SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ આવૃત્તિ (હિંદી) ના સંપાદકનું નિવેદન બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ નિર્ગસ્થપરંપરાના આદર્શ સંત છે. તેમનામાં શ્રમણ ધર્મની ઉજજવલ સાધુતાના દર્શન થાય છે. તેઓમાં ચારિત્ર નિષ્ઠા, ઉત્તમ સાધના અને જ્ઞાન ગરિમા સાકાર થયેલ છે. તેઓશ્રીનું આગમનું પરિશીલન, તલસ્પર્શી અવગાહન અને સૂક્ષમ વિલેષણ જોઈને આશ્ચર્ય થાય છે. જોધપુર ચાતુર્માસમાં મેં જ્યારે તેઓની પાસેથી સ્થાનાંગ સૂત્રની ચભંગીઓનું વિવેચન સાંભળ્યું, તે વિચાર થે કે, આ મહાત્મામાં બહુશ્રુતતા જ નહિ, ગીતાર્થતા પણ સ્પષ્ટ ઝળકી રહી છે. મેં આવું વિવેચન કદી સાંભળ્યું જ ન હતું. મૂળના જે શબ્દોમાં જે ગંભીર અર્થે ભર્યો પડ્યો હતો, તે પહેલાં કદી સાંભળવામાં જ આવ્યું ન હતું. તેમ જ ક્યાંય વાંચવામાં પણ આવ્યું ન હતું. તેઓની સૂમ તથા પ્રમાણિક સૂત્ર સ્પશી વિવેચનાથી પ્રભાવિત થઈને મારા મનમાં વિચાર આવ્યું કે, આ વિવેચનાને સાંભળીને તે કેવળ જ્ઞાનીની સર્વજ્ઞતામાં સંદેહ કરવાવાળો મનુષ્ય પણ એક વાર વિચાર કરે. જ્યારે આજે પણ આ પ્રમાણે અપ્રકટ અર્થને સ્પષ્ટ કરનાર મહાપુરુષ છે, તે તે સમયે કેવળજ્ઞાનસર્વજ્ઞ પણ હશે જ. વ્યાખ્યાન પૂર્ણ થતાં જ, પં. મુનિ શ્રી પારસકુમારજી મહારાજે શ્રમણ શ્રેષ્ઠની અદ્દભુત જ્ઞાનગરિમાંથી પ્રભાવિત થઈને લગભગ અર્ધા કલાક સુધી જે ઉલ્લાસપૂર્ણ ઉગાર વ્યક્ત કર્યા તે ખરેખર મારા જ ભાવ વ્યક્ત થઈ રહ્યા હતા. એ જ પ્રકારે તે પહેલાં અને પછી પણ, હું તેઓના અદ્દભુત જ્ઞાનથી આશ્ચર્યાન્વિત થયે હતે. તેઓશ્રીની બહુશ્રુતતા તથા ગીતાર્થતાનું પ્રમાણુ ભગવતી સૂત્રના તે સ્થળોના અર્થથી પણ મળે છે, જેમાં બારમી શતાબ્દિના સમર્થ વ્યાખ્યાતા શ્રી અભયદેવસૂરિથી પણ ભૂલ થઈ ગઈ હતી. અને એ ભૂલની ધારણું પરંપરાથી આજ સુધી ચાલતી રહી. જેમ કે— (૧) ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૧ માં આત્મારંભ આદિ વિષયમાં પ્રમત્ત સંસ્થતિમાં ટીકાકારે કૃદિ ત્રણ લેશ્યાને નિષેધ કર્યો છે, પરંતુ તેમને એ નિષેધ ભગવતી સૂત્ર શ. ૮ ઉ. ૨ અને પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૦ ઉ. ૩ ના મૂળથી વિપરીત છે, ત્યાં કૃષ્ણાદિ છએ લેશ્યાઓમાં ચાર જ્ઞાન પણ બતાવ્યા છે. અને ચાર જ્ઞાનમાં મનઃ પર્યવસાન પણ હોય છે, જે સંયતિમાં જ હોય છે. (૨) ભગવતી શ. ૧ ઉ. ૨ માં આયુષ્ય બંધના વિષયમાં ટીકાકારે વૃદ્ધોની ધારણા પરથી લખ્યું કે, અંતિમ વાસુદેવે સાતમી પૃથ્વીનું આયુષ્ય બાંધ્યા પછી એ જ ભવમાં બીજીવાર ત્રીજાને બંધ કર્યો. તેને શ્રમણ ખુદ ટીકાકારના જ શ. ૧ ઉ. ૧ માં કરેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy