SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] સમર્થ–સમાધાન આ ક્ષાપશમિક સમ્યફી જીવને, મિથ્યાત્વની પ્રાપ્તિ થવી અસંભવ વાત નથી. પણ તે નરકમાં જાય છે, એટલા માટે સમ્યકત્વનું વમન કરીને મિથ્યાત્વમાં જવું જરૂરી છે, આ વાત સૂત્રને માન્ય નથી. સમ્યક્ત્વયુક્ત છઠ્ઠી નરક સુધી જવામાં સૂત્ર સંમત છે. આ કારણથી જિન-નામ-કર્મવાળે જવ, સમ્યકત્વ સહિત પણ નરકમાં જઈ શકે છે. પ્રશ્ન ૧૫૫ –ભગવાન મહિલનાથે આગળના ભવમાં સ્ત્રીવેદને બંધ કર્યો, તે જિન-નામ-કર્મના બંધની પહેલાં કર્યો હતો કે પછી? જવાબ:–મૂળ પાઠથી તો એવું લાગે છે, કે જિન-નામ કર્મના બંધની પહેલાં સ્ત્રીવેદને બંધ કરી લીધું હતું, પરંતુ વૃત્તિમાં ઉદ્દધૃત ગાથાને અભિપ્રાય પછી લાગે છે. તેમાં લખ્યું છે કે' “જહ મલ્લિસ મહાબલભવિંમિ, તિર્થીયરનામબંધેડવિ તવિસય–વમાયા જાયા, જુવઈતહેઉત્તિ છે ૨ સ્ત્રી–વેદને બંધ, સમ્યકત્વ અવસ્થામાં નથી થતું. ભગવાન મલ્લિનાથના વિષયમાં જ્ઞાતાસૂત્રનાં મૂળ પાઠથી જણાય છે, કે તેમણે સ્ત્રી–વેદને બંધ કરી લીધું હતું, તેની પછી જિન-નામ-કર્મ બાંધ્યું, પણ વૃત્તિમાં દીધેલી ગાથાથી જણાય છે કે જિન-નામ કમ બાંધ્યા પછી સ્ત્રી–વેદને બંધ કર્યો, સિદ્ધાન્તવાળે પક્ષ બળવાન હોય છે. પ્રશ્ન ૧૫૬ –હિંસાને ત્રણ કરણ ત્રણ વેગથી ત્યાગ હેવા છતાં, સાધુઓને નદી ઊતરવાની આજ્ઞા શા માટે દેવાઈ છે? શું ધર્મનાં ઉપદેશને માટે પ્રચારની દૃષ્ટિથી? જવાબ :–નહિ, તે સાધારણ આજ્ઞા નહિ, પણ વિવશતાની સ્થિતિને લક્ષમાં (ધ્યાનમાં લઈ છૂટ દેવાયેલ છે. કારણ વિના તે કાચા પાણીને સ્પર્શ (સંઘટા) પણ નથી કરાતે, તે નદી ઊતરવાની આજ્ઞા કેવી રીતે દઈ શકાય છે? એક જ જગ્યાએ, શારીરિક કારણ સિવાય, વધુ શેકાવાની મનાઈ છે. કેમકે વધુ રહેવાથી ગૃહસ્થ સાથે મોહનું બંધન થઈ જાય છે અને સંયમમાં ઢીલાશ આવી જાય છે. એટલા માટે, વિહાર કરતા રહેવાની, જ્ઞાનીઓએ આજ્ઞા દીધી છે. કલ્પ પૂર્ણ થયા બાદ એક ગામથી બીજે ગામ જતાં, જે નદી સિવાય બીજો કોઈ રસ્તો ન હોય, તે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની રક્ષાને માટે સાધુને લાચાર થઈને નદી ઊતરવી પડે છે. પરંતુ ઉપદેશને માટે નહિ, કેમકે ઉપદેશ, ઈચ્છાપૂર્વક દેવાય છે અને ઉપદેશ દે, તે અનિવાર્ય નિયમ નથી. જે ઉપદેશ દેવા માટે ઊતરવાની આજ્ઞા હોત, તે આવી કાવટ ન હેત કે “એક માસમાં બે વખત અને વરસમાં ૯ વખતથી વધુ ન ઊતરે. પ્રચારને ઉદ્દેશ હોય તે જેટલી વાર જરૂરિઆત હોય એટલી વાર ઊતરે, આમાં પ્રતિબંધની શી આવશ્યક્તા હતી? પ્રતિબંધથી તે પ્રચારમાં રુકાવટ થાય છે. પ્રચાર ઓછો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy