SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન અગ્રમહિષીઓ (પટરાણીઓ) બની, તે પહેલાં ધરણેન્દ્રની જે અગમહિષીઓ (પટરાણીઓ) હતી, તેઓ ૧૭ મા તીર્થંકરથી પણ પહેલાં બની ચૂકી હતી. કેમકે ધરણેન્દ્રની અગ્રમહિષીઓની (પટરાણીઓની સ્થિતિ અર્ધ પલ્યોપમથી પણ કંઈક અધિક છે અને અર્ધ પપમ કાળ સ્થિતિવાળી, ૧૭ મા તીર્થંકરની પહેલાં ઉત્પન્ન થઈ હોય, ત્યારે ૨૩ મા તીર્થકરના સમય સુધી કાયમ રહીને કાળ કરી શકે છે. આથી સિદ્ધ થાય છે કે ભગવાન પાર્શ્વનાથનાં ગૃહ આવાસમાં રહેવા સુધી તે ધરણેન્દ્રની અગ્રમહિષીઓ (પટરાણીઓ) પૂર્વે જ ઉત્પન્ન થઈ હતી, કેઈ નવી ઉત્પન્ન થઈ ન હતી અને ન પદ્માવતી નામની ધરણેન્દ્રને કઈ અગ્રમહિષી (પટરાણું) પણ છે. આથી ઉપસના સમયે ધરણેન્દ્રની સાથે પદ્માવતી નામની અગ્રમહિષી (પટરાણું) હોવાનું આગમ (સૂત્ર) સંમત નથી, પ્રશ્ન ૧૪–મુનિ નદીના કિનારે બેઠા હોય અને ત્યાંથી કઈ જીવંત મનુષ્ય તણાતે આવે તે મુનિ તેને કાઢી શકે છે કે નહિ? જવાબ –મુનિએ જળાશયના કિનારે બેસવાનું વગેરે ૨૦ બેલેની બૃહકલ્પ ઉ. ૧ માં મનાઈ છે. જે કારણને વશ કાવું પડયું હોય, તે પણ જેમ હાડીમાં આવતાં પાણીને બતાવવાને કલ્પ (નિયમ) નથી. તેવી જ રીતે તણાતા આવતા ગૃહસ્થને કાઢવા માટે સાધુને માટે નિયમ નથી. પ્રશ્ન ૧૫૦ –મુનિ, ગૃહસ્થને ઘરે ભિક્ષા વગેરે માટે ગયા હોય, ત્યાં બીજે માળેથી બાળકને પડતે જુએ, તે તેઓ હાથ ફેલાવીને તે બાળકને ઝાલીને બચાવી શકે છે કે નહિ? - જવાબ –સ્થવિકલ્પી મુનિ, અપવાદ માર્ગમાં ઉપરથી પડતા બાળકને ઝીલી શકે છે. આવું પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજશ્રીના મુખેથી પણ સાંભળ્યું છે. પ્રશ્ન ૧૫૧ –બળતાં મકાનનું બારણું ખેલીને, મનુષ્ય વગેરેને નિકળવાને રસ્તે, મુનિ દઈ શકે છે? જવાબ –નિશીથ ઉ. ૧૨ નાં ભાષ્ય અને ચૂર્ણના પ્રમાણે મુનિ, અગ્નિને સંઘ વિના (અડયા વિના) બળતાં મકાનને દરવાજો ખોલીને મનુષ્ય વગેરેને માર્ગ દઈ શકે છે. મુનિ, ઘાયલ ગૃહસ્થને મલમપટ્ટી નથી કરી શકતા. આ વાત સાચી છે- નિશીથ ઉ. ૧૨ માં ગૃહસ્થની ચિકિત્સા કરે અથવા અનુમોદે (સમર્થન કરે) તે ચોમાસી દંડનું વિધાન છે, તથા ઉ. ૧૧ મામાં ગૃહસ્થના ફોડા વગેરે (ફેડલા, ઘા વગેરે)નું છેદન વગેરે કરે, તો ચૌમાસી દંડ બતાવ્યો છે. પ્રશ્ન ૧૫૨ -–શું સાધ્વી, પુરુષોની સભામાં ઉપદેશ દઈ શકે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy