SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] સમર્થ–સમાધાન જવાબ:-શ્રાવકની ૧૮ વિવા દયા, પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ આ રીતે બતાવતા હતા. સંસારી જીવ બે પ્રકારના છે, ૧ ત્રસ અને ૨ સ્થાવર, પહેલા અણુવ્રતમાં ત્રસની હિંસાને ત્યાગ હોય છે અને સ્થાવર ખુલ્લા રહે છે તેથી અધ હિંસારૂપ ૧૦ વિવાને ત્યાગ થયે અને ૧૦ વિશ્વા સ્થાવર ખુલ્લા રહ્યા. છ વ્રતમાં મર્યાદિત ભૂમિની બહારનાં પણ સ્થાવર જેની હિંસાને ત્યાગ થઈ ગયે, તેથી બાકી રહેલા ૧૦ વિવામાંથી અર્ધા ૫ વધુ બંધ થઈ ગયા, સાતમાં વ્રતમાં ભેગ-ઉપભોગમાં રાખેલી વસ્તુ સિવાયની વસ્તુ ઓની મર્યાદિત ભૂમિમાં પણ ત્યાગ થઈ ગયે. જેથી અઢી વિશ્વ હિંસા વળી ટેકાઈ ગઈ અને આઠમા વ્રતમાં અનર્થ દંડને ત્યાગ થઈ જવાથી સવા વિશ્વ હિંસા વળી પણ ઓછી થઈ ગઈ. આ રીતે, વીસ વિશ્વમાંથી ૧૮ વિશ્વા હિંસા રેકાઈ અને ૧૮ દયા પાઈ. બાકીની સવા વિશ્વ હિંસા જ ખુલ્લી રહી. આ સ્થળ ન્યાયથી વિચાર થયો. પણ સૂકમદષ્ટિએ જોઈએ તે વ્રતધારી શ્રાવકના અસંખ્યાતમા ભાગની હિંસા બાકી રહે છે અને અસંખ્યાત ગુણ દયા મળે છે. ત્ર-સ્થાવરની હિંસાનું અત્તર વગેરે વાતે વિચારવાથી પહેલાં કહેલી વાત ઠીક બેસે છે. આમ પણ સાંભળવામાં આવ્યું છે, કે ચૌદ નિયમના નિત્ય નિયમ ધારવાવાળાઓના પર્વત જેવડા પાપ છૂટી જાય છે અને રાઈના દાણા જેટલાં બાકી રહે છે. સ્થૂલ પ્રાણાતિપાત વ્રતમાં “સ્થળ” શબ્દ મટી હિંસાન, ત્યાગનું દ્યોતક છે. આનાથી પણ તે મોટી હિંસા-વધારે હિંસાને ત્યાગી ગણાય છે. સૂયગડાંગ ૨-૨ માં શ્રાવકને મિશ્ર પક્ષમાં બતાવીને અલ્પ-આરંભી વગેરે હોવાને કારણે ધર્મ–પક્ષમાં સ્વીકાર કર્યો છે. આ વાત ઔપપાતિક સૂત્રથી સિદ્ધ થાય છે. ત્યાં શ્રાવકને અ૫ારંભી, અલ્પ–પરિગ્રહી, ધમ અને ધર્મના અનુયાયી વગેરે હોવાથી તથા સાધુની નજીક હોવાથી “સાધુ” કહ્યો છે. ઈત્યાદિ વાત ઉપર વિચાર કરતાં શ્રાવકને અધિકાંશ હિંસાને ત્યાગી માનવે ઉચિત જ છે. પ્રશ્ન ૧૭૪–ભગવાન મહાવીરના છઠા ગણધર “પંડિતપુત્ર' અને સાતમા ગણધર મોર્યપુત્રને કેટલાય લકે એક માતા અને જુદા જુદા પિતાના સંતાન કહે છે, શું આ વાત બરાબર છે? જવાબ –ટીકાકાર વગેરે ઉપરના બંને ગણધરને સગાભાઈ પરંતુ જુદા જુદા પિતાના પુત્ર હોવાનું માને છે. તેઓ લખે છે કે “મંડિત પુત્રના જન્મ પછી તેના પિતા કાળ કરી ગયા, તે પછી તેની માતાએ બીજો પતિ કર્યો, જેનાથી મૌર્ય પુત્રને જન્મ થયે.” પણ આ લેખ સમવાયાંગ સૂત્રનાં મૂળ પાઠથી વિરુદ્ધ છે. સમવાયાંગના ૩૦ મા સમવાયમાં મંડિત પુત્રના વિષયમાં લખ્યું : “તેઓ ૬૦ વર્ષ દીક્ષા પાળીને સિદ્ધ થયા” અને ૮૩ મા સમવાયમાં તેમનું સર્વ આયુષ્ય ૮૩ વર્ષનું લખ્યું છે. આ બંને પાઠથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy