SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] સમર્થ–સમાધાન કારણે શુદ્ધ જેવી હશે, તે આધાકમી વસ્તુ જેવા ફળ દેવાવાળી નહિ હેય. તથા કેઈ સાધુ દોષેની બેપરવાહીથી, ગષણાની (તપાસની) શુદ્ધિ ન રાખતાં તેમ જ શંકા પડવાથી ગેલમાલ કરીને આધાકમી વસ્તુ લે, ભગવે, તે તે વસ્તુ તેને જરૂર જ આધાકમનું ફળ દેવા વાળી થશે, ઈત્યાદિ પ્રસંગે ઉપસ્થિત થવા પર ગૃહસ્થ વગેરેનાં કહેવાથી કોઈ બીજા સાધુને ખબર પડી કે અમુક મુનિઓથી આધાકમી વસ્તુ ભોગવવામાં આવી ગઈ તે આવા પ્રસંગોએ તે સાંભળવાવાળા સાધુને, ઉપર બતાવેલા બંને પ્રકારનાં ભાવાળા મુનિઓને ભાવની ખબર ન હોવાથી–તેમનાં કર્મબંધ થઈ ગયા કે ન થયા-આવા એકાન્ત વચન ન કહેવા. કહેવાથી ભાષા સંબંધી અનાચારનું સેવન થાય છે. એટલા માટે સૂત્રકૃતાંગનાં તે અધ્યયનમાં ભાવના અજાણેને એવી એકાંત ભાષા બેલવાને નિષેધ કર્યો છે. પરંતુ આધાકમી વસ્તુ કર્મ–બંધને હેતુ છે એવું બતાવવાની મના નથી કરી, જે આવી મના હત, તે આચારાંગ વગેરે અનેક સૂત્રમાં પ્રભુ આધાકમી વસ્તુને કર્મ–બંધ કે સંસારબ્રમણ વગેરેનું કારણ શામાટે બતાવત? જાણી જોઈને આયામી વસ્તુને કામમાં લેવાની શાળામાં અનેક જગ્યાઓએ એકાંત મનાઈ કરી છે. જેવી રીતે--આચારાંગના ૮મા અધ્યયનના ઉ. ૨ માં–આધામી વગેરે દોષવાળી વસ્તુ, કેઈ સાધુને દે અને તે ન લીયે ત્યારે સાધુને કેઈમારે, પીટે, કાપે, બાળે, લૂટે વગેરેઅનેક પ્રકારની પીડા કરે તે તેને સહન કરવી, પરંતુ અશુદ્ધ વસ્તુ ન લેવાનું બતાવ્યું છે. સૂયગડાંગ અધ્યયન ૧ ઉ. ૩ ગાથા ૧ માં આધાકમી આહારને એક કણ પણ જેમાં મળે છે, આવી વસ્તુ પણ કામમાં લેવાવાળાને બને (સાધુ અને ગૃહસ્થ) પક્ષોનું સેવન કરવાવાળા, એટલે કે વેશથી સાધુ અને ભાવથી તેને ગૃહસ્થ બતાવ્યા છે. ભગવતી શ. ૧ ઉ. ૯ માં આધાકમી વસ્તુ ભેગવવાવાળા જે શ્રમણ છે, તેઓ ધર્મનું ઉલ્લંઘન કરે છે. તેઓ છ કાયની અનુપ રહિત-કમેને મજબૂત કરી સંસારભ્રમણ કરે છે, ઈત્યાદિ બતાવ્યું છે. ભગવતી શ. ૫ ઉ. ૬ માં આધાકમ, “કાંતારભક્ત” (જંગલમાં સાધુના નિવાહને માટે તૈયાર કરેલ આહાર વિગેરે) “દુર્ભિશભક્ત” (દુકાળનાં સમયે સાધુના નિર્વાહ માટે તૈયાર કરેલ આહાર વિગેરે) “ગ્લાનભક્ત” (ગીનાં નિરેગ માટે ભિક્ષુઓને દેવાને માટે તૈયાર કરેલ આહાર વિગેરે) વગેરે વગેરે સદોષ આહાર વગેરેને મનમાં પણ નિરવદ્ય (નિષ્પા૫) છે–એવું સમજે, અને તેની આલોચના કર્યા વિના તે કાળ કરે, તે વિરાધક થવાનું બતાવ્યું છે. ઈત્યાદિ અનેક સૂત્રેમાં આધાકમી વસ્તુ તથા કાંતાર-દુભિક્ષભક્ત વગેરેની–ગ વગેરે • પ્રસંગ ઉપર પણ, છૂટ ન દેતાં એકાંત નિષેધ જ બતાવ્યું છે. પ્રશ્ન પૂર્વનું જ્ઞાન શું લબ્ધિયુક્ત છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy