SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] સમર્થ–સમાધાન અપેક્ષાથી પ્રશ્ન છે. તેથી એક પ્રદેશ પણ છોડવાથી તેને કાય નથી કહી શકાતું. એક અથવા થડા પ્રદેશ છોડવાથી તેને દેશ-પ્રદેશ વગેરે રૂપ ધર્માસ્તિ તે કહી શકીએ છીએ, પરંતુ ધર્માસ્તિકાય નથી કહી શકતા. જેમકે-ઈન્દા વગેરે વિદિશાઓમાં ધર્માસ્તિકાય ન બતાવતાં તેને ધર્માસ્તિના દેશ-પ્રદેશ જ બતાવ્યા છે. આ વાતને વિશેષરૂપથી સમજવાને માટે શ્રી નંદકજીને અધિકાર ધ્યાનમાં લે ગ્ય છે. ત્યાં “અંતે જીવે, અને તે જીવે પ્રશ્નના જવાબમાં દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ જીવને અંત સહિત બતાવ્યું છે, ત્યાં એકવચન છે અને “કાય” વિશેષણ નથી. એટલા માટે ત્યાં એક જીવ અને તેનાં અસંખ્ય પ્રદેશને જ ગ્રહણ છે અને અહીંયા તે કાય વિશેષણ હેવાથી સમસ્ત જીવ અને તેના અનંત પ્રદેશનું ગ્રહણ થાય છે. વ્યવહારનયના કહેવાથી તે ઘડાક ઓછાને પણ પૂર્ણ કહી શકીએ છીએ, પરંતુ અહીંયા તે નિશ્ચયનયનું કથન છે, તેથી ઓછું હોવાથી ધમસ્તિકાય વગેરે અસ્તિકાય ગણ્યા નથી, આ વાત “તે સર્વે કસિણ, પડિપુણા, નિરવભેસા, એકગ્રહણ ગહિયા” આ પાઠથી સિદ્ધ છે. બધા અસ્તિકાયના પ્રદેશ અનાદિ કાળથી જે જે સંખ્યામાં બદ્ધ છે, તે તે જ સંખ્યામાં સદા બદ્ધ જ રહે છે. આટલા માટે તેના સંપૂર્ણ પ્રદેશને તે અસ્તિકાયના રૂપમાં ગણે છે. જે થોડા પ્રદેશને છોડીને, બાકીનને અસ્તિકાયના રૂપમાં માની લઈએ, તે છોડેલા પ્રદેશને શેમાં ગણીશું ? ચલમણે ચલિએ” વગેરે પ્રશ્નોમાં તે પ્રત્યેક સમયનું કામ જુદા જુદા પુદ્ગલેને લઈને થતું જાય છે. પ્રત્યેક સમયમાં તે જ પુદ્ગલ તત્ તત્ રૂપમાં કામ નથી આવતાં અને તેમાં પ્રતિસમયનાં ચલન વગેરે પુદ્ગલ તથા પુદ્ગલેના પ્રદેશની સંખ્યા પણ સમાન નથી રહેતી, એટલે કે ચલન વગેરેમાં અસ્તિકાયના પ્રદેશની માફક એક નિશ્ચિત સંખ્યા અનાદિથી બનેલી મુવ નથી અને જે પુદ્ગલ કેઈ વખતે ચલણમાં ગણાય છે, તે જ પુગલ અન્યાજ સમયમાં ઉદીરણ, વેદના વગેરે જુદી દશામાં ગણાય છે. આ પ્રકારે એક અસ્તિ કાયને પ્રદેશ કેઈ દિવસ પણ બીજા અસ્તિકાયને નથી બનતે, પ્રત્યેક સમયમાં જે ચલન વગેરે કાર્ય, અન્યાન્ય પુગલેની સાથે હોય છે, તે ન માનવાથી “કૃતનાશ અકૃતાગમાદિ દેષ ઉત્પન્ન થાય છે, કેમ કે જે પુદ્ગલ જે વખતે જે કામમાં આવે છે, તે કામને તે સમયમાં ન ગણે અને અન્યોન્ય સમયમાં, બીજા બીજા કામમાં આવવાથી, પૂર્વકાળનાં કામમાં ગણે, તે બહુ ગડબડ પેદા થાય છે. ચલન વગેરે પ્રશ્નોમાં પણ નિશ્ચયનયનું કથન છે, આટલા માટે પ્રભુએ પ્રત્યેક સમયનાં કાર્યને ગપ્યું છે, નહિતર વ્યવ હારનયથી તે ભગવાનમાં શ્રદ્ધા રાખવા વાળા સાધુઓએ પણ જમાલીના પૂછવાથી કહ્યું કે શયા સંથારે કર્યો નથી, કરી રહ્યા છે, કેમ કે શયા-સંથારે સૂવા માટે કરાવી રહ્યા હતા તે લગભગ સૂવાને માટે યોગ્ય હેય, ત્યારે જ તેના ઉપર સૂવાય છે, તેથી તેઓ આ પ્રકારે છેલ્યા હતા, પણ જ્યારે ચલન વગેરેના વિષયમાં જમાલીએ તેવી વાત કહી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy