SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] સમર્થ–સમાધાન તેથી ઈન્દ્રના અભાવમાં “અણિન્દા અપુરેહિ બતાવેલું છે. ઈન્દ્ર અને પુરહિતનું એકી સાથે જ આયુષ્ય પૂરું કરવાનું કેઈ ખાસ કારણ લાગતું નથી. પ્રશ્ન ૧૩૦:–અસુરકુમાર જાતિના ૨ ઈદ્ર છે, તેઓની સ્થિતિ જઘન્ય દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ એક સાગરની બતાવી, તે શું ઈન્દ્ર, જઘન્ય સ્થિતિના પણ હોય છે? જવાબ :–દસ હજાર વરસની સ્થિતિ તે તે ઈદ્રોની જાતિના અન્ય દેવેની છે, ઈન્દ્રિોની નહિ, કારણ કે જઘન્ય સ્થિતિના ઈદ્રો કદાપિ નથી હોતા, તેઓની સ્થિતિ તે. મટી જ હોય છે. પ્રશ્ન ૧૩૧ શ્રી મહિલનાથ ભગવાનની દિક્ષા અને કેવળ કલ્યાણકનો અઠાઈ મહત્સવ, કઈ રીતે સમજે,? કારણ કે બન્ને કલ્યાણક એક જ દિવસે થયેલ છે. જવાબ :–“અડાઈ મહેત્સવ–આવું તે ઉત્સવનું નામ છે, આઠ દિવસનું જ હોવાનું કોઈ ખાસ કારણ નથી, તેથી એક દિવસે બે કલ્યાણક હોય તે પણ કાંઈ વધે નથી. ' પ્રશ્ન ૧૩ર –તિર્યંચ (પશુ, પક્ષી વગેરે ) નરકમાં જાય છે, તે જઘન્ય ગમામાં અવગાહના પ્રત્યેક ધનુષ્યની કયા પ્રકારે સમજવું ? જવાબ :–પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય તિર્યંચની અવગાહના અન્તમુહૂર્તમાં પ્રત્યેક ધનુષ્યની હોઈ શકે છે, એટલે નારકીનાં જઘન્ય ગમામાં ઉત્પન્ન થવા વાળા પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય તિર્યંચની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પ્રત્યેક ધનુષ્યની છે. પ્રશ્ન ૧૩૩ –જીવનાં રૂચક–પ્રદેશ ચળ-વિચળ નથી થતા, પરંતુ કેવળી સમુદઘાતને વખતે રૂચક–પ્રદેશ ચલાયમાન થાય છે કે નહિ? જવાબ:–ભગવતી શ. ૮ ઉ. ૯ માં જીવનાં ૮ મધ્ય પ્રદેશના બંધ અનાદિઅપર્યવસિત માનેલ છે, તેથી કેવળી સમુદ્યામાં પણ રૂચક પ્રદેશના બંધ (જેડાણ) માં ફેરફાર નથી થતો, પરંતુ કેવળીના રૂચક–પ્રદેશ સમુદ્દઘાતના સમયે મેરુપર્વતના રૂચકપ્રદેશની ઉપર ત્રણ સમયને માટે જાય છે. " પ્રશ્ન ૧૩૪ –પ્રજ્ઞાપના પદ ૧ માં “લવણનું પાણી અને લવણ સમુદ્રના પાણી’ આ રીતે અલગ અલગ કેમ કહ્યું? જવાબ:-મીઠાના સ્વાદ જેવા છેડા ખારા પાણીને “ખાદએ અને લવણ સમુદ્રના સમાન વિશેષ ખારા પાણીને “લવણોદએ” કહે છે. પ્રશ્ન ૧૩૫ –કેવળી ભગવાનને મૃત્યુની વેદના થાય છે કે નહિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy