SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે સંયમનું પાલન કરીને બીજા વૈજયન્ત નામના અનુત્તર વિમાનમાં દેવ થશે અને ત્યાંથી નીકળીને રાવણના જીવની સામે ગણધર થશે. લક્ષ્મણજીને જીવ અનેક ભવ બાદ પુષ્કરવાર દ્વિીપના પૂર્વ વિદેહમાં ચક્રવર્તી અને તીર્થકર થઈને, બને પદનો અનુભવ કરી મિક્ષ પધારશે. પ્રશ્ન ૨૪ વનસ્પતિકાયના ૬ ભેદ છે–સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેક, ત્રણેનાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ૬ ભેદ છે. સૂક્ષ્મ વનસ્પતિમાં નિગોદ જ હશે, તેમાં પ્રત્યેક જીવ નહિ હેય. આ પછી સાધારણ અને પ્રત્યેક બાદર વનસ્પતિકાયના ભેદ કહેલ છે. ૯૮ બોલમાં સૂક્ષ્મ નિગોદને જીવ સામેલ બતાવેલ છે, તે અવ્યવહાર રાશીના જીવ કથા નિગોદમાં સમજવા? જવાબ –સૂક્ષમ વનસ્પતિમાં પ્રત્યેક જીવ નથી હોતા, બધા અનન્તકાય જ હોય છે. અનન્ત જીવે મળીને એક શરીર બાંધે છે, તે શરીરનું નામ નિગદ છે. આવા નિગોદના બે ભેદ છે-એક સૂક્ષ્મ નિગોદ અને બીજો બાદર નિગેદ, બન્ને પ્રકારના નિગોદમાં અવ્યવહાર રાશીના જે પણ હોય છે. પ્રશ્ન ૨૫ –આપે બતાવ્યું કે સૂક્ષ્મ અને બાદર જેવા અને પ્રકારના નિગોદમાં અવ્યવહાર રાશીના જે હેય છે, તે ઠીક છે, પરંતુ વનસ્પતિકાયની કાયસ્થિતિ અસંખ્યાતા પુલ પરાવર્તનની છે. આ સૂક્ષ્મ અને બાદર બને પ્રકારના નિગોદની અવસ્થા હશે. અહીં કેઈ એમ પણ કહે કે સૂક્ષ્મ નિગોદમાં એવા પણ છે છે કે જે કદી પણ એકેડિયથી બે ઇદ્રિય નથી થયા, તે આ જીની કાય-સ્થિતિની સાબિતી શી? જવાબ:–સૂમ નિમેદની કાય-સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓછી) અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અસંખ્યાતા કાળ અસંખ્યાતી અવસર્પિણી, ઉત્સર્પિણી તેમ જ અસંખ્યાતા લોક પ્રમાણુ સમજવી જોઈએ. (૨) બાદર નિગદની જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૭૦ કડાકોડ સાગરની છે. (૩) સમુચ્ચય નિગેદની ઉત્કૃષ્ટ અનન્તકાળ-અનન્ત અવસર્પિણી તેમ જ અઢી પુગલ પરાવર્તનની છે. સમુચ્ચય વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત પુલ પરાવર્તનની છે. આ કાયસ્થિતિ વ્યવહાર રાશીના જીની છે. અવ્યવહાર રાશીના જીવ તે અનાદિકાળથી તેમાં જ રહેલા છે. કેઈ સૂમ નિગેદમાં જ અવ્યવહાર રાશીના જીવે હેવાનું મનાય છે. પ્રશ્ન ૨૬ –ક્ષાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી કેટલા ભવ હોય છે, અને વધારેમાં વધારે કેટલા વખત પછી મેક્ષ જઈ શકે છે? જવાબઃ-મનુષ્યને ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ પછી આયુષ્યનું બંધન નથી હોતું, જે દેવ અથવા નારકનાં આયુષ્ય બન્ધની પછી ક્ષાયક સમ્યકત્વને લાભ મળે તે ચાલુ ભવ સહિત ત્રણ ભવ જ હોય છે. જે યુગલિક મનુષ્ય (જુગલીયા મનુષ્ય) અથવા નિયંચનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy