SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ] સમર્થ–સમાધાન જવાબ –ગરમ પાણી પીવાથી અનેક લાભે છે, જેમકે વૃત્તિઓનું દમન, રસેને ત્યાગ અને ઈચ્છાઓ પર કાબૂ , ચોખા અને લેટના વાસણનું ધાવણ, પાણી, છાશ અને નહાવા માટેના કરેલા ગરમ પાણીથી ગૃહસ્થને માટે પણ અપકાય અને અગ્નિકાય જેની હિંસા મટી શકે છે. ઠંડા પાણીને ત્યાગ હેવાથી ગૃહસ્થને પણ કદીક ગરમ પાણી કે અગ્નિ આદિના સંગના અભાવથી, પોતાના વ્રતમાં દઢ રહેવાથી વિશેષ લાભ મેળવવાને અવસર પ્રાપ્ત થાય છે. જેમ કે-અમ્બડ સંન્યાસીનાં ૭૦૦ શિષ્ય શ્રાવક હતા. તેઓ સચિત પાણી પીતા હતા, પરંતુ કેઈની પણ આજ્ઞા વિના પાણી ન પીવાની તેઓની પ્રતિજ્ઞા હતી. એક વખત ગરમીના દિવસમાં બહારગામ જતાં રસ્તામાં તેઓને તરસને લીધે પરિષહ પડ્યો. પાસે જ એક નદી વહેતી હતી, પરંતુ આજ્ઞા દેવાવાળા ગુરુની ગેરહાજરીને કારણે તેઓએ સંથાર કરી લીધું અને પરલોકના પ્રવાસી બન્યા. આજ્ઞા વિના પાણી ન પીવાનાં વ્રત માત્રથી જે આટલે લાભ મળી શકે છે, તે સચિત્ત પાણીના ત્યાગની વાત જ શી કરવી ? પ્રશ્ન ૬ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાની ખુદની પત્નિ સાથે સુંદરમાં સુંદર ધાર્મિક સંબંધ શું હોઈ શકે? જેમકે “રાયચંદ્રજી” એ લખ્યું છે ધર્મની બહેનને સંબંધ શું શક્ય તેમ જ ઉચિત છે? જવાબઃ–પૂર્ણ રૂપે બ્રહ્મચારી પુરુષને પિતાની-ખુદની સ્ત્રી સાથેને “ધર્મની બહેનને સંબંધ શક્ય તેમ જ ઉચિત છે. પ્રશ્ન ૭ –સમયની આશાતના કોને કહેવાય છે? જવાબ-પાંચ સમવાની અનુકૂળતાથી કાર્ય બને છે. આમાં સમય પણ સમવાય છે. સમય મર્યાદા પરિપકવ થતાં, જીવને સમ્યકત્વ વગેરેની પ્રાપ્તિ થાય છે. ચરમશરીરી (છેલું શરીર) જરૂર મોક્ષમાં જાય છે, પરંતુ તે જન્મતાં જ સિદ્ધ નથી થઈ જત, ઓછામાં ઓછા ૯ વર્ષની અવસ્થા થવા પર જ મુક્તિને લાભ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે અનેક પ્રકારે સમય મદદ કર્તા થાય છે. આને ન માનવું–તે સમયની આશાતના કરવા બરાબર છે. પ્રશ્ન ૮–સૂકુ શાક ખાવાથી અંદવાળા (લીલોતરીની બંધિવાળા) ને દેષ લાગે કે નહિ ? જવાબ –જેમને લીલોતરીની બંધી હોય, તેઓ જે સુકાઈ ગયેલાં શાક ખાય તે ત્યાગમાં દોષ લાગતું નથી, સાધારણ રીતે, ઘણી વસ્તુઓ તે ઉકાળેલી, સુકાવેલી અને પિતાની મેળે જ સુકાયેલી કામમાં આવે છે, જેમકે કેર, સાંગરી, કુમટિયા વગેરે. આ વાત મારવાડને અનુસરીને છે. એમ તે લીલાં શાક ખાવાવાળાઓને પણ સુકાયેલાં જ વધુ કામમાં આવે છે. લીલી દ્રાક્ષ ખાવાવાળા પણ દરાખ, કિસમિસ વગેરે ખાય છે. જેમને લીલોતરીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy