SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે | [ ૩૫ જવાબ –ચૌદમા ગુણસ્થાનમાં ન તે કઈ સમુદ્યાત છે અને ન કેઈ કર્મની ઉદીરણા છે, તથા મક્ષ જાતાં જીવના આત્માના સર્વ પ્રદેશ સર્વાગથી યુગપતું જ (એકી સાથે જ) નીકળે છે, એટલે કેવળી મહારાજને મૃત્યુવેદના થવાની સંભાવના નથી. પ્રશ્ન ૧૩૬ –પૃથ્વી વગેરે સ્થાવર કાય આહાર કરે, તે રસના (જીભ) વિના આસ્વાદન કેવી રીતે કરે ? જવાબ–પાશ ઈદ્રિય વડે જ આહારનો સ્વાદ કરે છે. પ્રશ્ન ૧૩૭ –અચર (સ્થિર) જયોતિપિનાં વિમાનને પણ દેવ ઉપાડે છે કે કેમ? જવાબ:–“ચંદવિમાણેણં તે! કતિદેવ સાહસી પરિવહંતિ !” વગેરે પાઠોથી દેવે દ્વારા ચર (અસ્થિર) વિમાનને ઉપાડવાનું સિદ્ધ છે, અને અચર જોતિષિઓનાં વિમાન સ્થિર છે, તેથી તેને દેવ ઉપાડતા નથી. પ્રશ્ન ૧૩૮ –શ્રી ભગવતી સૂત્ર શ. ૬ ઉ. ૮માં લખ્યું છે કે પાંચમાં દેવકથી ઉપર બાદર અપકાય વગેરે નથી, તો ઉપર વાવડીઓમાં પાછું છે, તે શું બાદર નથી? અને નીચા દેવલોકમાં શું બાદર વનસ્પતિ છે? જવાબ :–ત્યાં નરક તથા દેવલોકની અંદર પ્રશ્ન નથી, પરંતુ નીચે અપકાય વગેરે હેવાના વિષયમાં પ્રશ્ન છે. તેથી લાંતક વગેરે સ્વર્ગોને માટે બાદર અપકાય વગેરેની જે મના કરેલ છે, તે તે વર્ગોની નીચેની અપેક્ષાથી છે. પહેલા અને બીજા સ્વર્ગની નીચે ઘને દધિ” તથા ત્રીજા, ચેથા અને પાંચમાની નીચે નમસ્કાય હોવાથી પ્રથમનાં પાંચ સ્વર્ગોની નીચે બાદર અપકાય અને વનસ્પતિનો સંભવ છે. ૬, ૭ અને આઠમું દેવલોક ઘનેદધિ અને ઘનવાયના આધાર ઉપર છે, પરંતુ તે સ્વર્ગોની નીચે તે વાયુકાય જ છે અને તેના ઉપરના બધાં સ્વર્ગ આકાશનાં આધારથી છે. તેથી લાંતક વગેરેની નીચે બાદર અપકાય વગેરેની મના છે. તેમ તે બાર દેવલોકમાં બાદર અપકાય છે અને તે બાદર અપકાયમાં બાદર વનસ્પતિ-નિગેદ છે. પશ્ન ૧૩૯ –સુખપિાક-સૂત્રમાં લખ્યું કે શ્રી મુબાહુકુમાર વગેરેએ સુપાત્ર દાન દેતાં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું, આ કઈ રીતે સમજવું કેમકે સુપાત્ર દાનથી તે દેવનું આયુષ્ય બંધાવું જોઈતું હતું ? જવાબ –સમુખ ગાથાપતિ વગેરેએ સુપાત્ર દાન દેતાં સંસારપીત્ત કર્યો. સંસાર પરીત્ત કરતી વખતે તેઓ સમ્યગૃષ્ટિ જ હતા. આયુષ્ય તે પાછળથી મિથ્યાત્વમાં બાંધ્યું કેમકે સમ્યગદષ્ટિ મનુષ્ય અને તિર્યચ, સમ્યગૃષ્ટિપણામાં વૈમાનિક સિવાય બીજું કોઈ પણ આયુષ્ય નથી બાંધતાં અને ક્ષયે પશમ સમ્યકત્વ પણ એક ભવમાં હજારોવાર આવી શકે છે. તેથી સમકિત વિનાની અવસ્થામાં તેઓએ મનુષ્યનું આયુષ્ય બાંધ્યું એવો સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy