SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૭ ભાગ પહેલે (જે પતન ઉમુખ છે) તેઓ કોઈ પણ ગતિનું આયુષ્ય નથી બાંધતા તથા પતન ઉન્મુખી હોવાને કારણે તેમાં સમવસરણ પણ અકિયાવાદી અને જ્ઞાનવાદીનું જ પામે છે. પ. આ શતકના પ્રથમ ઉદેશમાં પણ લખ્યું કે-કૃષ્ણ લેશી ક્રિયાવાદી જીવ (પાંચમી તથા છઠ્ઠી નરક અને દેવ) એક મનુષ્ય ગતિનું જ આયુષ્ય બાંધે છે. આની ટીકામાં પણ સ્પષ્ટ લખ્યું છે કે સમ્યગ્દષ્ટિ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય વૈમાનિકનું જ આયુષ્ય બાંધે છે. તથા મૂળ પાઠમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. ૬. ભગવતી શ. ૨૬ ઉ. ૧ માં આયુકર્મની અપેક્ષાએ સમુચ્ચય જવનાં મનઃ પર્યવજ્ઞાન અને સંપયુક્તમાં બીજો ભંગ (બાંધ્યા, બાંધે છે અને નહિ બાંધે) છોડીને બાકીના ત્રણ ભંગ બતાવ્યા છે. તિર્યંચ પંચેનિદ્રયના ૧ સમ્યગ્દષ્ટિ, ૨ સજ્ઞાની, ૩ મતિજ્ઞાની, ૪ શ્રુતજ્ઞાની અને ૫ અવધિજ્ઞાની, આ પાંચમાં ઉપરના ત્રણ ભંગ છે. મનુષ્યમાં સમુચ્ચયની અનુસાર, પરંતુ પૂર્વોક્ત ૫ બેલેમાં ૩ ભંગ છે. આ બેલેમાં મનુષ્યનું આયુ નથી બાંધતા, તેથી ત્રીજે ભંગ છોડ્યો છે. તેથી વૈમાનિકનું આયુ જ બાંધે છે. છે. અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય પણ વૈમાનિકનાં સિવાય, બીજું આયુ નથી બાંધતા, તે પછી વ્રતધારીઓનું તે કહેવું જ શું ? ભગવતી શ. ૬ ઉ. ૪ માં લખ્યું કે “સમુચ્ચય જીવ અને વૈમાનિક દેવ તે પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન, આ ત્રણથી નિવર્તિત (તૂટે નહિ એવું) આયુ જ બાંધે છે, બાકી ૨૩ દંડકના જીવ, કેવળ અપ્રત્યાખ્યાન નિવર્તિત આયુ જ બાંધે છે. આ આધારે સાબિત છે કે વિરત મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય તે વૈમાનિકનું આયુ જ બાંધે છે. ૮. મનુષ્ય, મનુષ્યનું આયુ બાંધે અને તિર્યંચ મરીને તિર્યંચ થાય તે તેને તદ્દભવમરણ” નામે “બાલ-મરાણ” માન્યું છે. આની પ્રશંસા કરવાથી સાધુને નિશીથ ઉ. ૧૧ ના અનુસાર પ્રાયશ્ચિત આવે છે. પ્રશ્ન ૧૯૦–સમ્યક્ત્વ હોવા છતાં પણ વિરતિની વિરાધનાથી સાધુને શ્રાવક પણ ભવનપતિ વગેરેમાં જાય છે, ત્યારે વૈમાનિકને નિયમ ક્યાં રહ્યો? જવાબઃ—વિરાધક સાધુ અને શ્રાવકમાં સમ્યક્ત્વ અને ક્રિયાવાદીપણું હંમેશાં રહે જ છે, એવો કોઈ નિયમ નથી. ભગવતી શ. ૧૦ ઉ. ૪ ની ટીકામાં લખ્યું કે અમરેન્દ્રને ત્રાય ત્રિશંક દેવ, કાકન્દીના શ્રાવક હતા. તેઓ પહેલાં તે ઉગ્ર-વિહારી હતા પણ પાછળથી પાસસ્થ-વિહારી થયા, એટલા માટે-“જ્ઞાન વગેરેથી બાહ્ય પાસસ્થા” આ આદિ શબ્દથી દર્શનથી પણ બાહ્ય હોઈ શકે છે, તેમાં દર્શનના નિયમે કેવી રીતે રહી શકે છે? ૧. એક ભવમાં સાધુપણું સેંકડે વાર તથા શ્રાવકપણું અને સમ્યકત્વ હજાર વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy