SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ હું માનું છું કે, સાધુ સાધ્વીઓએ પિતાની સંયમ-મર્યાદાનું પાલન પૂર્ણરૂપે, નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ; બરોબર કરવું જોઈએ, અને છપાવવાના સદોષ કાર્યથી બચવું જોઈએ. મર્યાદાના જરા પણ ઉલંઘનથી કેટલું ભયંકર પરિણામ આવે છે, તેનું જીવન લ્યમાન પરિણામ “નિશીથ ચૂણિ” છે. કેટલાયે વિદ્વાન અને પદવીધારી સાધુ પિતાની સાધના ભૂલીને, પોતાની વિદ્વત્તાનું જવાહિર દેખાડવા માટે, અનુભવ જ્ઞાન વિના જેવા તેવા લેખ લખીને તથા ગ્રંથકાર તથા સંપાદક બનવા લાગી જાય છે. કઈ કઈ તે પૂરા પત્રકાર તથા પત્ર સંપાદક જ બની બેઠા છે. પત્ર, પુસ્તક સંસ્થાના ખર્ચને પહોંચી વળવા માટે ધન એકઠું કરાવે છે. કોઈ કઈ વેશધારી તે એટલા તે સ્વછંદી બની ગયા હોય છે કે, જેઓ ખોટા લેખો લખે છે અને નિર્દોષ પર જુઠા દોષારોપણ કરતાં પણ લજવાતા નથી. આ દુષ્પરિણામ તે હવે સૂર્યના પ્રકાશની જેમ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. વર્તમાન કુટિલતા-પ્રધાન યુગમાં (જેમાં સંસ્કૃતિ બગાડવાનો કુપયન નિરંતર થઈ રહ્યો છે) સમ્યક કૃત સાહિત્યનું પ્રકાશન તેમજ પ્રચાર આવશ્યક જ નહિ, કિંતુ અતિ આવશ્યક છે. સમ્યગૃજ્ઞાનના પ્રચારથી જ નિર્ગથ–પરંપરાનું રક્ષણ થઈ શકે છે. પ્રસનતા છે કે, આ પુસ્તકના પ્રકાશનને વ્યયભાર (ખર્ચ) ધર્મપ્રિય ઉદાર મહાનુભાવોએ સંભાળી લીધું છે. આમ તે પુસ્તકનું કામ ગત જુલાઈ ૧૯૬૭ માં પૂરું થઈ ચૂકયું હતું. પરંતુ આઠસેથી પણ વધારે પ્રશ્નોની વિષય સૂચિ બનાવવાનો સમય મને ન મળે, અને એથી વિલંબ થઈ રહ્યો હતે. પુસ્તકની માંગ બરાબર આવતી હતી. હું વિવશ હતું. પરંતુ મારી વિવશતા ગોંડલ સંપ્રદાયના પં. મુનિ શ્રી જનકરાયજી મહારાજે દૂર કરી દીધી. તેઓ શ્રમણ શ્રેષની વિશિષ્ટ જ્ઞાનગરિમાથી પ્રભાવિત છે અને વર્ષો સુધી તેઓશ્રીની સેવામાં રહી ચૂક્યા છે. તેમણે સ્વયં પરિશ્રમપૂર્વક આ કાર્ય કરીને પ્રકાશનની મુશ્કેલી દૂર કરી. તેમની આ કૃપા માટે હું આભારી છું. આ પ્રથમ ભાગમાં સંગ્રહિત રજીસ્ટરના બે ભાગ પૂરા થઈ જાય છે. બીજા ભાગમાં આગળના પ્રશ્નોત્તરે લેવાશે. આશા છે કે, ધર્મ રસિક મહાનુભાવ તેને લાભ લેશે. સૈલાના ફિલ્થન શુ. ૫ વીર સંવત ૨૪૪ વિ. સંવત ૨૦૨૪ ૨તનલાલ દેશી તા. ૪-૩-૬૮ વિનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy