SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૯ ભાગ પહેલે જવાબ –અઠ્ઠાવીસ લબ્ધિઓમાંથી ૧૪ મી પૂર્વધર-લબ્ધિ છે, દસ પૂવથી ૧૪ પૂવી સુધી પૂર્વધર લબ્ધિવાળા કહેવાય છે. પૂર્વધર-લબ્ધિના પ્રભાવથી શીખેલા ૧૪ પૂર્વેના જ્ઞાનને એક મુહૂર્તમાં યાદ કરી શકે છે. પ્રશ્ન ૭૭૭ઃ–પક્રમ આયુષ્યવાળાને માટે પૂર્વાચાર્ય લખે છે કે તેઓ દ્રવ્ય આયુષ્ય (આય કર્મનાં પુદગલ) તે પૂરું ભેગવે છે, પણ કાળઆયુષ્ય-સ્થિતિ ઓછી થઈ શકે છે. તેમાં દેરડીને દાખલ છે. લાંબી દેરી મેડી બળે છે અને ગૂંચળું કરવાથી જલદી બળી જાય છે. શું આ ઠીક છે? આ રીતે સ્થિતિમાં ઓછું થઈ શકે છે? જવાબ:–આયુષ્ય બંધના સમયમાં જ, સેપકમ આયુષ્યવાળા, આયુકર્મનાં દળ, વધારે હોવા છતાં પણ મંદ પ્રયત્નને કારણે સ્થિતિ ઓછી અને ઉપકમવાળી જ બાંધે છે. આથી નિશ્ચય નયથી તે આયુકર્મની સ્થિતિ ઓછી થતી જ નથી. પરંતુ વ્યવહાર નથી ઓછી થતી બતાવી છે, તે પિતાની છેડી બાંધેલી સ્થિતિમાં જ તેટલા આયુષ્ય દળને ખપાવી દે છે, વાસ્તવમાં તે જ્ઞાનીઓએ તેમનાં બંધ કે ઉપક્રમ એવા જ જોયા હતા કે, જેવા એમણે ભગવ્યાં. પ્રશ્ન છ૭૮ –શ્રી નન્દીસૂત્રમાં લખ્યું કે અપ્રતિપાતિ અવધિજ્ઞાની, અલકમાં એકથી વધારે આકાશ પ્રદેશને જુએ છે. અવધિજ્ઞાનને વિષય તે રૂપી પદાર્થ જેવાને છે, પછી અરૂપી આકાશ પ્રદેશ કેવી રીતે જોઈ જવાબ:–અલેકના પ્રદેશ જેવા–આ અવધિજ્ઞાનનાં સામર્થનું વર્ણન કર્યું છે. પરંતુ અલેકમાં જરા પણ અવધિવાળાઓને દૃશ્યમાન નથી. ટીકાકાર પણ આ જ કહે છે. પ્રશ્ન ૭૭૯ –ચાર પ્રકારનાં જીવ બતાવ્યા છે. જેવી રીતે–પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ, પ્રશ્ન એ છે કે આ પ્રાણુ વગેરે નામ કઈ અપેક્ષાથી છે? પ્રાણ તે બધા એમાં છે, પરંતુ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય વગેરેને જ પ્રાણ” કહીને બતાવ્યાં, પચેન્દ્રિયને જીવ’ કહીને બતાવ્યા અને ચાર સ્થાવરને “સત્વ કહ્યા, આખું શું કારણ છે ? જવાબઃ–સામાન્ય પ્રકારથી તે પ્રાણ, ભૂત, જીવ અને સત્વ, આ ચારમાંથી પ્રત્યેક વિશેષણ બધા સંસારી અને માટે લાગુ થાય છે અને વિશેષ પ્રકારથી જુદો જુદો શબ્દ જુદા અને સંતવાચક પણ છે. આથી ઉપરનાં ચારે શબ્દો કયાંક એક અર્થ અને ક્યાંક જુદા અર્થ રુપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy