ઞાની, જે નારક, તિર્યંચ-પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવ છે, તે બધાને કિયાવાદી માન્યા છે. આથી આમાં સામાન્ય કિયાવાદી પણ સંમિલિત છે અને વિશેષ પણ. | વિકેન્દ્રિયને એટલા માટે છોડ્યા કે જે સમ્યક્ત્રી અને મતિ-કૃત જ્ઞાની વિકલેન્દ્રિય (અપર્યાપ્ત અવસ્થામાં) છે, તેઓ જરૂર જ મિથ્યાત્વી થનાર છે. અને સમ્યકત્વ અવસ્થામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy