SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૩૯ જવાબ–નન્દી તથા સિદ્ધિ પ્રાભૂતની ટીકામાં સાધ્વીઓ દ્વારા પ્રતિબંધિત પુરુ ષોનું સિદ્ધ હવું, બતાવ્યું છે. આથી સાદી, સ્ત્રી અને પુરુષની મળેલી સભામાં ઉપદેશ દઈ શકે છે. પ્રશ્ન ૧૫૩ –પૃથ્વીકાયના સાત લાખ નિભેદ માન્યા, તેમાં ૩૫૦ મૂળ ભેદ માન્યા છે, તે કયા પ્રકારે છે?, જવાબ: સમવાયાંગ ૮૪ માં “ચોરાસીઈ જેણિ પમુહ સયસહસ્સા પણત્તા”આ પાઠ આવ્યું છે. પ્રજ્ઞાપનાનાં પ્રથમ પદમાં પૃથ્વી વગેરેના ભેદમાં “તત્થણું જે તે પજરૂગાએ તેસિં વન્તાદેણું, ગંધાણ, રસાદેણું, ફાસાદેણું, સહસગા સે વિહાર @ઈ સંખેરજાઈ જેણિ૫મુહ સતસહસા”—આ પાઠ આવ્યો છે. આની ટીકા કંઈક વિસ્તારથી છે. સમવાયાંગના અર્થમાં પણ લખ્યું છે.” જે કે જીવની ઉત્પત્તિના સ્થાનક અસંખ્યાતા છે, પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે એક નિ કહેવાય” તથા પ્રવચનસારોદ્ધારના ૧૫૧ માં દ્વાર ગાથા ૯૮૨ થી ૯૮૪માં પૃથ્વીકાય વગેરેની જુદી જુદી સંખ્યા તથા જીવ અનન્ત અને ઉત્પત્તિ-સ્થાન અસંખ્ય હોવા છતાં પણ નિ આટલી જ કેમ બતાવી? આનું સમાધાન (ખુલાસો) કરતાં-“કેવલિવિક્ષિતવણુડડદિસા દશ્યતઃ પરસ્પરાન્તા ભાવવિ ચિન્તય ચતુરશીતિલક્ષ સંખ્યાએવ ચ ભવન્તિ ન હીનાધિકા” વગેરે બતાવ્યું છે. ઉપરના પાઠને વિચાર કરતાં, એવું લાગે છે કે વર્ણ વગેરેના સામાન્ય ભેદ એક લાખ એનિની પાછળ ૫૦ સમજવા જોઈએ, તે સામાન્ય વર્ણ વગેરેમાં વિશેષ વર્ણ વગેરેના બધાં ભેદે રહે છે. તે સામાન્ય વર્ણ વગેરેને ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ પશે અને પ સંસ્થાનથી ગુણાકાર કરે, આ પ્રકારે કરવાથી બરાબર સંખ્યા થઈ જાય છે. આ રીતે બધાની નિ સંખ્યા નીકળે છે. પ્રશ્ન ૧૫૪ – જિન (તીર્થકર)” નામ કર્મ બાંધ્યા પછી, જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે કે નહિ? જવાબ: આ વિષયમાં મતભેદ છે. જિન નામ-કર્મ નિકાચિત કર્યા પહેલાં તે મિથ્યાત્વને પ્રાપ્ત થઈ શકે છે, પણ જિન-નામ-કર્મને નિકાચિત કર્યા પછી મિથ્યાત્વની પ્રાપ્તિ કર્મ ગ્રન્થ માની છે. બીજા કમ ગ્રન્થ ગાથા ૨૫ કે પાંચમા કર્મગ્રન્થ ગાથા ૧૨ વગેરેથી તીર્થકર નામ કર્મનાં નિકાચિત થયા બાદ પણ મિથ્યાત્વની પ્રાપ્તિ માની છે. તેને ભાવ એ છે કે જે આત્માએ મિથ્યાત્વદશામાં નરકનાં આયુને બંધ કર્યો, અને પછીથી ક્ષાપશમિક સમ્યકત્વ પામીને જિન નામકર્મને બંધ કર્યો, તે મૃત્યુની વખતે મિથ્યાત્વને પ્રાપ્ત થઈને નરકમાં જાય છે અને અન્ત મુહૂર્તમાં જ મિથ્યાત્વને છોડીને ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત કરી લે છે. આ અપેક્ષાથી મિથ્યાત્વ ગુણ સ્થાનમાં પણ તીર્થકર-નામ-કર્મની સત્તા માની છે. કર્મગ્રન્થને અભિપ્રાય છે કે બીજા અને ત્રીજા ગુણસ્થાનને છોડીને, બાકીના બાર ગુણસ્થાનેમાં તીર્થકર નામ કર્મની સત્તા રહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy