SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૧ લઈને ગયા અને પશુઓનું આકંદ સાંભળીને, તેમને છોડાવીને પાછા ફર્યા. જે, તેઓ સ્નાન ન કરીને જ દૂર થઈ ગયા હોત તો હિંસક કામ ઉપર આટલે પ્રભાવ પડત નહિ. પ્રશ્ન ૩૮ –શું, શ્રી કૃષ્ણ વાસુદેવના મનમાં એવી શંકા થઇ કે શ્રી નેમિનાથ મારાથી વધુ બળવાન છે, જે કેક દિવસ મારું રાજ્ય લઈ લેશે? જવાબ-કથાકાર તે આવું કહે છે, પરંતુ સૂત્રમાં આ પ્રકારની શંકા થઈ હોવાનો ઉલ્લેખ નથી. તેના મનમાં ભગવાનને માટે ખૂબ જ ઊંચે ભાવ હતો, તેથી આવી શંકા હોવાની સંભાવના નથી. લગ્નને પ્રયત્ન તે કુટુંબીજનનાં કહેવાથી અને ભાઈના સંબંધે કર્યો હત–ભગવાનને નિર્બળ બનાવવા માટે નહિ. તેઓ જાણતા હતા કે ભગવાન અલૌકિક મહાન પુરુષ છે. પ્રશ્ન ૩૯ –માંસ અને દારૂ લેવાની શરૂઆત યાદના વખતથી થઈ કે તેઓનાં પહેલાંથી થઈ ગઈ હતી અને તીર્થકર પણ આ વસ્તુઓ લેતા હતા કે નહિ? જવાબ:–માંસને બેક યાદવેની પહેલાં પણ જાણીતું હતું, પરંતુ તીર્થકર રાજવંશી હોવા છતાં માંસ વગેરે ખાતા ન હતા. પ્રશ્ન ૪૦ –રેવતીબાઈએ ભગવાનને પાક વહેરાવેલ તે વખતે તે શ્રાવિકા હતી કે નહિ? જે હતી, તે તેણે જાણી જોઈને ભગવાનને માટે પાક કેમ બનાવ્યો ? જવાબ–પાક બનાવતી વખતે રેવતીબાઈ શ્રાવિકા ન હતી, છતાં પણ તેના હૃદયમાં ભગવાન પ્રત્યે વિશ્વાસ અને લાક્તિ ખૂબ જ વધુ હતી અને તેણે તીર્થકર નામ કર્મને બંધ કરી લીધું હતું, તેથી ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓમાં સુલસા અને રેવતીને મુખ્ય શ્રાવિકા બનાવેલ છે. રેવતીબાઈએ, ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ ૧૩ વર્ષ પછી પાક વહોરા, પરંતુ તે ભગવાનની મુખ્ય શ્રાવિકાઓમાં ગણાઈ ગઈ. જે વખતે રેવતીએ ભગવાનને માટે કેળાપાક બનાવ્યું. તે વખતે તેની શ્રાવિકા હેવાની સંભાવના નથી. પાક બનાવવાના વર્ણનની જગ્યાએ ભગવતી સૂત્રમાં રેવતીને ગાથા પત્ની લખેલ છે, શ્રમણોપાસિકા નહિ. અને જ્યારે ભગવાનની આજ્ઞાથી સિંહ મુનિ પાક લેવા રેવતીનાં ઘરે આવ્યા અને તેમણે કહ્યું: “ભગવાનને માટે બનાવેલે પાક હું લઈશ નહિ, પરંતુ જે બિજો પાક વધેલે પડ્યો છે, તે લેવા હું આવ્યું છું.આ સાંભળીને રેવતીને અચંબ થયે. તેણે મુનિને પૂછ્યું કે જેણે મારી ખાનગી વાત જાણી લીધી, એવા જ્ઞાની કોણ છે? મુનિએ ભગવાન મહાવીરનાં અનંત જ્ઞાન વગેરે ગુણેનું વર્ણન કર્યું. જે તે પહેલેથી જ શ્રાવિકા હોત તે “જેણે મારી ખાનગી વાત જાણી લીધી એ જ્ઞાની કોણ છે?” For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy