SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૩૧ પ્રશ્ન ૧૧૬ –દાતાએ પવિત્ર ભાવથી આહાર દીધો, પરંતુ મુનિએ ઉપયોગ વિના ખાધે, જેનાથી અશુભ પરિણમન થયું, તે આ અશુભ પરિણમનનું અશુભ ફળ, આહાર-દાતાને મળશે શું? જવાબ:–નહિ, કેમ કે દાતાએ તે શુભ ભાવથી, શુભ પરિણમન થાય, એ વિચારથી દીધું હતું. તેથી દાતાને તે શુભ ફળની જ પ્રાપ્તિ થશે. પ્રશ્ન ૧૧૭ – દાતાએ ખરાબ બુદ્ધિ (અશુભ ભા) થી મુનિને આહાર દીધે, પરંતુ તે આહાર મુનિને શુભરૂપ પરિણમન થયું, તો દાતાને તેનું શુભ ફળ મળશે શું ? જવાબ –નહિ, તેની શ્રેષ-બુદ્ધિને કારણે તેને અશુભ ફળ જ મળશે. પ્રશ્ન ૧૧૮ –() સાધુને, રાગ કે દ્વેષ વિના માત્ર અતિથિ સત્કારને કારણેજ, આહાર દીધેલ હોય અને તે મુનિને પચવા ગ્ય થઈને શુભરૂપે પરિણમે હેય તો તેનું દાતાને કેવું ફળ મળશે? (બા) જે ઉપર મુજબને આહાર મુનિને અશુભરૂપે પરિણમે તે તેનું દાતાને અશુભ ફળ મળશે શું? જવાબ –ઉપરોક્ત બને દાનનું દાતાને પુણ્યરૂપ ફળ મળશે. પ્રશ્ન ૧૧૯–() આહાર સ્વાદ વિનાને થઈ જવાથી ઘરવાળા નારાજ થશે આ વિચારથી તેને ફેંકી દેવા માટે છુપાવીને રાખ્યું, અને મુનિના આવવા પર, દ્વેષ વિના જ, સ્વાદહીન આહારને દૂર કરવાના વિચારથી મુનિને વહેરાવે અને તે મુનિને શુભરૂપ પરિણમે, તો તેનું દાતાને શું શુભરૂપ ફળ મળશે? (બ) જો ઉપરને આહાર અશુભરૂપે પરિણમે, તે તેનું દાતાને કેવું ફળ મળશે? જવાબ:–બન્ને રૂપમાં અશુભ ફળ જ મળશે. ' પ્રશ્ન ૧૨૦ –(2) ઝેર ખાવું શરીર માટે ઘાતક છે, પરંતુ તે જ ઝેર કેઈ વખત રોગને દૂર કરવાવાળું પણ હોઈ શકે છે. કેઈ યાચકે બહ લાચારીથી કેઈની પાસે ઝેર માગ્યું, પરંતુ દાતાએ ન દીધું. યાચકની ઈચ્છા પૂરી ન થઈ અને તેનું મૃત્યુ થઈ ગયું, તે આથી દાતાને કેવું ફળ મળશે? () કેઈએ રેગી માણસનું હિત વિચારીને ઝેર દીધું અને તેનાથી રોગી રેગમુક્ત થઈ ગયે, તે આથી દાતાને શું લાભ થયો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy