SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૪૯ તે તેને જ માનીને ભગવાનના વામાં શ્રદ્ધા રાખતા. અનેક સાધુએ ભગવાનની પાસે ચાલ્યા ગયા. આ પ્રકારની અને અન્ય વાતને વિચાર કરવાથી સમાધાન થઈ શકે છે. પ્રશ્ન ૧૨-કરણસિત્તરી આચારનું પાલન છઠ્ઠા ગુણસ્થાનથી આગળ પણ રહે છે કે શું? જવાબ-કરણસિત્તરીના કોઈ કઈ બેલ ૧૩ મા ગુણસ્થાન સુધી પાળવા સંભવિત છે. સિત્તેર બેલેમાં એક આહાર શુદ્ધિ પણ છે. ભગવાન મહાવીરે સિંહમુનિને કહ્યું : “મારા નિમિત્તે બનાવેલું કલાપાક ન લઈ આવતા.” વૃત્તિકારે પણ “તેહિં નો અડ્રોત્તિ બહુ પાપત્થાત્ ” લખ્યું છે. અને બિજેરા પાક લઈ આવવાની આજ્ઞા દીધી છે. છતાં પણ વીતરાગીઓ સિવાય ઈ રિયા પથિકીની બીજી કઈ કિયા નથી લાગતી, તે પણ વ્યવહાર શુદ્ધિ વગેરેને માટે આહાર વગેરેની વિશુદ્ધિ રાખતાં ઔદેશિક વગેરે નથી લેતા તથા ભગવતી શ. ૨૫ ઉ. ૬, ૭ માં નિગ્રંથ સ્નાતક, સૂક્ષ્મપરાય અને યથાખ્યાતને પણ સ્થિત અને અસ્થિત-આવા બને કપમાં હેવાનું લખ્યું છે, આથી પણ તેની આહાર વગેરેની શુદ્ધિ કાયમ રહે છે, કરણસિત્તરીનાં ૭૦ બેલેમાં ભિક્ષુની બાર પ્રતિમા પણ છે અને બારમી પ્રતિમામાં રહેલા શ્રી ગજ સુકુમલજીને ક્ષપક શ્રેણીનું આહણ થઈને કેવળજ્ઞાન થયું છે અને સૂત્રમાં પણ લખ્યું છે કે ૧૨ મી ભિક્ષુ પ્રતિમાનું સમ્યગુરૂપથી પાલન કરવાથી અવધિ, મન:પર્યવ અને કેવળ-આ ત્રણમાંથી કઈ જ્ઞાન પણ થાય છે. ૭૦ બેલેમાં ઈર્યાસમિતિ પણ છે. કેવલીઓને નિરન્તર પૂર્ણ શુદ્ધ ઉપગ રહે છે. એટલા માટે તેમને તે સમિતિની જરૂરત નથી, પરંતુ ૧૦ મા ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાનવતી ચાલે છે ત્યારે તેઓને તે સ્થસમિતિની જરૂરત રહેતી જ હશે. જો કે આ ગુણસ્થાની સ્થિતિ અલ્પ છે, તે પણ ભગવતી શ. ૮ ઉ. ૮ માં આ ગુણસ્થાનમાં ચર્થી પરિષહ માન્યું છે, તથા ભગવતી શ. ૭ ઉ. ૭ માં લખ્યું કે સંવૃત્ત અનગાર મુનિ ઉપયોગ સહિત ચાલતાં, ઊભા રહેતાં, બેસતાં, સૂતાં, વસ્ત્ર–પાત્ર વગેરે લેતાં અને રાખતાં, તેમને ઈર્યાપથિકી ક્રિયા થવાનું બતાવ્યું છે, આથી પણ ૧૧ મા, ૧૨ મા ગુણસ્થાનમાં ઈસમિતિ હેવાનું સિદ્ધ થાય છે. કરણસિત્તરીમાં બાર ભાવના પણ છે, જે ધર્મ અને શુક્લ-ધ્યાનની ચાર-ચાર અનુપ્રેક્ષા બતાવેલ છે. આથી અપ્રમત્તોમાં ભાવના પણ હોય છે. ઈત્યાદિ વાત ઉપર વિચાર કરતાં અપ્રમત્ત મુનિઓમાં કરણસિત્તરીના ૭૦ બેલેમાંના ઘણું હોય છે. હા, પ્રમત્તગુણસ્થાનીને આમાં સતત સાવધાની રાખવી પડે છે અને અપ્રણોને તે ઉપગ, કાર્યનાં અનુરૂપ થાય છે. એથી તેમને પ્રેરિત કરવાની જરૂરત નથી રહેતી. આ કારણથી જે પ્રમત્ત ગુણસ્થાન સુધી જ કરણસિત્તરી ગણીએ, તે તે વાત જુદી છે. તત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૧૭૭ –શ્રાવકની દયા ૧ વિશ્વા અને હિંસા સવા ૧ વિશ્વા કયા પ્રકારે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy