SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] સમય –સમાધાન આરાધના સંબંધી ૪૮ ભંગ મતાવ્યા છે. તેના પણ મનથી જ આલેાચના, મિથ્યાદુષ્કૃત્ય, નિંદા, જ્યાં સુધી યથાર્યેાગ્ય પ્રાયશ્ચિત, તપ તથા આરાધનાનાં હાવાનું, સાબિત થાય છે. આના સિવાય સ્વપ્નની અવસ્થામાં પણ બધા પ્રકારના આસ્રવ (પીણાં)નું સેવન કરવું– કરાવવુ, મનથી થઈ શકે છે. આ રીતે અનેક દાખલા છે. પ્રશ્ન ૧૬૨ઃ—સામાનિક દેવ તથા સામાન્ય દેવ, તીકરાનાં જન્મ વગેરે કલ્યાણુક અથવા પ્રભુને વાંદવા આવે છે, તે મૂળ શરીરે આવે છે કે વેકેય શરીરે ? જવાબ ઃ—જમ્મૂદ્રીપના ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં તીકોનાં જન્મ એકીસાથે એક જ સમયમાં થાય છે અને પૂર્વ તથા પશ્ચિમ મહાવિદેહમાં એકીસાથે ચાર તીથ કરોનાં જન્મ થાય છે. જન્મ એકી સાથે થવાથી જન્મના ઉત્સવ પણ સાથે જ થાય છે, આટલા માટે દિશાકુમારીએ અને ઇન્દ્રિ વગેરેને તે વૈક્રય કરવું જ પડે છે, કેમકે બધા તીર્થંકરોનાં જન્મોત્સવમાં ૬૪ જ ઇન્દ્રોની હાજરી હેાય છે. આવા વખતે વૈક્રય વિના માત્ર મૂળ શરીરથી કેવી રીતે કામ ચાલી શકે ? તેમ જ મૂળ શરીરથી પણ દેવ અને ઇન્દ્રે આવે છે. જ્યારે ચમરેન્દ્ર પ્રથમ સ્વČમાં ગયા હતા. ત્યારે સૂમરેન્દ્ર અને શક્રેન્દ્ર ભગવાનની પાસે મૂળ શરીરે આવ્યા હતા આ રીતે સૂર્યાભની જેમ બીજા દેવ અને ઇન્દ્ર મૂળશરીરથી આવે છે. કેટલાય દૈવ ભવિષ્યની માતાના કોઠા સાફ કરવા આવે છે અને સાફ કરતાં કરતાં મરીને ત્યાં જન્મ લે છે. આ વાત પ્રજ્ઞાપનાના ૨૧ મા પદ્મથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૬૩ઃ—પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદના વનસ્પતિ અધિકારમાં પ્રત્યેક પત્રમાં એક જીવ” બતાવ્યા અને સાંભળ્યુ છે કે એક પત્રમાં અનેક જીવ હોય છે? જવાબ :—પ્રજ્ઞાપનામાં તે એક પત્રમાં એક જીવ ખતાવ્યા, તે પત્રની લખાઈ પહેાળારૂપ અવગાહના છે. તે સપૂર્ણ પાંદડુ... એક જીવનું શરીર છે. તેની નેશ્રાયમાં નાના શરીરવાળા અનેક જીવ હાઈ શકે છે જેવી. રીતે મસ્તકથી પગ સુધી મનુષ્યના શરીરમાં એક જ જીવ છે. પરંતુ તેનાં આશ્રયમાં બૂ, લીખ, કૃમિ વગેરે અનેક જીવ હાઇ શકે છે. આ રીતે પાંદડામાં પણ સમજવાનું, પ્રશ્ન ૧૬૪:—ત્રણ પ્રકારનાં પરિણામ હોય છે. હીયમાન, વર્ધમાન અને અવસ્થિત, છદ્મસ્થ તી કરામાં યુ પરિણામ હોય છે? તેમાં હીયમાન પરિણામ હોય છે કે નહિ ? દીક્ષા લેતી વખતે તેઓ સાતમા ગુણસ્થાનમાં હોય છે અને પછી ત્યાંથી પાછા ફરીને છઠ્ઠા ગુણુસ્થાનમાં આવે છે. સાતમાથી છઠ્ઠામાં આવવાને, હીયમાન પરિણામ મનાય કે નહિ? જવાબ ઃ—કષાય—-કુશીલ નિયંઠા દસમા ગુણસ્થાન સુધી હેાય છે, અને તેએમાં ત્રણે પરિણામે હાય છે. પણ ગુણસ્થાનની સ્થિતિ પૂરી થવા પર, સાતમામાંથી છઠ્ઠામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy