SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] સમર્થ–સમાધાન ન રાખે, જ્યાં સુધી કે તે પિતાની મેળે સુકાઈ ન જાય, આવી દશામાં સચિત્ત નમક કામમાં લેવાની આજ્ઞા કેવી રીતે હોઈ શકે છે ? પ્રશ્ન ૧૧૨ –આચારાંગ બીજા ગ્રુતસ્કન્ધનાં પાત્ર અધ્યયન ઉ. ૨ માં પાત્ર લેવાની વિધિના અર્થમાં પાણું યાચનાના વિષયમાં લખ્યું છે, તો તે અર્થ બરાબર છે શું? જવાબ –બીજા ઉદ્દેશકને વિષય પાત્રાની યાચનાનો નથી. મુનિ, આહાર-પાણીની યાચનાને માટે જ્યારે ગૃહસ્થને ત્યાં જાય, ત્યારે વાસણની વ્યવસ્થા કેવી રીતે રાખવી ? આ જ વિષય ત્યાં આવ્યું છે. ટીકાકારે પણ ત્યાં આ જ અર્થ કર્યો છે. પાત્રા યાચવાની વિધિ તે પહેલા ઉશકમાં છે, બીજા ઉદ્દેશકમાં લખ્યું કે સાધુ આહાર પણ યાચવાને માટે ગૃહસ્થને ત્યાં જાય, તે પાત્રા વગેરે જોઈ લીયે, લૂંછી લે (સાફ કરી ) શીતદક આવી જાય તે તેને પાણી સહિત પરડી (ફેંકી દી) દે છે, જે પાણીની બીજી સગવડ થઈ જાય, પરંતુ વાસણ ભીનું હોય, તે તેને લૂછે નહિ, સુકાવે નહિ, તે પોતાની મેળે સુકાઈ જાય ત્યારે લુછે, સાધુ ગોચરી જાય, વિહાર કરે, થંડિલ (જંગલ) જાય, પિતાનાં અભ્યાસને માટે જાય તે પોતાનાં બધાં પાત્રા સાથે લેતા જાય, વગેરે પાત્રની વ્યવસ્થાનું શાસ્ત્રમાં વિધાન છે. પ્રશ્ન ૧૧૩-૩૨ સૂત્ર ખુદ ભગવાનથી ફરમાવાયેલ (કહેવાયેલ) છે કે બીજાથી? જે ભગવાનથી ફરમાવાયેલ (કહેવાયેલી છે, તો સૂત્રમાં જાવ શબ્દથી પાઠને સંકેચ કર્યો છે, તે શું આ પણ ભગવાને જ કર્યું? જવાબ:–ભગવાન તે અર્થદાતા છે. અંગોની ગૂંથણી ગણધર મહારાજે કરી છે, અનંગ–પ્રવિગ્ડ (અંગ–બાહ્ય) સૂના ગૂંથવાવાળા શ્રુતસ્થવિર છે. આ પ્રકારે નન્દીસૂત્રની ટકા અને આવશ્યક ચૂર્ણિ વગેરેમાં લખ્યું છે. જેનું વર્ણન એકવાર વિસ્તારથી થઈ ચૂકયું–આવા પાઠને બીજી જગ્યાએ જાવ’ શબ્દથી સંકેચ કરેલ છે. પ્રશ્ન ૧૧૪ –પવિત્ર ભાવથી મુનને આહાર વગેરેનું દાન દેવાવાળા ગૃહસ્થને લાભ થાય છે કે નુકસાન? જવાબ –લાભ થાય છે. પ્રશ્ન ૧૧૫ –જે તે આહાર મુનિવરને શુભ પરિણમે તે તેને લાભ, શું દાતાને થાય છે? જવાબ –ડા, કારણ કે દાતાએ શુભ ભાથી, મુનિને સુખદાયક (સંયમમાં સહાયક) --આવા વિચારથી દીધેલ છે, તેથી લાભ થાય જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy