SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] સમર્થ–સમાધાન આવું મુનિને પૂછત જ શા માટે ? તે વખતે ભગવાનનો પ્રભાવ સંસારમાં બહુ જ ફેલાયે હતું, તેથી તે જાણતી હતી કે તેઓ પ્રભાવશાળી મહાન પુરુષ છે, પરંતુ તેમને સર્વજ્ઞાની માનતી ન હતી. અને તેથી જ તે તેણે ભગવાનને માટે કેળાપાક બનાવ્યું હતે. જે તે શ્રાવિકા હોત તે તે જરૂરી સમજતી કે “હું ખાનગીમાં બનાવીશ તે પણ મારું ખાનગીપણું રહી શકશે નહિ, કેમ કે ભગવાન બધું જાણે છે, બધું જ જુએ છે.” આ રીતે આ પ્રસંગની પહેલાં તે શ્રાવિકા હતી નહિ, તે જ ચગ્ય જણાય છે. પ્રશ્ન ૪૧ –જ્ઞાન અને આચરણ (ક્રિયા) આ બંનેમાં મુખ્ય શું છે? જવાબ –જ્ઞાન વિનાની ક્રિયાની કંઈ જ ગણતરી નથી. તે બહારનું સુખ દઈ શકે છે, આત્માને ઉદ્ધાર કરી શકતી નથી. જ્ઞાન વિનાની ક્રિયા કરીને જીવે અનન્તાવાર રૈવેયક સુધી જઈ ચૂક્યો, છતાં તેનું ભવેમાં આથડવાનું ઓછું થયું નહિ. તેમ જ જે માણસ વાતે તે મોટી મોટી કરે છે, પરંતુ આચરણ કંઈ કરતો નથી, આવા વાચાળ જ્ઞાની કરતાં ક્રિયામાં ઉતારી શકાય તેવા જ્ઞાનનું વધુ મહત્વ છે. જેનામાં કેવળ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ શાન છે, તે કિયા કરીને પિતાનું કલ્યાણ કરી લે છે. વાચાળજ્ઞાન વિષય પ્રતિભાસ જ્ઞાન) પૂર્વેનું હોવા છતાં તેનાંથી આત્માનું કલ્યાણ નથી થતું. - જ્ઞાન વિનાનું આચરણ આત્માને સુખ નથી આપતું. સાચા જ્ઞાનથી કરેલ કિયા ફળદાયક હોય છે અને વાસ્તવિક જ્ઞાનને દરજે આચરણથી નીચે નથી, ઊંચે જ છે. પ્રશ્ન ૪૨ –કેઈ વ્યક્તિ ચોખા અથવા લવીંગ ખાઈને આયાબિલ કરે છે અને કેઈ ઉપવાસ કરે છે, તો તે બન્નેમાંથી વધુ લાભ શેમાં છે? જવાબ–પરિણામોના ઓછા-અધિકપણાથી ફળનું પણ ઓછાં અધિકપણું થાય છે; પરંતુ સમાન ભાવે હેય તે ઉપવાસમાં વધુ લાભ છે. ચૌવિહાર-ઉપવાસમાં ભેજન પાણીને બીલકુલ ત્યાગ હોય છે. તિવિહારમાં માત્ર ગરમ પાણી સિવાય ભેજનને સદા ત્યાગ રહેલ છે. એક શેખે કે એક લવીંગ પણ ખાવું, તેવી આયખેલ, ઉપવાસની બરાબરી નથી કરી શકતી. પ્રશ્ન ૪૩ – શ્રી ગૌતમ સ્વામીએ અભિગ્રહ (ટેક) કરેલ હતો. તેમાં કહેવાય છે, તે તેમણે કર્યો અભિગ્રહ કરેલ હતો? જવાબ :–ભગવતી સૂત્રમાં ભગવાન ગૌતમ સ્વામીના અભિગ્રહ માટે સંપૂર્ણ કથન છે. તેઓ ઉગ્ર તપ અનશન” વગેરે કરવાવાળા હતા. વગેરે શબ્દમાં તપના બાર ભેદ સમજવા જોઈએ. ત્રીજો ભેદ અભિગ્રહ છે, જે ભિક્ષાચારીના ભેદમાં છે. તેમણે અમુક જાતને અભિગ્રહ કર્યો હોય, તેવું ખુલાસાકારક વર્ણન જોવામાં આવતું નથી. પ્રશ્ન ૪૪ –ળ સતીઓનાં નામનો કમ કેવી રીતે છે? જવાબ–૧. શ્રી બ્રાહ્મીજી ૨. શ્રી સુન્દરીજી ૩. શ્રી ચંદનબાલાજી ૪. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy