SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] સમર્થ–સમાધાન (ફેડે) ને મટાડવાને માટે દવારૂપ પાંચમે આવશ્યક છે. છઠ્ઠા આવશ્યકનું નામ “ગુણધારણા છે. પહેલાંના દેની આલોચના કરવારૂપી ચેથા આવશ્યક સુધી પહેલું પ્રતિકમણ અને બીજામાં છયે આવશ્યક કરવા યોગ્ય છે. આવશ્યક ભાષ્ય અને પ્રવચન સારોદ્ધાર વગેરેમાં પણ અતિચાર સુધી કહેવાને ઉલ્લેખને સંભવ છે. પ્રશ્ન ૧૧૧ –મુનિને સચિત મીઠું કામમાં લેવાનું ઉચિત છે શું ? જો નહિ, તે આચારાંગ સૂત્રના બીજા ગ્રુત-સ્કમાં ખાવા માટે લખેલ છે. તેનું શું સમાધાન છે? તે પાઠને અર્થ “અચિત ખાઈ લેવાનું છે. આ સમજવામાં નથી આવતું. તેથી સ્પષ્ટતાપૂર્વક સમાધાન કરાય? જવાબ –અહીં મહારાજ સાહેબની ધારણા તે આ જ છે કે— (૧) સચિત મીઠું સાધુથી નહિ લેવાવું જોઈએ. આચારાંગના બીજા પાઠના અનુવાદમાં અચિત નમક (મીઠું) લેવાનું લખ્યું છે તે ઠીક જ છે. મૂળપાઠમાં આને માટે અફાસુય’ શબ્દને ઉપગ કર્યો છે. આ “અફસુય” ને અર્થ માત્ર સજીવ એટલે સચિત જ નથી થતું, પરંતુ બીજો અર્થ પણ થાય છે. “અમાસુક” શબ્દને અર્થ માત્ર “જીવ સહિત” જ લેશું તે ગડબડ થશે, કારણ કે સૂત્રમાં કેટલીય જગ્યાએ આ શબ્દ આવ્યો છે, જેને અર્થ “સજીવ” નથી થતું. દાખલા તરીકે જુએ– (૧) આચારાંગ સૂત્ર શ્રુ. ૨ અ. ૧, ઉ. ૧ માં એક કે અનેક સાધુ-સાધ્વીઓને માટે બનાવેલ, વેચાણ લીધેલ, ઉધાર લીધેલ, જબરજસ્તીથી પડાવી લીધેલ, રજા આપ્યા વિના અને સામે લવાયેલ આહાર વગેરેને “અપ્રાસુક’ બતાવેલ છે. આ જગ્યાએ “અપ્રસુક” શબ્દનો અર્થ “સજીવ” બરાબર બંધ બેસતું નથી. કેમકે બનાવાયેલ, ખરીદાયેલ, ઉધાર લેવાયેલ, બળને પ્રયોગ કરીને પડાવી લીધેલ અને રજા વિના દીધેલે આહાર, જીવવિનાનો હોવા છતાં “અપ્રાસુક” માનેલ છે. આ પ્રકારે શય્યા અધ્યયનમાં પથારીને માટે, વસ્ત્ર-અધ્યયનમાં વસ્ત્રને માટે અને પાત્ર અધ્યયનમાં વાસણને માટે લખ્યું છે. (૨) “લવણ” સૂત્રની આગળનાં બન્ને સૂત્રને જોઈએ. એકમાં શ્રમણ-બ્રાહ્મણને માટે ગણતરી કરીને જે આહાર બનાવાયેલ છે, તે સાધુને માટે અપ્રાસુક બતાવાયેલ છે, જ્યારે કે બન્ય-બનાવેલે આહાર સજીવ નથી હોતો, તે પણ તેને “અમાસુક” બતાવ્યું છે અને બીજા સૂત્રમાં શ્રમણ-બ્રાહ્મણને માટે બનાવેલ આહારને પુરુષાન્તર ન કરવાને, બહાર ન કાઢવાને અને પિતાના અધિકારમાં ન લેવાને, વગેરે કારણેથી “અપ્રાસુક અને અષણીય બતાવેલ છે. તે જ આહાર પુરુષાન્તર થઈ જાય છે, બહાર નીકળી જાય છે અને શ્રમણ-બ્રાહ્મણોથી બચીને ભેજનદાતા (માલિક) ની પાસે આવી જાય છે અને તેણે ભગવ્યા પછી બચે છે, તે તે આહારને પ્રાસુક અને અષણીય લખેલ છે. આ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે નિજીવ હોવા છતાં પણ અપ્રાસુક હોઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy