SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે પ્રશ્ન ૧૨૪:-શ્રી પુફચૂલિયા સૂત્રમાં “અંગતિ' મુનિને તિષિમાં ઉત્પન્ન થયેલ લખ્યું, તે શું તેઓ મૂળ ગુણનાં વિરાધક હતા? જવાબ:–અંગતિ મુનિનું વર્ણન “પુફિયામાં છે. તેમાં “મૂળ ગુણ વિરાધના -એવું નથી લખ્યું, પરંતુ “વિરાહિય સામને” (ચારિત્રની વિરાધના કરીને) એવું લખ્યું છે. એટલા માટે સંયમની વિરાધના પ્રમાણિત (સાબિત) થાય છે. પ્રશ્ન ૧૨૫:-કામદેવ શ્રાવક, પપધમાં પ્રભુને વંદન કરવા ગયા, ત્યાં લખ્યું કે તેઓ “શુદ્ધ વસ્ત્રો પહેરીને ગયા.” તે તે વા કહ્યા હતા ? શું પહેલાં તેઓ અશુદ્ધ વસો સહિત હતા? જવાબ –કામદેવ શ્રાવક-ઉપવાસરૂપ, પૌષધ યુક્ત, ભગવાનને વંદન કરવા ગયા હતા, અને ત્યાંથી પાછા ફર્યા બાદ પારણું કર્યું હતું. ઉપવાસવાળા પૌષધમાં વોનું પરિવર્તન થઈ શકે છે. પ્રશ્ન ૧૨૬-રણદેવી (જ્ઞાતા ૯) ને અવધિજ્ઞાન હતું કે વિભંગ જ્ઞાન? મૂળમાં અવધિજ્ઞાનને ઉપયોગ કરવાનું લખ્યું છે, આ ક્યા પ્રકારે છે? જવાબ –અવધિજ્ઞાનનાં ઉપગનો પાઠ નથી, પરંતુ “અવધિ-ઉપયોગ”ને પાઠ છે. અવધિ શબ્દમાં અવધિ અને વિભંગ બને સમાયા છે. જે અવધિ મિથ્યાત્વ સહિત હેય, તેને “વિભંગ” પણ કહી શકીએ છીએ અને અવધિ પણ કહી શકીએ છીએ, પરંતુ અવધિજ્ઞાન’ નથી કહી શક્તા, એટલે રણદેવીનું જ્ઞાન વિભંગ હેવાને સંભવ છે. પ્રશ્ન ૧૨૭:–પુલાક-નિર્ગથને “ને-સંજ્ઞોપ યુક્ત” કેવી રીતે સમજાય ? જવાબ :– પુલાકની સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓછું) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અન્તમુહૂર્તની છે. જ્યાં સુધી તેઓ પુલાક રહે છે, ત્યાં સુધી તેનાં આહાર વગેરેમાં અભિલાષા અને આસક્તિ નથી રહેતી, તેથી જ બનેસંપયુક્ત” કહેવાય છે. પ્રશ્ન ૧૨૮:–અમરચંચા રાજધાનીમાં “તિચ્છિક ટ” અને “ઉપપાત પર્વત” કઈ જગ્યાએ આવેલ છે? જવાબ-તિગિચ્છક કૂટ” નામને ઉપપત પર્વત, અમરચંચા રાજધાનીમાં નથી, આ પર્વત તે “અરૂણોદય” નામના અસંખ્યાતમાં સમુદ્રમાં છે. પ્રશ્ન ૧૨૯-ઈન્દ્ર તથા ત્રાયન્નિશક દેવ, સાથે જ આયુષ્ય પૂર્ણ કરે છે શું? સૂત્રમાં “ઈન્દ્ર રહિત, પુરોહિત રહિત” લખ્યું, આને શું અર્થ છે? જવાબ :-પુરહિત, ઈન્દ્રને હોય છે. જ્યારે ઈદ્ર જ નથી, તે પુરોહિત કોને ? સ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy