SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૪૫ આવવું, હીયમાન પરિણામ નથી કહેવાતું. હીયમાન પરિણામ વિના પણ નીચે આવવાનું હાઈ શકે છે. જેવી રીતે યથાખ્યાત ચારિત્ર તથા નિગ્રંથ-નિયંઠામાં ીયમાન પરિણામ નથી પામતા, તો પણ ૧૧ મા ગુણસ્થાનની સ્થિતિ પૂરી થવા પર, ૧૧ મામાંથી દસમામાં આવી જાય છે. આ જ રીતે છમસ્થ તીથંકર પણ હીયમાન પરિણામ વિના જ છ મા ગુણસ્થાનની સ્થિતિ સમાપ્ત થવા પર, છઠ્ઠા ગુણસ્થાનમાં આવે, તે શે વાંધા છે ? ભગવતી શ. ૧ ઉ. ૧ માં શુભયોગવાળા પ્રમત્ત સયક્તિને પણ અપ્રમત્ત સંયતિની જેમ અનારંભી બતાવ્યા છે, એટલે કે છઠ્ઠામાં આવવા છતાં પણ તેમનાં ભાવ તે અનારભ સંબંધી એવા જ બતાવ્યા છે. પ્રશ્ન ૧૬૫ઃ—અભયકુમારે ધારણીદેવીને દોહદ પૂરા કરવા માટે પૌષધ સહિત ત્રણ ઉપવાસ કર્યાં હતા. આ પૌષધ અને ૩ ઉપવાસ સમ્યગ્ચારિત્ર તથા તપમાં નથી આવતા, ત્યારે તેમણે પૌષધ પાળવાનુ' પહેલાં દેવને પોતાનું પ્રયાજન કેમ ન કહ્યુ` ? જો એમ કહેવાય કે · દેવ અવિરત હતા.’ તો તે પણ ચોગ્ય નથી, કેમકે અભયકુમારના પૌષધ અને અમ પણ વ્રતમાં મનાતા નથી, કેમકે તે આત્માના હિત માટે ન હતાં. આમાં શું રહસ્ય છે ? જવાબ ઃ—જો કે અભયકુમારના પૌષધ આન્તરિક રૂપથી ધાર્મિક ક્રિયા ન હતી, તા પણ બાહ્ય ક્રિયા તે બધી એવી જ હતી કે જેવી ધાર્મિક ક્રિયા પૌષધ અને તપમાં હાય છે. જેમકે, પૌષધશાળામાં જવું, પૌષધશાળા સાફ કરવી, ઉચ્ચાર-પ્રસવણુ ભૂમિ (ઝાડો પેશાબ)ની પ્રતિલેખના કરવી (તપાસવુ)દલ્હની (ઘાસની) પથારી પાથરવી વગેરે અને પચ્ચક્ખાણ વિધિ પણ તે જ હશે. ખીજા જોવાવાળા એ જ જાણતા હતા કે ધર્માંની આરાધના કરે છે. તેથી એવી ક્રિયા નથી કરતા, કે જેનાંથી તે ક્રિયાનું મહત્ત્વ ઘટે અને જોવાવાળાઓ ઉપર ખરાબ અસર થાય. નિરવદ્ય વિષયેાની વાત ગૃહસ્થની સાથે પણ મુનિ કરે છે, પરંતુ અભયકુમારજીનુ પ્રયોજન (કારણ) સાવદ્ય હતું અને પૌષધની પ્રતિજ્ઞા સાવદ્ય યોગના ત્યાગ—પૂર્વક હતી. તેથી પ્રતિજ્ઞા પાળવા માટે પણ અવિરત દેવની સાથે સાવદ્ય વિષય ઉપર વાત ન કરવાનુ તેમનુ લક્ષ્ય હોઈ શકે છે. પૌષધની ખાદ્ય મર્યાદામાં ભંગ ન થાય, એટલા માટે દેવની સાથે સાવદ્ય પ્રચાજનના વિષયમાં, વાતચીત ન કરવી, ઉચિત જ છે. પ્રશ્ન ૧૬૬ ઃ—જીવના ૫૬૩ ભેદોમાંથી સાસ્વાદન સમકિતમાં જીવના કેટલા અને કયા કયા ભેદુ છે? આ રીતે ક્ષયાપરામિક, સાયિક, ઔપશમિક અને ચેક સમ્યક્ત્વમાં જીવનાં કેટલાં અને કયા કયા ભેદુ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy