SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૪૧ સૂત્રમાં નદીના લેપની (ઊતરવાની) સંખ્યા નક્કી કરી, તે કલ્પની સુરક્ષાને માટે ખરાખર છે. જેવી રીતે—કોઈ સાધુ માશીષ પ્રતિપદાએ ( માગશર સુદ પુનમે ) (ચાતુર્માસની પછી વિહાર કરીને) કોઈ ગામમાં ગયા, ત્યાં જવામાં નદી આવી, પછી કલ્પ પૂર્ણ થવાથી, જ મહીનાનાં છેલ્લા દિવસે વિહાર કરવાથી ફરીવાર ની આવી. આ રીતે મહિનામાં એ અને બાકીના વખતમાં સાત મહિનામાં જે આવે તે વધારેમાં વધારે ૭, આ પ્રકારે વસ આખામાં ૯ થી વધુના નિયમ પણ વિવશતાની સ્થિતિમાં છે. એક મહિનામાં ત્રણ અને વરસમાં દસ વખત નદી ઊતરે, તા મોટો દોષ છે જ અને ઓછીવાર ઊતરવામાં મોટો દોષ નહિ પર ંતુ તેથી ઊતરતા દોષ તે છે જ. વાસ્તવમાં નદી ઊતરવાનુ કારણ જ્ઞાન, દર્શીન તથા ચારિત્રની નિર્મળતા છે, ઉપદેશને માટે નહિ. ઠાણાંગ ૫ ઉ. ૨માં નદી ઊતરવાનાં અને ચાતુર્માસમાં વિહાર કરવાનાં જે કારણેા બતાવ્યાં છે, તેમાં ઉપદેશનુ કોઈ કારણ નથી. પ્રશ્ન ૧૫૭:—સાધુઓના ૧૨૫ અતિચાર કયા છે અને તેના ઉલ્લેખ કાં થયા છે? જ્ઞાનના ૧૪, દેશનના પ, સલેખનાના પ, આ પ્રકારે ૨૪ અતિચાર તે સાધુ અને શ્રાવકના એક જ છે. પાંચ મહાવ્રતની ૨૫ ભાવના છે. દરેક મહાવ્રતની ૫ ભાવના છે, આમાં દોષ લગાવવા રૂપે, મહાવ્રતાના ૨૫ અતિચાર થયા. છઠ્ઠા રાત્રિ ભોજન ત્યાગ વ્રતનાં બે અતિચાર આ પ્રકારે છે. (૧) દિવસનુ રાત્રિ ભેાજન–સૂર્યાંયની પહેલાં લીધેલ અથવા વાસી રાખેલ, અંધારામાં અને પ્રકાશના અભાવવાળા વાસણમાં દિવસના આહાર કરતા હાય છતાં, રાત્રિભાજનના અતિચાર છે. (૨) રાત્રિનુ રાત્રિ-ભાજન-દિવસે વધુ પ્રમાણમાં ભોજન કરવાથી, તેની ગંધ રાતે ચાલુ રહે, રાત્રે આહારના ઘચરકા આવે તે નીકળી જાય અને ઉદય તથા અસ્તની શ'કા હૈાવા છતાં પણ ખાય-પીએ વગેરે પ્રકારથી અતિચાર લાગે. બીજા પ્રકારથી આ અતિચાર આ રીતે લાગે છે. (૧) ભાવ રાત્રિ-ભાજન–રાતના સમયે ખાવાની ઇચ્છિા કરવી, સૂર્ય ઊગી ચૂકયો છતાં પણ નથી ઊગ્યેા સમજીને ખાય, અથવા અસ્ત નથી થયે। પરંતુ અસ્ત હોવાનુ માનીને ખાય-પીએ તે (ર) દ્રવ્ય રાત્રિ-ભાજન—દિવસ હોવાનું સમજે, પણ વાસ્તવમાં દિવસ આથમી ગયા છે આવી દશામાં ખાય-પીએ. સ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy