SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિધાન વિપરીત સિદ્ધ કર્યું છે. એવાં બીજાં પણ ઉદાહરણ છે. (જુઓ ભગવતી ભા. ૧ ની પ્રસ્તાવના). (૩) ટીકાકાર જન્મ-નપુંસકની સિદ્ધિ નથી માનતા, અને આપણું સમાજમાં પણ પરંપરાથી એ જ માન્યતા ચાલી આવતી હતી. પરંતુ તેઓએ ભગવતી શ. ૨૬ ના મૂલ પાઠથી–જ્યાં “અનન્તર–ઉપપક નપુંસક વેદી” વિષયમાં વિધાન છે કે, તેઓમાં આયુકર્મને” અબજૂકપણ હોય છે. તે ધારણુને બાધ્ય બતાવી જે “અનન્તરો૫૫નક નપુંસકવેદી” છે તેઓ તે જન્મ-નપુંસક જ છે અને તેઓ આયુકમ ન બાંધે તો સિદ્ધ જ થાય. આ રીતે અનેક વિષયમાં તેઓનું ગહન ચિંતન તેમ જ વસ્તુની તલાશી દૃષ્ટિનું દર્શન થાય છે. શ્રમણકમાં બહુશ્રુતતા તથા ગીતાર્થતાને આવો સુમેળ હોવા છતાં, વિનમ્રતા પણ ઘણી છે. એક નાના અને મામુલી માણસ સાથે તેઓ ભારે પ્રેમ અને સૌજન્યથી વાતચિત કરે છે. તે મામુલી માણસના પ્રશ્નને પણ જવાબ આપે છે કે જે રીતે કોઈ વિશિષ્ટ વ્યક્તિ સાથે આદર ભર્યું વર્તન હોય તે રીતે. શ્રમણકની જ્ઞાન ગુણ વિશિષ્ટતા, સહનશીલતા અને દઢતાને પરિચય સોજત અને ભીનાસરના શ્રમણ-સંમેલનમાં મળે હતે. તે મિટિંગમાં વિધિ પક્ષને નિર્વાહ કરતાં તેમણે જ ચર્ચામાં ભાગ લીધો હતો. બીજી તરફ વિધિ–બાહ્ય પક્ષમાં કવિ અમરચંદજી મ. હતા. (જેઓ મર્યાદાની સીમાને વધારીને લાંબી પહેલી કરવાની રુચિવાળા અને કરુચિના સમર્થક હતા, તેમની દુષિત વિચારણાનું જાજવલ્યમાન પ્રમાણ “નિશીથ ચૂર્ણિ”ના પ્રકાશનથી અને અમર ભારતમાં સ્પષ્ટ જોઈ શકાય છે.) બહુશ્રુત ગુરૂદેવ, કવિવરના વ્યંગબાણ અને સાથીઓની તાણ ખેંચ સહન કરવા છતાં પણ વિધિવાદ (આગમપક્ષ)નું દઢતાપૂર્વક રક્ષણ કરતા રહ્યા. આખાયે શ્રમણસંઘમાં તેઓ એકલા જ આ પક્ષના પ્રવક્તા હતા. મારા જાણવામાં આવ્યું છે કે, તે વખતે વિધિપક્ષમાં રૂચિ રાખવાવાળા પૂજ્ય ઉપાચાર્ય શ્રી, ઉપાધ્યાય પૂ. શ્રી હસ્તીમલજી મ. અને કદાચિત્ એકાદ બીજા મુખ્ય સંત ઈચ્છતા હતા કે, બહુશ્રુત પં. શ્રી સમર્થમલજી મ. શ્રમણ સંઘની મિટિંગમાં બરાબર ભાગ લઈને વિધિપક્ષનો નિર્વાહ કરે અને વિપક્ષ એવા પ્રયત્નમાં હતું કે શ્રમણ શ્રેષ્ઠ અહિંથી ચાલ્યા જાય. એક ખાલી ચણએ તે ભરી સભામાં તેમનું કટુ શબ્દોમાં અપમાન પણ કર્યું હતું, પરંતુ તેઓ પૂરેપૂરા શાન્ત અને પ્રસન્ન રહ્યા. પ્રસિદ્ધિની ઇચ્છા તે તેમનામાં લેશ પણ ન હતી. એથી જ તેઓ વાસ્તવિક શ્રમણમર્યાદાના પાલક રહી શક્યા અને ખીચનમાં એક ખૂણામાં બેસીને અપ્રસિદ્ધ રહ્યા. સમાજને બહુ જ મોટો વર્ગ આ આદર્શ શ્રમણના દર્શનથી પણ વંચિત રહ્યો. આટલા વર્ષો સુધી તેઓ છૂપા રહ્યા, તેનું મુખ્ય કારણ એ જ છે કે, તેઓ પોતે પ્રસિદ્ધિના ઈચ્છુક ન હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy