SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ સંમેલનના પ્રસંગોના નિમિત્તથી તેઓશ્રીની પ્રસિદ્ધિ થઈ અને રત્નના પારખુ ઝવેરીઓ ખીચન પહોંચવા લાગ્યા. આજે (સદ્દગત) આ શ્રમણરત્ન વીરપરંપરાના આદર્શ શ્રમણ છે--જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયથી. તેમની અદ્ભુત ગ્યતાથી આકર્ષાઈને સ્વ. પૂ. શ્રી જવાહરલાલજી મહારાજ સાહેબે તેમના ગુરૂવર્યને કહ્યું હતું કે, તમે મુનિ સમર્થમલજી મને આપો અને બદલામાં ૧૦ -૧૫ સાધુઓ લઈ લે. પૂજ્યશ્રીએ એમના ગુણો તેમજ બહુશ્રુતતાનું મૂલ્યાંકન કર્યું હતું. તેઓમાં સરલતા, વિનમ્રતા, સાદાઈ, સતર્કતા તથા દઢતાનું દર્શનીય સંમલન થયું છે. આ વર્ક, જડ એવા પ્રધાન યુગમાં તેનામાં ચોથા આરાની સાધુતાનું દર્શન થાય છે. જ્યારે મેં શ્રીમાન શેઠ કિસનલાલજી પૃથ્વીરાજજી માલુ પાસે પ્રશ્નોત્તરીના સંગ્રહથી ભિરેલ રજીસ્ટર જોયું અને બે ચાર પાનાં વાંચ્યા, તે મનમાં ભાવ ઉઠયા કે, જ્યારે શેઠની પંજીથી દરિદ્ર પણ કમાઈ કરીને ધનવાન બની શકે છે, તે હું પણ આ જ્ઞાનલક્ષ્મીથી મારા ખાલી આત્માને કેમ ન ભરું ? હું લલચા અને શ્રીમાન શેઠ કિસનલાલજી સાહેબ પાસેથી થોડાક દિવસ માટે રજીસ્ટર માંગી લીધું, ત્યારબાદ “સમ્યગ્ગદર્શન” પત્રમાં પ્રશ્નોત્તર માળા ભાગ બીજે શરુ થયે. પહેલે જ લેખ દેખીને શ્રીમાન માલુ શેઠે પત્ર દ્વારા જણાવ્યું કે તમે મેં આપેલા રજીસ્ટરમાંથી પ્રશ્નોત્તર છાપે છે, પરંતુ મારે તે છપાવવાના પચ્ચખાણ છે. માટે તમે છાપવાનું બંધ કરે. કેમકે ગુરુદેવ તે પસંદ કરતા નથી. મેં તેમને લખ્યું કે, પચ્ચખાણ આપને છે, મારે નથી. હું સમાજના હિતાર્થે છાપી રહ્યો છું. બસ, પ્રકાશન ચાલતું રહ્યું. ત્યાર પછી તે પુસ્તકની પણ માગણી થવા લાગી. મેં પ્રકાશનનો પ્રારંભ કર્યો અને તેની જાહેરાત પણ કરી દીધી. ગુરુદેવે અમદાવાદમાં આને માટે મને ઉપાલંભ પણ આપે. હું મૌન રહીને તે ઉપાલંભ (ઠપકો સાંભળી રહ્યો. તેઓ પણ આ સિવાય બીજું શું કરી શકે? શેઠ કિસનલાલજીની જેમ પ્રત્યાખ્યાન કરી લેવા મારે માટે અસંભવિત હતું. મેં એક બીજો પ્રશ્ન ઉપસ્થિત કરીને તે બાબતને જ ટાળી દીધી. હું સમજું છું કે, આ પ્રકાશન ગુરુદેવની ઈચ્છા તેમજ રુચિથી વિપરીત છે, તે તેઓની પિતાની મર્યાદા છે, આચાર છે. તેઓએ તેમજ કોઈ પણ સાધુએ છાપવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ. જે કંઈ કરે તે તેદેષયુક્ત છે, પરંતુ હું તે આ કાર્ય કરી શકું છું. જ્યારે હું અથવા અન્ય ઉપાસક જિનેશ્વર ભગવંતની વાણીરૂપ આગમ છપાવે છે તે આ આગનેના અર્થ તેમજ રહસ્યને સ્પષ્ટ કરતે સંગ્રહ કેમ છાપી ન શકું? જે શ્રીમાન શેઠ કિસનલાલજી પૃથ્વીરાજજી એમ ને એમ પેટીપટારામાં બંધ કરી રાખે, તે સેંકડે અને હજારે પાઠકને લાભ થાત? નહિ. સમાજમાં જ્ઞાનના પ્રસાર માટે જેટલી આવશ્યક્તા આગના પ્રકાશનની છે, એટલી જ બલકે તેથી પણ વધુ આવશ્યક્તા આવા સાહિત્યની છે, આ સાહિત્ય આગના ભાવને સમજાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy