SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [[ પ૧ તેમને ગૃહવાસ ૫૩ વર્ષને હોવાનું સાબીત થાય છે. ૬૫ માં સમવાયના મૂળ પાઠમાં મૌર્ય પુત્રના વિષયમાં લખ્યું કે તેઓ ૬૫ વરસ ગૃહવાસમાં રહ્યા પછી દીક્ષિત થયા. બધાં ગણધરની દીક્ષા એક જ દીવસે થઈ. આ ઉપર વિચાર કરતાં ટીકાકાર વગેરેનો ઉલ્લેખ બેટો સાબિત થાય છે. કેમ કે એક જ માતાથી જન્મેલા પુત્રની એક સાથે જ દીક્ષા થઈ ત્યારે દીક્ષાનાં દિવસે મોટાનું આયુષ્ય ૫૩ વરસ અને નાનાનું ૬૫ વરસનું કેવી રીતે હોઈ શકે છે? એટલા માટે ટીકા વગેરેને ઉલ્લેખ વિશ્વાસપાત્ર નથી અને ટીકાકાર પિતે પણ આ વિષયમાં શંકાશીલ છે. જુઓ સમવાય ૬૫. પ્રશ્ન ૧૭૫ –“આર્થિક દૃષ્ટિએ જૈન લેકેએ ગ્રામ-ઉદ્યોગ અપનાવ જોઈએ, આ પ્રકારની ભાષા સાવદ્ય છે, કે નિરવઘ? અને આવા શબ્દ મહાવ્રતધારી સાધુ બોલી શકે છે? જવાબ –આ પ્રકારની ભાષા, સાવદ્ય ભાષા છે. મહાવ્રતધારી સાધુ એવી ભાષા નથી બેલી શકતા, કેમ કે તેઓ સાવધના સંપૂર્ણ ત્યાગી છે. જેમાં આ પ્રકારને પ્રચાર કરતા અને પરામર્શ દીએ છે, તેઓ પોતાની સ્વીકૃત પ્રતિજ્ઞાથી વિપરીત કરે છે. આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિક પ્રશ્ન વ્યાકરણ વગેરે સૂત્રમાં સાધુને આવી ભાષા બોલવાની મનાઈ કરેલ છે. નન્દીસૂત્રમાં ૭૨ કલાના પ્રતિપાદક શ્રુતને મિથ્યાશ્રુત બતાવેલ છે. નિશિથ સૂત્રના ૧૧ મા ઉદ્દેશમાં ઉદ્યોગ સંબંધી વાતે બતાવવાનું અથવા અનુમોદન કરવાને, પ્રાયશ્ચિતનું કારણ બતાવેલું છે. પ્રશ્ન ૧૭૬ –પ્રજ્ઞાપના પદ ૧૮માં લખ્યું કે “તિર્યંચ યુનિક છવ, તિયચ નિકપણે ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત અવસર્પિણી, અનંત ઉત્સર્પિણું સુધી તથા ક્ષેત્રથી અનંત લોકનાં આકાશ પ્રદેશ પ્રમાણ અને અસંખ્ય પુદગલ પરાવર્તન સુધી રહ્યા, તે પ્રશ્ન એ છે કે અસંખ્યાત પુદગલ પરાવર્તન જ કેમ કહ્યું? અનંત પુદગલ પરાવર્તન કેમ ન કહ્યું? આ અવ્યવહાર રાશિની માન્યતામાં શું બાધક નથી? જવાબ –આ કાયસ્થિતિ કેવળ વ્યવહાર રાશિના જાની અપેક્ષાથી જ બતાવી છે. પ્રશ્ન ૧૭૭ –અચક્ષુદશની, અચક્ષુદશનીયને અનાદિ અનંતકાળ રહે, આ કઈ અપેક્ષાથી? અને અભાષકના વિષયમાં પણ સમજાવવાની કૃપા કરે ? જવાબ – જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી બધાં ના નિરંતર અક્ષદર્શન રહે જ છે. આથી જેને કોઈ દિવસ કેવળજ્ઞાન થશે જ નહિ, તેને માટે તો અચક્ષુ દર્શન અનાદિ અનન્તકાળ રહેશે જ. અભાષકના વિષયમાં હસ્તલિખિત પ્રજ્ઞાપના તથા રાજેન્દ્રકોષમાં તે અભાષકનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy